Aug 23, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-20

જેઓ દિવસમાં બે વાર -આ પ્રાણાયામનો અભ્યાસ કરશે-તેમનામાં શરીર અને મનની શાંતિ આવશે,અવાજની મધુરતા -વગેરે આવશે-પણ જે આ પ્રાણાયામની ક્રિયામાં આગળ વધશે-તેમની જ કુંડલિની જાગ્રત થશે, તેમની સમગ્ર પ્રકૃતિમાં પરિવર્તન થવા લાગશે અને તેમના જ્ઞાનનો ગ્રંથ ખુલ્લો થઇ જશે.પછી તેમને જ્ઞાન મેળવવા પુસ્તકો પાસે દોડી જવાની જરૂર નહિ રહે.તેમનું પોતાનું મન જ -
એક અનંત જ્ઞાનનો ભંડાર બની જશે.

Aug 22, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-19

હવે આપણે પ્રાણાયામની "ક્રિયાઓ" વિષે વિચારીએ.
આપણે જોયું કે -પહેલું પગલું-એ ફેફસાંની ગતિને કાબૂમાં લેવાનું છે.અને એને માટે આપણે જે
પહેલું-કરવા માગીએ છીએ તે-એ છે કે-શરીરની અંદર ચાલી રહેલી વધુ સૂક્ષ્મ "ક્રિયાઓ" નું
બારીક નિરીક્ષણ કરીને તેમને પારખવી.

Aug 19, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-18

આ સુષુમ્ણા નાડી,સામાન્ય રીતે સામાન્ય મનુષ્યમાં નીચલે છેડે બંધ હોય છે.તેથી તેમાં થઇ ને કશી જ ક્રિયા ચાલતી નથી.પણ યોગી એક જાતની એવી સાધના સૂચવે છે કે-તેને ઉઘાડી શકાય છે.અને જ્ઞાનતંતુઓ ના પ્રવાહો તેની અંદર વહેતા કરી શકાય છે.

Aug 18, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-17

હવે આપણે આ વસ્તુને -વધુ સારી રીતે સમજવા -એક હકીકત -ભૌતિક વિજ્ઞાનમાંથી લઈશું.
આપણે વીજળી (ઈલેક્ટ્રીસીટી) અને તેની સાથે સંકળાયેલાં વિવિધ બળો વિશે સાંભળીએ છીએ,
કે જોઈએ છીએ,પણ વીજળી "પોતે" શું છે? એ કોઈ જાણતું નથી.પરંતુ તેના વિશે જેટલું જાણવામાં આવ્યું છે તે મુજબ-તે એક પ્રકારની "ગતિ" છે.

Aug 17, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-16

આધ્યાત્મિક પ્રાણ
યોગીઓના મત પ્રમાણે-મેરુદંડ (કરોડ) માં "ઈડા" અને "પિંગલા" નામના જ્ઞાનતંતુઓના બે પ્રવાહો છે.અને કરોડની મધ્યમા "સુષુમણા" નામની એક "પોલી નાડી" છે.આ પોલી સુષુમણા નાડી ને નીચેને છેડે-ત્રિકોણાકાર "કુંડલિની-પદ્મ" આવેલું છે.