Sep 1, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-27

એ બધામાં એટલું તો સર્વ-સામાન્ય (કોમન) છે કે-
એ બધા જ જ્ઞાનનો સંદેશ મળ્યો હોવાનો દાવો કરે છે,
અને તે જ્ઞાન તેમણે તેમની તર્ક-બુદ્ધિ દ્વારા મેળવેલ નથી, પણ બુદ્ધિને પેલે-પારથી તેમને તે જ્ઞાન (સંદેશ) મળ્યો છે.યોગ-વિજ્ઞાન કહે છે કે-તેમને જે બુદ્ધિની પેલે પારથી જે જ્ઞાન મળ્યું છે તે -તેમનો દાવો સાચો છે,પણ-
જો બરોબર વિચારવામાં આવે તો તે-"જ્ઞાન આવ્યું છે તેમના પોતાના અંદરથી જ."

Aug 31, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-26

જયારે મનુષ્ય,ગાઢ નિંદ્રામાં જાય છે-ત્યારે તે સચેત ભૂમિકાથી નીચે ની "અચેત" ભૂમિકામાં પ્રવેશે છે.
એ સ્થિતિમાં તે શ્વાસ લેવાની સાથે -પડખું ફેરવવું વગેરે -જેવી શારીરિક ક્રિયાઓ પણ કરતો હોય છે.
પણ આ બધું કરતી વખતે તેને તે ક્રિયાઓ "હું કરું છું" એવું ભાન હોતું નથી.એ "અચેત" ભૂમિકા  છે.

Aug 30, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-25

ધ્યાન અને સમાધિ
અત્યાર સુધીમાં રાજયોગના જુદાં જુદાં પગથિયાંઓનું અવલોકન કર્યું,હવે,,જે ધ્યેયે આપણને રાજયોગ લઇ જવાનો છે-તે એકાગ્રતાના સૂક્ષ્મ પગથિયાં
(ધ્યાન અને સમાધિ)નું અવલોકન કરીએ.

Aug 29, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-24

આ ધારણા વિવિધ પ્રકારની હોય છે-કલ્પનાની જરાક રમત પણ સાથો સાથ કરી શકાય.
દાખલા તરીકે-મનને હૃદયની અંદર એક "બિંદુ" નો વિચાર કરવામાં લગાડવું એ કઠણ છે,પણ,
સહેલો રસ્તો છે કે-ત્યાં એક કમળની કલ્પના કરવી-કે જે કમળ પ્રકાશથી અને ઝળહળતી જ્યોતિથી
ભરપૂર છે.અગાઉ આવી ગયું-તેમ સુષુમ્ણાની અંદરના જુદા જુદા કેન્દ્રોને પણ-પ્રકાશમય કલ્પી શકાય.

Aug 26, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-23

જે મનુષ્ય પોતાના મનને -મગજમાંના ઇન્દ્રિયોના કેન્દ્રો સાથે -પોતાની ઇચ્છાનુસાર જોડવામાં કે તેમનામાંથી હટાવી લેવામાં સફળ થયો છે-તે "પ્રત્યાહાર" માં સફળ થયો છે એમ જાણવું.પ્રત્યાહાર નો અર્થ છે કે-"પાછું વાળવું" મન ની બહિર્મુખી શક્તિઓને બહાર જતી અટકાવવીને  અને તેને  પાછી વાળીને,તે મનને ઇન્દ્રિયોની ગુલામીમાંથી,જયારે આપણે મુક્ત કરી શકીશું,ત્યારે જ આપણે સાચા સ્વાતંત્ર્ય તરફ પગલું લીધું ગણાશે,ત્યારે જ આપણે સાચા ચારિત્ર્યવાન કહેવાઈશું,નહિતર તો આપણે માત્ર જડ યંત્રથી વધુ કશું નથી.