स कीत्र्यमानः शीघ्रमेवाविर्भवति अनुभावयति च भक्तान्।। ८० ।।
ભગવાનનું પ્રેમ-પૂર્વક કીર્તન કરવાથી ભગવાન પ્રગટ થાય છે
અને ભક્તોને પોતાનો અનુભવ કરાવી દે છે (૮૦)
પરમાત્મા તો સર્વ જગ્યાએ હાજર જ છે,તેને કોઈ ખુશામતની (વખાણની) પડી નથી,
પણ,જયારે,ભક્ત તેના સ્મરણમાં સતત રહે છે ત્યારે તે ભક્ત ખુલે છે,તેના આંખ આગળનો પડદો હટી જાય છે,
અને પરમાત્મા પ્રગટ થાય છે,ને તે ભક્તને પોતાનો (પરમાત્માનો) અનુભવ કરાવે છે.
એટલે કે-કીર્તનથી,સતત સ્મરણથી,ભક્તને તન્મયતા થાય છે,ભક્ત ભગવાન બને છે.
ને સર્વમાં તેને પરમાત્માના દર્શન થાય છે.અને તે જ પરમાત્માની કીર્તિનું કીર્તન છે.