સંત જ્ઞાનેશ્વરજી રચિત
પસાયદાન
(મરાઠી ભાષાનો શબ્દ છે-કે જેનો સીધો અર્થ કૃપા પ્રસાદ (ભિક્ષા) કે પ્રસાદ પણ કરી શકાય)
('પસા' એટલે બે હાથ પાસે પાસે રાખીને કરેલ ખોબો,અને દાન એટલે ભિક્ષા કે પ્રસાદ)
સંત જ્ઞાનેશ્વરજી કે જેમને વારકરી સંપ્રદાયવાળા 'મૌલી' (મા) પણ કહે છે,
તેમણે જે જ્ઞાનેશ્વરી ગીતા (કે ભાવાર્થ દીપિકા) કહેલી છે,
તેના છેલ્લા અઢારમા અધ્યાયની 1794 થી 1802 ઓવીઓને પસાયદાન કહે છે.
કે જે મહારાષ્ટ્રમાં વધુ પ્રચલિત છે.