Nov 27, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-027

 

અધ્યાય-૩૧-ગરુડની ઉત્પત્તિનાં કારણ 


II शौनक उवाच IIकोSपराधो महेन्द्रस्य कः प्रमदम्श्च सूतज I तपसा वालखिल्यानां संभूतो गरुडः कथम्  II १ II

શૌનક બોલ્યા-હે સૂતજી,ઇન્દ્રનો કયો અપરાધ હતો? કયો પ્રમાદ હતો? અને વાલખિલ્યોના તપથી ગરુડ કેવી રીતે ઉત્પન્ન થયો?વળી બ્રાહ્મણ કશ્યપને પક્ષીરાજ પુત્ર કેમ થયો? ને શા કારણથી તે પ્રાણીમાત્રથી અસહ્ય અને અવધ્ય થયો? તે સ્વેચ્છા ગતિવાળો અને સ્વેચ્છા બળવાળો શી રીતે થયો? તે હું સાંભળવા ઈચ્છું છું 

Nov 26, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-026

અધ્યાય-૨૯-મેરુ પર્વત પર ગરુડ 


II सौतिरुवाच II तस्य कण्ठमनुप्राप्तो ब्राह्मणः सह भार्यया I दहन दीप्त इवांगार स्तमुवाचान्तरिक्षगः II १ II

સૂતજી બોલ્યા-તે વખતે,એક બ્રાહ્મણ (તેની નિષાદ પત્ની સાથે) ગરુડના ગળામાં જઈ પડ્યો.

ગરુડના ગળામાં,અંગારા જેવો દાહ થયો એટલે,ગરુડે તે બ્રાહ્મણને કહ્યું કે-તું મારા આ ઉઘાડેલા મોંમાંથી,

જલ્દી બહાર નીકળી જા,કેમ કે (મા એ કહ્યું છે) બ્રાહ્મણ પાપી હોય તો પણ તેને મરાય નહિ.

બ્રાહ્મણે કહ્યું કે-આ મારી નિષાદ જાતિની પત્ની પણ મારી સાથે બહાર નીકળો.

ગરુડે કહ્યું કે -ભલે,તેને પણ તું સાથે લઇ જા.અને વેળાસર,તું તારી જાતને અને તેને ઉગારી લે (1-4)

Nov 25, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-025

 

અધ્યાય-૨૫-કદ્રૂએ કરેલી ઇન્દ્રની સ્તુતિ 


II सौतिरुवाच II ततः कामगमः पक्षी महावीर्यौ महाबलः I मातुरंतिकभागच्छत् परं पारं महोदधेः II १ II

સૂતજી બોલ્યા-પછી,ઈચ્છા પ્રમાણે ગતિ કરવાવાળો,તે મહાવીર્યવાન અને મહાબળવાન,ગરુડ,

મહાસાગરને પેલે પાર માતા પાસે જઈ પહોંચ્યો.કે જ્યાં,શરતમાં પરાજય પામેલી અને દાસીપણું કરી રહેલી,

તેની માતા વિનતા,અત્યંત દુઃખ અને સંતાપ પામી રહી હતી.

Nov 23, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-024

 

અધ્યાય-૨૨-બંને બહેનોએ ઓળંગેલો મહાસાગર 


II सौतिरुवाच II नागाश्च संविदं कृत्वा कर्तव्यमिति तद्वचः I निःस्नेहा वै दहेन्माता असंग्राप्तमनोरथ II १ II

સૂતજી બોલ્યા-હવે નાગોએ મંત્રણા કરીને ઠરાવ્યું કે-'આપણે માતાના વચન પ્રમાણે જ કરવું,કેમ કે 

તેનો મનોરથ જો પૂર્ણ નહિ થાય તો તે નિર્દય માતા આપણને બાળી મુકશે,અને જો તે પ્રસન્ન થશે તો,

આપણને  શાપમાંથી છોડાવશે,આથી આપણે નિઃસંશય તે ઘોડાનું પૂંછડું કાળું કરવું જ' 

આમ નિશ્ચય કરી તે ઘોડાના પૂંછડે વાળરૂપ થઇ ગયા.

Nov 22, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-023

 

અધ્યાય-૧૯-અમૃત માટે યુદ્ધ અને દૈત્યોનો પરાજય 


II सौतिरुवाच II अथावरणमुख्यानि नाना प्रहरणानि च I प्रगृह्याम्यद्रवन्देवान सहित दैत्यदानवाः II १ II

સૂતજી બોલ્યા-હવે,ઉત્તમ હથિયારો ને બખ્તરો સજીને,દૈત્યો અને દાનવો એકસાથે દેવોના તરફ ધસ્યા.

મોહિની સ્વરૂપે,ભગવાન નારાયણ દેવોને અમૃત પીવડાવી રહ્યા હતા,ત્યારે રાહુ નામનો દાનવ,દેવનું રૂપ લઈને અમૃતના ઘૂંટડા ભરી ગયો,એ અમૃત,તે દાનવના ગળા સુધી ગયું,ત્યારે દેવોનું હિત કરવાની ઈચ્છાથી,

ચંદ્ર અને સૂર્યે તે વાત,નારાયણને કહી,એટલે નારાયણે,તેનું માથું,તેજસ્વી ચક્રથી ઉડાવી દીધું,

ત્યારથી તે રાહુ-મુખે ચંદ્ર અને સૂર્ય સાથે વેર બાંધ્યું અને આજે પણ તે,તે બંનેનું ગ્રહણ કર્યા કરે છે (1-9)