Jan 28, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-080

 
અધ્યાય-૮૬-યયાતિનું સ્વર્ગગમન 

II वैशंपायन उवाच II एवं स नाहुषो राजा ययातिः पुत्रभिप्सितं I राज्येSभिपेध्य मुदितो वानप्रस्थोSभवन्मुनि  II १ II

વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે (નાહુષ રાજા) યયાતિએ પોતાના પ્રિય પુત્રને રાજ્યગાદીએ બેસાડીને,

પોતે પ્રસન્નતાપૂર્વક વાનપ્રસ્થી મુનિ થયો.જિતેન્દ્રિય ને વ્રતી થઈને,ફળ-મૂળ ખાઈને,બ્રાહ્મણો સાથે તે વનમાં રહ્યો.

ને પછી અહીંથી તે સ્વર્ગલોકમાં ગયો.ને ત્યાં સુખ ને આનંદમાં રહ્યો,

પણ થોડા જ વખતમાં,ઇન્દ્રે તેને સ્વર્ગમાંથી નીચે પાડ્યો,સ્વર્ગમાંથી પડતાં તે પૃથ્વીના તળે ન પડ્યો,પણ આકાશમાં અધ્ધર જ રહ્યો.એમ મેં સાંભળ્યું છે.વળી,મેં સાંભળ્યું છે કે-વસુમાન,અશતક,પ્રતર્દન અને શિબિરાજ સાથે

તે એક થઈને,તે વીર્યવાન રાજા ફરીથી પાછો સ્વર્ગે ગયો હતો (1-6)

Jan 27, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-079

 
અધ્યાય-૮૫-પૂરૃનો રાજ્યાભિષેક અને યયાતિનું વનગમન 

II वैशंपायन उवाच II पौरवेणाय वयसा ययातिर्नहुमात्मजः I प्रितियुक्तो नृपश्रेष्ठश्चचर विषयान प्रियान्  II १ II

વૈશંપાયન બોલ્યા-પૂરુની યુવાની મેળવીને,તે યયાતિ વિષયભોગો ભોગવવા લાગ્યો.

યચેચ્છાએ,યોગ્ય ઉત્સાહે,કાળાનુસાર,સુખપૂર્વક અને ધર્મના અવિરોધે,ઉચિત રીતે તે વિષયસેવન કરવા માંડ્યો.

યજ્ઞોથી દેવોને,શ્રાદ્ધથી પિતૃઓને,દાનથી દીનોને,મનોરથપુર્તિથી બ્રાહ્મણોને,ખાનપાનથી અતિથિઓને,

પરિપાલનથી વૈશ્યોને,દયાથી શુદ્રોને,ઝાપટાથી ચોરડાકૂઓને અને ધર્મથી સર્વ પ્રજાને,પ્રસન્ન કર્યા (1-4)

Jan 26, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-078

 
અધ્યાય-૮૪-પુરુએ યયાતિની વૃદ્ધતા સ્વીકારી 

II वैशंपायन उवाच II जरां प्राप्य ययातिस्तु स्वपुरं प्राप्य चैव हि I पुत्रं ज्येष्ठं वरिष्ठं च यदुमित्यब्रविद्वाच  II १ II

વૈશંપાયન બોલ્યા-વૃદ્ધત્વને પામીને પછી,તે યયાતિ પોતાના નગરે પાછો ગયો,

અને પોતાના મોટા અને શ્રેષ્ઠ પુત્ર યદુને બોલાવીને તેને તે કહેવા લાગ્યો કે-

બેટા,કવિપુત્ર ઉશના (શુક્રાચાર્ય)ના શાપે,મને ઘડપણ લાગ્યું છે,પણ યૌવનથી હું હજી તૃપ્ત થયો નથી,

તું જો મારા ઘડપણ ને પાપને સ્વીકારી લે,તો તારી યુવાનીથી હું વિષયભોગો ભોગવું.હજાર વર્ષ પૂરાં થતાં,

હું તને તારી યુવાની પાછી આપી દઈને મારુ ઘડપણ અને પાપો પાછાં લઇ લઈશ (1-4)

Jan 25, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-077

અધ્યાય-૮૩-યયાતિ રાજા શાપથી વૃદ્ધ થયો 


II वैशंपायन उवाच II श्रुत्या कुमारं जातं तु देवयानि शुचिस्मिता I चिन्तयामास दुःखार्तो शर्मिष्ठां भारत  II १ II

વૈશંપાયન બોલ્યા-હે ભારત,શર્મિષ્ઠાને ત્યાં પુત્રજન્મ થયેલો સાંભળીને,

શુદ્ધ-સ્મિત દેવયાની,દુઃખ પામી,તેણે શર્મિષ્ઠા વિષે વિચાર કર્યો,ને પછી તેની પાસે જઈને 

તે બોલી કે-હે શર્મિષ્ઠા,કામથી લોભાઈને તેં આ કેવું પાપ કર્યું છે?

Jan 24, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-076

 
અધ્યાય-૮૨-દેવયાની અને શર્મિષ્ઠાને સંતાન પ્રાપ્તિ 

II वैशंपायन उवाच II ययातिः स्वपुरं प्राप्य महेन्द्रपुरसन्निभम् I प्रविष्यांत:पुरं तत्र देवयानीं न्यवेशयत्  II १ II

વૈશંપાયન બોલ્યા-ઇન્દ્રપુરી જેવી,પોતાની નગરીમાં આવીને રાજા યયાતિએ,દેવયાનીને પોતાના અંતઃપુરમાં નિવાસ આપ્યો અને દેવયાનીની સંમતિ પ્રમાણે શર્મિષ્ઠાને,અશોકવનની પાસે ઘર કરાવીને તેમાં વાસ આપ્યો.

વળી,સહસ્ત્ર દાસીઓથી ઘેરાયેલી શર્મિષ્ઠાને,વસ્ત્ર-ખાનપાન આદિની વ્યયવસ્થાથી સત્કારવામાં આવી.

યયાતિએ અનેક વર્ષ સુધી દેવયાની સાથે સુખ ને આનંદમાં વિહાર કર્યો.

ઋતુકાળ આવતાં,દેવયાનીએ ગર્ભ ધારણ કર્યો,ને પહલે ખોળે એક કુમાર (પુત્ર)નો જન્મ આપ્યો.(1-5)