Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Feb 22, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-102

અધ્યાય-૧૧૦-ધૃતરાષ્ટ્રનાં ગાંધારી સાથે લગ્ન
II भीष्म उवाच II गुणैः समुदितं सभ्यगिदं नः प्रथितं कुलं I अत्यन्यान्प्रुथिवीपालान् पृथिव्यामधिराज्यभाक्II १ II
ભીષ્મ બોલ્યા-આપણું આ પ્રસિદ્ધ કુળ,સારી રીતે ગુણોથી પ્રકાશી રહ્યું છે,અને બીજા પૃથ્વીપાલો કરતાં,તે પૃથ્વીમાં અધિરાજય ભોગવે છે.આપણા આ કુળને પૂર્વે,ધર્મજ્ઞ રાજાઓએ રક્ષ્યુ છે અને આ લોકમાં કદી પણ ઉચ્છેદ પામ્યું નથી.મેં,સત્યવતી ને મહાત્મા વ્યાસે,કુળના તંતુઓરૂપ એવા તમારામાં તેને ફરીવાર સંસ્થાપિત
કર્યું છે.આથી,મારે તેમ જ તમારે નિઃસંશય એવું કરવું જોઈએ કે જેથી આ કુળ વિશાલ વૃદ્ધિ પામે.
Feb 21, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-101

અધ્યાય-૧૦૯-પાંડુનો રાજ્યાભિષેક
II वैशंपायन उवाच II तेपु त्रिपु कुमारेषु जातेषु कुरुजांगलं I कुरुवोSथ कुरुक्षेत्रं त्रयवेत दवर्धत II १ II
તે ત્રણ કુમારો (ધૃતરાષ્ટ્ર-પાંડુ-વિદુર) જન્મતાં,કુરુઓ અને કુરુજાંગાલ તથા કુરુક્ષેત્ર-એ ત્રણે ઉન્નતિને પામ્યાં.
ભૂમિ ધાન્યવાળી ને ધાન્ય રસવાળાં થયાં.ઋતુએ વરસાદ વરસવા લાગ્યો,વૃક્ષો ફૂલ-ફળ ને રસ વાળા થયાં.
પશુ-પંખીઓ આનંદિત થયાં,વણિકો ને શિલ્પીઓથી નગરો ભરાઈ ગયાં.શૂરવીર,વિદ્વાનો અને સંતો સુખસંપન્ન થયા,
ત્યારે કોઈ ચોરી થતી નહોતી,અધર્મ થતો નહોતો,ને રાજ્યના સર્વ પ્રદેશોમાં સતયુગ વર્તતો હતો.(1-5)
Feb 20, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-100

અધ્યાય-૧૦૭-માંડવ્ય-ઋષિનું ઉપાખ્યાન
II जनमेजय उवाच II किं कृतं कर्म धर्मेण येन शापमुपेयिवान I कस्य शापाश्च ब्रह्मर्पे: शूद्रयोनायजायत II १ II
જન્મેજય બોલ્યા-ધર્મે એવું તે કયું પાપ કર્યું હતું કે,જેથી તે શાપ પામ્યા હતા?
કયા બ્રહ્મર્ષિના શાપથી તે શૂદ્રયોનિમાં જન્મ્યા હતા?
વૈશંપાયન બોલ્યા-માંડવ્ય નામના એક તપોનિષ્ઠ બ્રાહ્મણ હતા,કે જે આશ્રમના બારણામાં આવેલ
એક ઝાડના મૂળ આગળ હાથ ઊંચા રાખીને મૌનવ્રતમાં,લાંબા કાળ સુધી તપ કરી રહ્યા હતા.
Feb 18, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-099

અધ્યાય-૧૦૬-ધૃતરાષ્ટ્ર,પાંડુ તથા વિદુરની ઉત્પત્તિ
II वैशंपायन उवाच II ततः सत्यवती काले वधूं स्नातामृतौ तदा I संवेशयन्ति शयने शनैर्वचन मव्रवित् II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,ઋતુકાળે સ્નાનશુદ્ધ થયેલી,પુત્રવધુને,શયનગૃહમાં પ્રવેશ કરાવતાં,સત્યવતી ધીરેથી બોલી-'હે કૌશલ્યા,તારા પતિનો એક ભાઈ છે,તે આજે તારા ગર્ભમાં પુત્રરૂપે પ્રવેશશે.તું એકચિત્તે તેની રાહ જોજે,મધરાતે તે આવશે જ' સાસુનું આવું વચન સાંભળી,કૌશલ્યા શય્યામાં સૂતી અને ભીષ્મ ને બીજા
કુરુસિંહોનુ ચિંતન કરવા લાગી.દીવાઓ ઝગમગી રહ્યા હતા ત્યારે,વ્યાસજી શયનગૃહમાં પ્રવેશ્યા (1-4)