અધ્યાય-૧૧૮-પાંડુરાજાને શાપ
II जनमेजय उवाच II कथितो धार्तराष्ट्राणामार्पः संभव उत्तमः I अमनुष्यो मनुष्याणां भवत ब्रह्मवादिना II १ II
જન્મેજય બોલ્યા-હે બ્રહ્મવાદીન,માનવોમાં અમાનવ એવી ધૃતરાષ્ટ્ર પુત્રોની શ્રેષ્ઠ ઉત્પત્તિ કથા કહી,તે મેં સાંભળી,
હવે તમે પાંડવોની વાત કહો.(આગળ) અંશાવતરણ પર્વમાં,તમે કહ્યું હતું કે-તે સર્વે માહતામો,ઈંદ્રરાજ જેવા પરાક્રમી ને દેવાંશી હતા.તો તેઓના જન્મથી માંડીને બધું હું સાંભળવા ઈચ્છું છું (1-4)