અધ્યાય-૧૨૨-કુંતીને પુત્રોત્પત્તિની આજ્ઞા
II वैशंपायन उवाच II एवमुक्त स्तया राजा तां देवीं पुनरन्नवीत I धर्मविद्वर्मसंयुक्तमिदं वचनमुतमम II १ II
વૈશંપાયન બોલ્યા-કુંતીએ આમ કહ્યું એટલે રાજાએ કુંતીને ધર્મયુક્ત ઉત્તમ વચન કહ્યાં.
પાંડુ બોલ્યા-પૂર્વે,વ્યુષિતાશ્વે,તેં કહ્યું તે જ પ્રમાણે કર્યું હતું.કેમ કે તે દેવતુલ્ય હતો.હવે,તું.ધર્મજ્ઞ અને
મહાત્મા ઋષિઓએ જે પુરાતન ધર્મતત્વ જોયું હતું,તે સાંભળ.હે સુવદના,કહે છે કે-પૂર્વે સ્ત્રીઓને
કોઈ જાતનું બંધન નહોતું.ઈચ્છા પ્રમાણે ઘૂમનારી ને વિહાર કરનારી તે સ્ત્રીઓ સ્વતંત્ર હતી.(1-4)