
અધ્યાય-૧૨૪-નકુલ અને સહદેવનો જન્મ
II वैशंपायन उवाच II कुंतीपुत्रेषु जातेषु धृतराष्ट्रात्मजेषु च I मद्रराजसुता पांडु रहो वचनमव्रवित II १ II
વૈશંપાયન બોલ્યા-કુંતીપુત્રો અને ધૃતરાષ્ટ્રના પુત્રો જન્મતાં,માદ્રીએ,પાંડુને એકાંતમાં આ વચન કહ્યું કે-
હે પરંતપ,તમે પુત્રોત્પાદન માટે અસમર્થ થયા છે,તેનો મને સંતાપ નથી,કે કુંતીથી હું અશ્રેષ્ઠ રહું છું,તેનો
પણ મને ખેદ નથી,ગાંધારીને સો પુત્રો થયા તેનું પણ મને દુઃખ થતું નથી,તેમ છતાં,મને વાંઝિયાપણું રહ્યું છે,
તેનું મને મહાદુઃખ છે.હવે કુંતીને ય સંતતિ છે,તો તે મને પણ સંતતિ થાય,એવું કરે તો મારા પર કૃપા થશે.
ને તમારું પણ હિત થશે.કુંતી શોક્ય હોવાથી હું તેને કહેતાં અકળાઉં છું,
પણ જો તમે મારા પર પ્રસન્ન હો તો,તમે પોતે જ કુંતીને પ્રેરો (કે જેથી તે મને મંત્રદાન કરે)(1-6)


