અધ્યાય-૧૪૭-લાક્ષાગૃહમાં સુરંગ ખોદાવી
II वैशंपायन उवाच II विदुरस्य सुह्रत् कश्चित् खनकः कुशलो नरः I विविक्ते पाण्डवात्राजन्निदं वचनमब्रवीत II १ II
વૈશંપાયન બોલ્યા-હે રાજન,ત્યારે,વિદુરના જાણકાર,એક ખાણિયાએ,પાંડવોને એકાંતમાં કહ્યું કે-
'મને વિદુરે મોકલ્યો છે,હું ખોદકામમાં કુશળ છું,તેમણે મને કહ્યું છે કે-'મારે પાંડવોનું પ્રિય કરવું'
તો તમે કહો કે હું તમારું શું કામ કરું? અંધારિયાની ચૌદશની રાત્રે,પુરોચન તમારા ભવનના દ્વારે અગ્નિ મુકશે,
તમને માતા સાથે બાળી મુકવા-એવી દુર્યોધનની ગોઠવણ છે.હે પાંડવ,વિદુરે તમને મ્લેચ્છ વાણીમાં કંઇક કહ્યું હતું,ત્યારે તમે 'હું સમજી ગયો' એવો જવાબ આપ્યો હતો.આ મારા પર વિશ્વાસ મુકવાના કારણરૂપ છે (1-6)