II वैशंपायन उवाच II धृष्टध्युम्नस्तु पांचाल्यः पुष्ठतः कुरुनन्दनौ I अन्वगच्छत्तदयांतौ भार्गवस्य निर्वेशने II १ II
વૈશંપાયન બોલ્યા-ભીમ ને અર્જુન એ કુરુનંદનો કુંભારને ઘેર જતા હતા ત્યારે,પાંચાલપતિનો પુત્ર ધૃષ્ટદ્યુમ્ન પણ તેમની પાછળ પાછળ ગયો હતો.કોઈ તેને ઓળખે નહિ,તેમ તે પોતે કુંભારના ઘરની નજીકમાં સંતાઈ રહ્યો હતો,
ને ચોમેર તેણે,પોતાના માણસોની ચોકી બેસાડી હતી.(1-2)
