II भीष्म उवाच II न रोचते विग्रहो मे पाण्डुपुत्रैः कथंचन I यथैव धृतराष्ट्रो मे तथा पाण्डुरसंशयम् II १ II
ભીષ્મ બોલ્યા-પાંડુપુત્રો સાથે મને કોઈ પણ રીતે વિગ્રહ રુચતો નથી.જેમ,ધૃતરાષ્ટ્ર મારો છે,તેમ પાંડુ પણ મારો છે.
જેમ,ગાંધારીપુત્રો મારા છે તેમ,કુંતીપુત્રો પણ મારા છે.મારે તે બંનેને રક્ષવાના છે.હે રાજા,તેઓ જેમ મારા છે તેમ,તેઓ તારા,દુર્યોધનના અને અન્ય કુરુઓના છે.ને તેથી જ તેમની સાથે વિગ્રહ કરવો યોગ્ય નથી.
તે વીરો સાથે સંધિ કરીને તેમને અડધું રાજ્ય આપો કેમ કે આ રાજ્ય તેમના પણ બાપદાદાઓનું છે.

