Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Aug 21, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-276
અધ્યાય-૬૯-ભીષ્મનાં વચન
II द्रौपदी उवाच II पुरस्तात करणीयं मे न कृतं कार्यमुत्तमम् I विहवलास्मि कृतानेन कर्पता वलिना वलात II १ II
દ્રૌપદી બોલી-હે નીચ,દુર્બુધ્ધિ દુઃશાસન,થોભી જા,મેં હજુ પ્રથમ જ કરવા જેવું ઉત્તમ કાર્ય કર્યું નથી,હે કુરુશ્રેષ્ઠો,
આ બળિયો,મને બળપૂર્વક ખેંચી રહ્યો હતો એટલે હું વિહવળ થઇ ગઈ છું,તેથી મારે જે તમને પ્રણામ કરવાં હતા
તે હું કરી શકી નથી,તે તેમાં મારો અપરાધ નથી,તમને મારા પ્રણામ હો' આમ છતાં પણ,દુઃશાસને તે દ્રૌપદીને જોરપૂર્વક ઢંઢોળી નાખી,એટલે તે દુઃખ વડે જમીન પર ગબડી પડીને વિલાપ કરવા લાગી.(4)
Aug 20, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-275
અધ્યાય-૬૮-દ્રૌપદીવસ્ત્રાહરણ
II भीमउवाच II भवंति गेहे र्वधक्यः कितवानां युधिष्ठिर I न तामिरुत दीव्यन्ति दया चैवास्ति तास्वपि II १ II
ભીમ બોલ્યો-હે યુધિષ્ઠિર,જુગારીઓને ઘેર દાસીઓ તો હોય છે,પણ તેમને તેઓ દાવમાં મૂકીને ખેલતા નથી,
અને તે દાસીઓ પ્રત્યે તેમને દયા તો હોય જ છે.કાશીરાજ ને બીજા રાજાઓએ જે ઉત્તમ ભેટો,ધન,રત્નો,
વાહનો,કવચો,આયુધો આદિને, વળી,અમને અને તમે પોતાને પણ જુગારમાં હારી ગયા,તે માટે મને ગુસ્સો થયો નથી,કેમકે તમે અમ સર્વના સ્વામી છો,પણ,તમે જ્યારે દ્રૌપદીને હોડમાં મૂકી,ત્યારે હું માનું છું કે તમે મર્યાદા મૂકી છે.કેમ કે આ દ્રૌપદી તેને યોગ્ય તો નથી જ.પાંડવોને પતિ તરીકે પામીને,એ માત્ર તમારા જ કારણે,આ નીચ,ઘાતકી અને દુષ્ટ વિચારવાળા કૌરવોથી અત્યારે ક્લેશ પામી રહી છે,ને તેની આ દશા થઇ ગઈ છે.અને તે જ કારણે મારે આ કોપ તમારા પર કરવો પડે છે,તમારા બેઉ હાથોને હું બાળી મુકવા માગું છું,હે સહદેવ અગ્નિ લઇ આવ.(6)
Aug 19, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-274
અધ્યાય-૬૭-સભા વચ્ચે દ્રૌપદી
II वैशंपायन उवाच II धिगस्तु क्षत्तारमिति ब्रुवाणो दर्पेण मत्तो धृतराष्ट्र पुत्र I
अवैक्षत प्रतिकामीं सभाया मुवाच चैनं परमार्यमध्ये II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,મદથી છકી ગયેલા,ધૃતરાષ્ટ્રપુત્ર દુર્યોધને,વિદુરને 'ધિક્કાર હો' એમ કહ્યું અને સભામાં બેઠેલા પ્રાતિકામી નામે સારથી સામે જોઈને,તે આર્યોની સભાની મધ્યમાં તેને કહેવા લાગ્યો કે-
'હે પ્રાતિકામી,તું દ્રૌપદીને અહીં લઇ આવ,તને પાંડવોનો ભય નથી,આ દાસીપુત્ર ડરી ગયો છે,
એટલે અવળી વાતો બોલે છે,કેમ કે તે અમારી ચડતી થાય એમ કદી ઈચ્છતો નથી' (2)