Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Dec 11, 2023
Sundarkaand-By Mukesh-With Gujarati Lyrics-સુંદરકાંડ-મુકેશ ના સ્વરમાં -ગુજરાતી શબ્દો સાથે
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-363
અધ્યાય-૭૬-નળ દમયંતીનું મિલન
II बृहदश्च उवाच II सर्व विकारं द्रष्टा तु पुण्यश्लोकस्य धीमतः I आगत्य केशिनी सर्व दमयन्त्यै न्यवेदयत II १ II
બૃહદશ્વ બોલ્યા-'પછી,તે કેશિની,પુણ્યશ્લોક નળના સર્વ વિકારો જોઈને પાછી આવીને દમયંતીને સર્વ વાત કહી સંભળાવી.એટલે દુઃખાતુર દમયંતીએ માતાને કહ્યું કે-મેં નળની શંકાથી બાહુકની ઘણી બધી પરીક્ષા કરી છે,માત્ર તેના રૂપ વિષે જ સંશય રહ્યો છે તે હું પોતે જાણી લેવા ઈચ્છું છું,એટલે પિતાને જણાવીને,તેને મળવાની ગોઠવણ કર' ત્યાર બાદ માતા અને પિતાએ ખુશીથી રજા આપી ને નળને દમયંતીના આવાસ પર મોકલ્યો.
Dec 10, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-362
અધ્યાય-૭૫-બાહુક અને બાળકોની ભેટ
II बृहदश्च उवाच II दमयन्ति तु तच्छ्रुत्वा भृशं शोकपरायणा I शंकमाना नलं तं वै केशिनीमिदमब्रवीत II १ II
બૃહદશ્વ બોલ્યા-તે સાંભળીને દમયંતી અતિ શોકપરાયણ થઇ પણ 'તે નળ જ છે' એવી શંકા કરીને તેણે કેશિનીને કહ્યું કે-'હે કેશીની,તું ફરી જા અને કશું પણ બોલ્યા વિના તેની પાસે ઉભા રહી તેના ચરિત્રો જોજે.તે આગ્રહપૂર્વક અગ્નિ ને જળ માગે તો પણ તે તું તેને તત્કાળ આપીશ નહિ.ને તેનામાં જે કોઈ દૈવી કે માનુષી ચિહ્નન તારા જોવામાં આવે તે તું મને અહીં આવીને કહેજે' ત્યારે કેશીની ત્યાં ગઈ ને લક્ષણો તપાસીને પાછી આવીને બોલી કે-
Dec 9, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-361
અધ્યાય-૭૪-નળ ને દાસી કેશિનીનો સંવાદ
II दमयन्ती उवाच II गच्छ केशिनि जानीहि क एय रथवाहक I उपविष्टो रथोपस्ये विकृतो ह्रस्वबाहुकः II १ II
દમયંતી બોલી-'હે કેશીની,તું જા અને રથ પર જે ટૂંકા હાથવાળો ને બેડોળ સારથી બેઠો છે તેની ભાળ કાઢ.
તું તેની પાસે સ્વસ્થતાપૂર્વક જઈને તેના કુશળ સમાચાર પૂછજે.મારા મનમાં જે સંતોષ ને હૃદયમાં જે સુખ થાય છે તેથી મને શંકા પડે છે કે તે પુરુષ નળરાજા હશે.હે દાસી,વાતચીત થઇ રહ્યા પછી તું પર્ણાદને કહેલાં મારા વચનો તેને સંભળાવજે ને ત્યારે તે જે ઉત્તર આપે તે તું બરોબર ધ્યાનમાં રાખીને મને આવીને કહેજે.'
Dec 8, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-360
અધ્યાય-૭૩-કુંડિનપુરમાં રાજા ઋતુપર્ણ
II बृहदश्च उवाच II ततो विदर्भान्संप्राप्तं सायाह्ये सत्यविक्रमं I ऋतुपर्ण जना राज्ञे भीमाय प्रत्यवेदयन II १ II
બૃહદશ્વ બોલ્યા-'સત્યપરાક્રમી ઋતુપર્ણ વિદર્ભનગરી પહોંચ્યો,ત્યારે સેવકોએ રાજા ભીમને તેના સમાચાર આપ્યા.ભીમના આદેશથી ઋતુપર્ણ રાજાએ કુંડિનનગરીમાં પ્રવેશ કર્યો.રથઘોષથી નળે,સર્વ દિશાઓને ગજવી મૂકી.દમયંતીએ પણ તે ઘોષ સાંભળ્યો ને તે પરમ આશ્ચર્ય પામી કેમ કે પૂર્વે જયારે નળ અશ્વોને હાંકતા હતા તે સમયના જેવો જ તે ઘોષ હતો.ઘોડાઓ,હાથીઓ ને મોરો પણ મોં ઊંચાં કરી નાદ કરવા લાગ્યા.(7)



