તીર્થયાત્રા પર્વ
અધ્યાય-૮૦-અર્જુન સંબંધી શોકોદગાર
II जनमेजय उवाच II भगवन्काम्यकारपार्थे गते मे प्रपितामहे I पांडवा: किमकुर्वस्ते तमृते सव्यसाचिन् II १ II
જન્મેજય બોલ્યા-હે ભગવન,મારા પ્રપિતામહ પૃથાનંદન અર્જુન કામ્યક વનમાંથી ગયા,ત્યારે તે પાંડવોએ એ સવ્યસાચી અર્જુન વગર શું કર્યું?કેમકે જેમ,વિષ્ણુ,એ આદિત્યોના ગતિરૂપ છે તેમ,અર્જુન,એ પાંડવોના ગતિરૂપ હતા તેમ મને લાગે છે,અર્જુન વિના તે મહાત્માઓ વનમાં કેવી રીતે રહ્યા હતા? (3)


