અધ્યાય-૧૩૦-તીર્થનિર્દેશ તથા બાજ અને હોલાનું આખ્યાન
II लोमश उवाच II इह मर्त्यातनुस्त्यत्तवा स्वर्ग गच्छन्ति भारत I मर्तुकामा नरा राजन्निहायान्ति सहस्त्रशः II १ II
લોમશ બોલ્યા-'હે ભારત,અહીં શરીર છોડીને માણસો સ્વર્ગમાં જાય છે,તેથી અહીં મરણ પામવાની ઈચ્છાથી હજારો માનવો આવે છે.પૂર્વે યજ્ઞ કરતા દક્ષે આવો આશીર્વાદ છોડ્યો છે 'જે મનુષ્યો અહીં મૃત્યુ પામશે
તેઓ સ્વર્ગજિત થશે' હે પૃથ્વીનાથ,આ રમણીય સરસ્વતી નદી છે,આ દિવ્ય ઓઘવતી નદી છે
અને આ સરસ્વતીનું વિનશન તીર્થ છે.આ નિષાદદેશનું દ્વાર છે.'આ નિષાદો,રખેને મને ઓળખી કાઢે'
એવા વિચારથી તે નિષાદોના દોષને લીધે સરસ્વતી પૃથ્વીમાં પેસી ગઈ છે (4)


