Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Apr 14, 2024
મસ્ત પવન-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-486
અધ્યાય-૨૦૨-ઉત્તંકનો બૃહદશ્વને ઉપદેશ
II मार्कण्डेय उवाच II इक्ष्वाकौ संस्थिते राजन शशादः पृथिवीमिमाम् I प्राप्तः परमधर्मात्मा सोयोध्यायां नृपोभवत II १ II
માર્કંડેય બોલ્યા-હે રાજન,ઇક્ષ્વાકુ રાજા અવસાન પામ્યો ત્યારે અયોધ્યામાં પરમ ધર્માત્મા શશાદ રાજા થયો.
તેને કકુસ્થ નામે પુત્ર થયો,જેને અનેના,અનેનાને પૃથુ,પૃથુને વિશ્વગશ્વ,વિશ્વગશ્વને અદ્રિ.અદ્રિને યુવનાશ્વ.
યુવનાશ્વને શ્રાવ.શ્રાવને શ્રાવસ્તક,શ્રાવસ્તકને બૃહદશ્વ ને એ બૃહદશ્વને કુવલાશ્વ નામે પુત્ર થયો હતો.
યોગ્ય સમયે,બૃહદશ્વ,પુત્ર કુવલાશ્વને રાજ્યગાદી સોંપી વનમાં જવા નીકળવા તૈયાર થયા હતા તે વખતે,
મહાતેજસ્વી ઉત્તંક તેમની પાસે ગયા ને તેમને રોકીને કહેવા લાગ્યા કે-(10)
Apr 13, 2024
વાંક કોનો-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-485

અધ્યાય-૨૦૧-ધુંધુમારનું આખ્યાન-ઉત્તંકને વરપ્રાપ્તિ
II वैशंपायन उवाच II श्रुत्वा तु राजा राजर्षेरिंद्रध्युम्नस्य तत्तया I मार्कण्डेयान्महाभागत् स्वर्गस्य प्रतिपादनम् II १ II
વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે,યુધિષ્ઠિરરાજે,માર્કંડેય પાસેથી રાજર્ષિ ઇંદ્રદ્યુમ્નને ફરીથી થયેલી સ્વર્ગપ્રાપ્તિ વિશે
સાંભળ્યું.પછી તેમણે માર્કંડેયને પૂછ્યું કે-હે ધર્મજ્ઞ,દેવો,દાનવો,રાક્ષસો,વિવિધ રાજવંશો,ઋષિવંશો એ બધા તમારી જાણમાં છે.આ લોકમાં તમને કશું અજાણ્યું નથી.તમે તેમની સર્વ કથાઓ જાણો છો,તે હું તત્ત્વપૂર્વક સાંભળવા ઈચ્છું છું.ઇક્ષ્વાકુ વંશમાં કુવલાક્ષ નામે જે પ્રસિદ્ધ રાજા થયો હતો તેનું નામ ફેરવાઈને શા માટે ધુંધુમાર પડ્યું હતું?


