May 17, 2024

ઝૂમતો-By અનિલ શુક્લ

 

ચૂપચાપ આવી કાનમાં,મધુરી તાનને મીઠાશથી છેડી ગયું છે કોણ?
ઉઠ્યા તાર ઝણઝણી દિલના,ને સૂરાવલી સંગીત ની વહેતી લાગે !!

વ્હાણું તો હજી થયું નથી,ને વાંસળી ની ધૂન રેલાવી ગયું છે કોણ ?
નથી ફૂંક,નથી પવન, તો ક્યાંથી સૂરાવલી સંગીત ની વહેતી લાગે ?

આંખ તો હજી ખોલી નથી ને,આવીને ભભૂતિ લગાવી ગયું છે કોણ?
લેપાઈ ગયેલો એ પવન,આશ્ચર્યમાં કે સ્તબ્ધ બની ગયો લાગે !!

રહી નથી શિકાયત કોઈ,તકરાર પણ કેવી? આવી જ ગયા તો જશો નહિ,
ના છોડજો,રહી જાજો,જૂઓ,ને,આ અનિલ ઝૂમતો ને મગન થયેલો લાગે!!

અનિલ શુક્લ 
18 નવેમ્બર 2014

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-519

 

અધ્યાય-૨૫૦-કર્ણનો દુર્યોધનને ઉપદેશ 


II कर्ण उवाच II राजन्नाद्यावगच्छामि तवेह लघुमत्वनाम् I किमत्र चित्रं यद्वीर मोक्षितः पाण्डवैरसि II १ II

કર્ણ બોલ્યો-હે રાજન,આજે આ પ્રસંગે,મને તો તમારી કશી નિર્બળતા જણાતી નથી,તમે એકાએક શત્રુઓના હાથમાં જઈ પડ્યા ને પાંડવોએ તમને છોડાવ્યા,તેમાં શું આશ્ચર્ય છે? ઘણીવાર રાજા યુદ્ધમાં પકડાઈ જાય તો તેમના સૈનિકો એને છોડાવે છે,કેમ કે જે સૈનિકો છે તેમણે રાજાના માટે યોગ્ય પ્રયત્ન કરવો જ જોઈએ.

આમ તમારા રાજ્યમાં રહેલા પાંડવોએ તમને છોડાવ્યા છે તેમાં તમારે શોક શા માટે કરવો જોઈએ?

May 16, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-518

અધ્યાય-૨૪૯-દુર્યોધનનો મરણ માટે નિર્ણય 


II दुर्योधन उवाच II चित्रसेनं समागम्य प्रहसन्नर्जुनस्तदा I इदं वचनमकीवमन्ववित्परवीरहा II १ II

દુર્યોધન બોલ્યો-ચિત્રસેનને અર્જુન કહેવા લાગ્યો કે-'હે વીર,તારે મારા ભાઈઓને છોડી દેવા ઘટે છે કેમ કે જ્યાં સુધી પાંડુપુત્રો જીવતા હોય ત્યાં સુધી કોઈ એમની દુર્દશા કરે તે બની શકે નહિ' હે કર્ણ,આપણે જે વિચાર કરીને 

હસ્તિનાપુરથી નીકળ્યા હતા કે-'સુખથી રહિત થયેલા તે પાંડવોને આપણે તેમની પત્ની સાથે જોઈશું' 

તે વિચાર તે સમયે ચિત્રસેને અર્જુનને કહી દીધો.ત્યારે હું શરમાઈ ગયો ને મને થયું કે ભૂમિ માર્ગ આપે તો સમાઈ જાઉં

પછી યુધિષ્ઠિર પાસે જઈ,ત્યાં અમને બંદીવાન તરીકે રજુ કરવામાં આવ્યા ને આપણી દુષ્ટ વાત વિષે પણ તેમને જાણ કરવામાં આવી.તે સમયે હું બેડીમાં હતો ને એવી દશામાં સ્ત્રીઓની ને દ્રૌપદી સમક્ષ મને યુધિષ્ઠિર પાસે લઇ જવામાં આવ્યો-આથી વિશેષ બીજું દુઃખ કયું હોઈ શકે?

May 15, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-517

 

અધ્યાય-૨૪૭-દુર્યોધન અને કર્ણનો સંવાદ 


II जनमेजय उवाच II शत्रुभिर्जितवद्वस्य पन्द्वैश्च महात्मभिः I मोक्षितस्य युधा पश्चान्मानिन: सुदुरात्मनः II १ II

જન્મેજય બોલ્યા-તે દુરાત્મા દુર્યોધન,નિત્ય અભિમાની,બડાઈખોર,ઘમંડી અને ગર્વિષ્ટ હતો,ને પાંડવોને હંમેશાં

તુચ્છ ગણતો હતો,શત્રુઓએ તેને હરાવીને બાંધી દીધો હતો ને પાંડવોએ તેને છોડાવ્યો હતો,તો લજ્જાથી ઘેરાયેલા

ને શોકથી વ્યાકુળ થયેલા તેણે હસ્તિનાપુરમાં કેવી રીતે પ્રવેશ કર્યો? તે વિસ્તારથી તમે મને કહો 

May 14, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-516

 

અધ્યાય-૨૪૫-ગંધર્વોનો પરાજય 


II वैशंपायन उवाच II ततो दिव्यास्त्रसंपन्ना गन्धर्वा हेममालिनः I विसृजंतः शरान् दीप्तान्समंतात्पर्यवारयन् II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,દિવ્ય અસ્ત્રોવાળા અને સોનાની માળા ધારણ કરનારા ગંધર્વોએ પાંડવોને ચારે બાજુથી ઘેરી

લીધા ને તેમના પર દેદીપ્યમાન બાણો છોડવા લાગ્યા.હજારો ગંધર્વો સામે પાંડવો તો ચાર જ હતા,છતાં તેમણે રણમાં

આ યુદ્ધ માંડ્યું તે એક આશ્ચર્ય જેવું હતું.ગંધર્વોની સામે પાંડવોએ પણ અનેક બાણોની વૃષ્ટિ કરી.

ને તે આકાશચારીઓ ચારે બાજુથી શરવૃષ્ટિથી ઢંકાઈ ગયા અને પાંડુપુત્રોની નજીક પણ જઈ શક્યા નહિ.