નૃસિંહ ભગવાન પ્રહલાદને સમજાવે છે-કે-“મનુષ્યો સુખી થાય,વિવેકથી ભોગ ભોગવે –એટલે સંસારને મેં સુંદર બનાવ્યો છે.હું સુંદર છું –એટલે મેં બનાવેલો સંસાર પણ મારા જેવો સુંદર થઇ ગયો. એમાં મારો શું વાંક? એ મારી ભૂલ નથી,પણ મનુષ્ય સંસારમાં અતિશય આસક્ત થઇ, મર્યાદા બાજુએ મૂકી, વિવેક રાખતો નથી અને આ સંસારના પદાર્થો ભોગવે છે–અને દુઃખી થાય –તો તે તેમનો દોષ છે. ભૂલ છે.પણ મનુષ્ય જો મર્યાદામાં રહી, વિવેકથી જો સંસારના આ પદાર્થોને ભોગવે તો તે સુખી થાય.”
Page list
- Try our AI
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Jun 22, 2026
Jun 20, 2026
ભાગવત રહસ્ય-૧૭૪-Bhgavat Rahasya-174
પ્રહલાદ નૃસિંહસ્વામીની સ્તુતિ કરે છે-હે નાથ,તમારાં મંગલમય સદગુણોનું હું શું વર્ણન કરું? બ્રહ્માદિ દેવો પણ તમારી લીલાને જાણી શકતા નથી.હવે આપ ક્રોધ ન કરો. મારા પિતા કંટકરૂપ હતા,તેથી આપે તેનો વધ કર્યો,તે સારું થયું.આ તમારું ભયંકર સ્વરૂપ જોઈને દેવોને પણ બીક લાગે છે.પરંતુ મને બીક લાગતી નથી. ખરું કહું તો મને આ સંસારની બીક લાગે છે. સંસારને જયારે હું નિહાળું છું ત્યારે મને ગભરામણ થાય છે.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1156
અધ્યાય-૧૫૮-કર્ણ અને કૃપાચાર્યનો વચનકલહ
II संजय उवाच II उदीर्यमाणं तद्दष्टवा पांडवानां महद्बलम् I अविषह्यं च मन्वानः कर्ण दुर्योधनोब्रवीत II १ II
સંજય બોલ્યો-પાંડવોના મહાન સૈન્યને આગળ વધતું જોઈને તથા તેને સહન કરવું અશક્ય માનીને દુર્યોધને કર્ણને કહ્યું કે-'હે મિત્રવત્સલ,મિત્રોને સહાય કરવાનો આ ખરો સમય આવી પહોંચ્યો છે,તું આપણા સર્વ મહારથીઓનું રક્ષણ કર.જો,આ પાંચાલો,મત્સ્યો,કેકયો અને પાંડવો આપણા મહારથીઓને ચારે બાજુથી ઘેરીને ઉભા છે,ને સિંહનાદો કરી રહ્યા છે'
Jun 19, 2026
ભાગવત રહસ્ય-૧૭૩-Bhgavat Rahasya-173
વિઠ્ઠલનાથજીને દૂધ ધરાવી નામદેવ વારંવાર વિનવણી કરે છે.નામદેવનો પ્રેમ જોઈ વિઠ્ઠલનાથ પ્રસન્ન થાય છે.તે દૂધ પીતા નથી પણ કેવળ પ્રેમથી નામદેવને નિહાળી રહ્યા છે.નામદેવ કહે છે-“હું બાળક છું,આજ સુધી સેવા ન કરી તેથી તમે નારાજ થયા છો?દૂધ કેમ પીતા નથી?જલ્દી દૂધ પીઓ, તમને ભૂખ લાગી હશે.”
“શું ખાંડ ઓછી પડી છે?દૂધ ગળ્યું નથી?એટલે દૂધ નથી પીતા ?”
“શું ખાંડ ઓછી પડી છે?દૂધ ગળ્યું નથી?એટલે દૂધ નથી પીતા ?”
Subscribe to:
Posts (Atom)



