Mar 3, 2012

Gita Saar-Gujarati-ગીતા સાર-૧૫


   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           


અધ્યાય-૧૪ -ગુણત્રયવિભાગ યોગ

કૃષ્ણ –હે અર્જુન,મારી ‘મૂળ પ્રકૃતિ’(મહદ બ્રહ્મ પ્રકૃતિ) 
-એ સર્વ ભૂતોની યોનિ સ્થાન (ગર્ભ સ્થાન) છે.
તેમાં હું જ પિતા તરીકે ચેતન ના અંશ રૂપ બીજ મુકું છું અને હું જ માતા તરીકે ગર્ભ ધારણ કરું છું.જેના થી સર્વ ભૂતોની ઉત્પત્તિ થાય છે (૩-૪)

સત્વ,રજસ અને તમસ એ ત્રણ ગુણો પ્રકૃતિ માં થી ઉત્પન્ન થયેલા છે,અને આ ત્રણ ગુણો, દેહમાં રહેલા અવિનાશી જીવાત્મા ને બાંધે છે.(૫)

સત્વ ગુણ---નિર્મળ અને પ્રકાશક છે,તે ‘સુખ’અને ‘જ્ઞાન’ ના સંગ થી જીવ ને બાંધે છે (૬)

રજોગુણ---આશક્તિ અને રાગ રૂપ છે,તે ‘કર્મ’ ના સંગ થી જીવ ને બાંધે છે(૭)

તમોગુણ---અજ્ઞાન અને મોહ રૂપ છે,તે ‘પ્રમાદ,આળસ અને નિંદ્રા’ વડે જીવ ને બાંધે છે(૮)

રજોગુણ ને તમોગુણ ને દબાવી સત્વગુણ વૃદ્ધિ પામે છે,
જેના થી જ્ઞાન ઉત્પન્ન થાય છે,અને દેવગતિ ની પ્રાપ્તિ થાય છે. 

સત્વગુણ અને તમોગુણ ને દબાવી રજોગુણ વૃદ્ધિ પામે છે,જેનાથી આશક્તિ (લોભ) ઉત્પન્ન  થાય છે,
અને મનુષ્ય ગતિ પ્રાપ્ત થાય છે . 

સત્વગુણ અને રજોગુણ ને દબાવી તમોગુણ ઉત્પન્ન થાય  છે,જેનાથી મોહ –અજ્ઞાન ઉત્પન્ન થાય છે,અને અધોગતિ પ્રાપ્ત થાય છે.(૧૦-૧૮)

જયારે તત્વજ્ઞ –જ્ઞાની મનુષ્ય,- ગુણો કરતાં બીજા કર્તા ને જાણતો નથી પણ ગુણો થી પર એવા આત્મા ને જાણે છે,ત્યારે તે મારા સ્વરૂપ ને પ્રાપ્ત કરે છે (૧૯)

જે મનુષ્ય ઉપરના ત્રણે ગુણોથી થનારા –પ્રકાશ,પ્રવૃત્તિ અને મોહ ને માનતો નથી,અને કાર્યોની નિવૃત્તિ થતાં તેમની ઈચ્છા કરતો નથી,કશું પણ કરતો નથી અને ઉદાસીન ની માફક પોતાના સ્વરૂપમાં સ્થિર રહે છે,
’ગુણો જ ગુણો માં પ્રવર્તે છે’ એવું સમજી સુખ-દુઃખ ને સમાન માને છે,સ્વસ્થ રહે છે,માટી-પથ્થર-સોનાને સમાન ગણે છે,પ્રિય-અપ્રિય,નિંદા-સ્તુતિ, માન-અપમાન માં નિર્વિકાર રહે છે,શત્રુ-મિત્ર માં સમ-ભાવે રહે છે,
અને બધા કર્મો ના આરંભ નો જેને ત્યાગ કર્યો છે,તે ‘ગુણાતીત’ કહેવાય છે. (૨૨-૨૫)


જે મનુષ્ય એકનિષ્ઠ ભક્તિયોગ વડે મને ઉપાસે છે,તે આ ત્રણે ગુણોથી પર થઇ ‘બ્રહ્મભાવ’ પામવા યોગ્ય બને છે(૨૬)
   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય 
સંત જ્ઞાનેશ્વરે માત્ર ૧૫ વર્ષ ની ઉંમરે લખેલી ભગવદગીતા ની ટીકા “ભાવાર્થદીપિકા”
જે “જ્ઞાનેશ્વરી ગીતા” તરીકે પ્રખ્યાત છે-તેના ઉપર આધારિત-.

 GO TO PAGE-1 

Mar 2, 2012

ડોંગરેજી-ભાગવત-વીડીઓ-28



  PREVIOUS VIDEO            NEXT VIDEO                INDEX PAGE                           



ડોંગરેજી-ભાગવત-વીડીઓ-27



  PREVIOUS VIDEO            NEXT VIDEO                INDEX PAGE                           



ડોંગરેજી-ભાગવત-વીડીઓ-26



  PREVIOUS VIDEO            NEXT VIDEO                INDEX PAGE                           



Gita Saar-Gujarati-ગીતા સાર-૧૬


   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           


અધ્યાય-૧૫-પુરુષોત્તમ યોગ

સંસાર રૂપી પીપળાના વૃક્ષ ના ‘મૂળ’ ઉપર છે અને શાખા ઓ નીચે છે,તથા તેનો કદી નાશ થતો નથી,એમ કહેવામાં આવે છે.
વેદ ના છંદો તેના પાંદડા છે,આ રહસ્ય ને જાણનાર વેદવેતા છે.(૧)

આ વૃક્ષ ની શાખાઓ ‘સત્વાદિ’ ગુણોથી વધેલી અને ‘વિષયો’રૂપ કુંપળોવાળી હોઈ તે ઉપર અને નીચે પ્રસરેલી છે.તેમજ નીચે મનુષ્ય લોકમાં ‘કર્મ સંબધી’ મૂળો ફેલાયેલા છે.(૨)

જે રીતે આ વૃક્ષ નું વર્ણન કરેલું છે,તેનું શુદ્ધ સ્વરૂપ અનુભવ માં આવતું નથી, અને તેને અંત-આદિ,સ્થિતિ-આદિ પણ નથી. આ બળવાન વૃક્ષનું દ્રઢ  વૈરાગ્ય રુપી શસ્ત્ર થી છેદન કરી પરમ પદ પ્રાપ્ત કરવું જોઈએ,જ્યાંથી પુનઃ પાછા ફરવાનું નથી .

“જેમાંથી અનાદિ પ્રવૃત્તિ ચાલતી આવી છે,તે આદ્ય પુરુષ ને હું શરણે આવ્યો છું” આવી ભાવનાથી તે પરમ પદ ની શોધ કરવી”(૩-૪)

જે મનુષ્ય માન-મોહ થી મુક્ત છે,જેને સંગ-દોષને જીત્યો છે, જેઓ કામના ત્યાગીને નિત્ય પરમાત્મ સ્વરૂપના ચિંતન માં તત્પર રહે છે અને જેઓ સુખ-દુઃખ ના  દ્વંદો થી પર થયેલા છે,તેવા જ્ઞાની અવિનાશી પરમ પદ ને પામે છે.(૬)

આ સંસાર માં મારો જ અંશ. સનાતન જીવરૂપ થઇને,પ્રકૃતિમાં સ્થિત,મન સહિત પાંચ ઈન્દ્રિયોને આકર્ષે છે,એ જીવ જયારે એક દેહ છોડી બીજા દેહ માં જાય છે,ત્યારે વાયુ જેમ આજુબાજુના પદાર્થોની ગંધ લઇ ગતિ કરે છે,તેમ  જીવાત્મા છોડેલા દેહની વાસનાઓ,મન સાથે લઇ જાય છે(૭-૮)

હું વૈશ્વાનર (જઠરાગ્ની)રૂપ થઇ પ્રાણીઓના દેહના આશ્રયે રહી,પ્રાણ તથા અપાન વાયુ થી યુક્ત થઇ,ચાર પ્રકારનું અન્ન પચાવું છું(૧૪)

ક્ષર અને અક્ષર (નાશવંત અને અવિનાશી)એવા બે પુરુષો છે ,જેમાં સર્વ ભૂત ‘ક્ષર’છે અને તેમાં રહેલો
આત્મા ‘અક્ષર’ છે.(કે જે સર્વ ભૂતો ના ઉત્પત્તિ નું કારણ છે) (૧૬)

પણ આ ક્ષર અને અક્ષર બન્ને થી ‘ઉત્તમ પુરુષ’ અલગ છે,જે ‘પરમાત્મા’ ના નામથી ઓળખાય છે,અને વેદ માં તે ‘પુરુષોત્તમ’ નામથી પ્રસિદ્ધ છે(૧૭-૧૮)

જે મનુષ્ય મોહ ત્યાગ કરી ,મને ‘પુરુષોત્તમ’ સ્વરૂપે જાણે છે ,તે સર્વજ્ઞ હોઈ મને સર્વ ભાવથી ઉપાસે છે (૧૯)
આ પ્રમાણે ગુહ્યમાં ગુહ્ય (ગુહ્ય્ ત્તમ )અધ્યાત્મ શાસ્ત્ર તને કહ્યું ,જે જાણી મનુષ્ય આત્મજ્ઞાની અને કૃતાર્થ થાય છે(૨૦)
   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય 
સંત જ્ઞાનેશ્વરે માત્ર ૧૫ વર્ષ ની ઉંમરે લખેલી ભગવદગીતા ની ટીકા “ભાવાર્થદીપિકા”
જે “જ્ઞાનેશ્વરી ગીતા” તરીકે પ્રખ્યાત છે-તેના ઉપર આધારિત-.

 GO TO PAGE-1 

ડોંગરેજી-ભાગવત-વીડીઓ-25



  PREVIOUS VIDEO            NEXT VIDEO                INDEX PAGE