Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Oct 18, 2024
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૫-અધ્યાય -2-Gita Rahasya-Gnaneshvari-5-Adhyaya-2
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-650
અધ્યાય-૧૩-ઇન્દ્ર જડ્યો ને ફરી સંતાયો
II शल्य उवाच II अथ तामब्रवीद्रष्ट्वा नहुषो देवराट् तदा I त्रयाणामपि लोकानामहमिद्रः शुचिस्मिते II १ II
શલ્યે કહ્યું-તે વખતે ઈન્દ્રાણીને જોઈને દેવોનો રાજા નહુષ કહેવા લાગ્યો કે-'હે શુદ્ધ હાસ્યવાળી શચી,હું ત્રણે લોકનો ઇન્દ્ર છું,માટે તું મને પતિ તરીકે સ્વીકાર' ત્યારે ઈન્દ્રાણી ભયથી ઉદ્વેગ પામીને બોલી-'હે સુરેશ્વર,હું તમારી પાસેથી થોડા સમયનો અવધિ માંગવા ઈચ્છું છું.ઇન્દ્રના સંબંધમાં પાકી શોધ કર્યા પછી તે જો તે કોઈ પણ રીતે જડશે નહિ તો હું તમારી પાસે આવીશ,હું આ તમને સત્ય કહું છું' ત્યારે નહુષે કહ્યું કે*'ભલે તેમ થાઓ'
Oct 17, 2024
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૪-અધ્યાય - 2-Gita Rahasya-Gnaneshvari-4-Adhyaya-2
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-649
અધ્યાય-૧૨-કામમોહિત નહુષ પાસે ઈન્દ્રાણી
II शल्य उवाच II क्रुद्धं तु नहुष द्रष्ट्वा देव ऋषिपुरोगमाः I अब्रुवन्देवराजा नहुषं घोरदर्शनम् II १ II
શલ્યે કહ્યું-નહુષને કોપેલો જોઈને દેવો તેને કહેવા લાગ્યા કે-'હે પ્રભો,તમારા કોપવાથી આ જગત ત્રાસ પામે છે,તમે આ કોપનો ત્યાગ કરો.દેવી ઈન્દ્રાણી પારકાની પત્ની છે માટે તમે કૃપા કરો અને પરસ્ત્રીસેવનરૂપી પાપથી તમારા મનને પાછું વાળો.તમારું કલ્યાણ થાઓ,તમે દેવતાઓના રાજા છો માટે ધર્મથી પ્રજાપાલન કરો.'
Oct 16, 2024
ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૩-અધ્યાય - 2-Gita Rahasya-Gnaneshvari-3-Adhyaya-2
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-648
અધ્યાય-૧૧-નહુષને ઇન્દ્ર કર્યો
II शल्य उवाच II ऋषयोथाब्रुवनसर्वे देवाश्व त्रिदशेश्वरा: I अयं वै नहुषः श्रीमान देवराज्ये भिपिच्यताम् II १ II
શલ્યે કહ્યું-પછી,સ્વર્ગાધિપતિ સર્વ દેવો તથા ઋષિઓ બોલ્યા કે -શ્રીમાન નહુષ રાજાનો આ દેવરાજય ઉપર અભિષેક કરો.એ તેજસ્વી અને ધાર્મિક છે' આમ કહી તેઓ નહુષ પાસે જઈને તેમની ઈચ્છા પ્રગટ કરી ત્યારે નહુષે કહ્યું કે-હું દુર્બળ છું,આપનું રક્ષણ કરવાની મારામાં શક્તિ નથી બળવાન હોય તે જ ઇન્દ્ર થઇ શકે છે'
દેવો અને ઋષિઓએ કહ્યું કે-'તમે અમારાં તપોબળથી યુક્ત થઈને સ્વર્ગના રાજ્યનું રક્ષણ કરો'
