Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Apr 30, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-803
અધ્યાય-૧૪૮-શ્રીકૃષ્ણે દ્રોણ,વિદુર અને ગાંધારીનાં વચનો કહ્યાં
II वासुदेव उवाच II भीष्मेणोक्ते ततो द्रोणो दुर्योधनमभाषत I मध्ये नृपाणां भद्रं ते वचनं वचनक्षम: II १ II
વાસુદેવે કહ્યું-ભીષ્મના એ પ્રમાણે કહ્યા પછી,રાજાઓ વચ્ચે બોલવામાં સમર્થ દ્રોણે દુર્યોધનને કહ્યું કે-'હે તાત,પ્રતીપના પુત્ર શાંતનુ,અને દેવવ્રત ભીષ્મ,જે પ્રમાણે કુળના ભલા માટે તત્પર રહ્યા હતા,તે પ્રમાણે પાંડુ પણ વર્ત્યા હતા.ધૃતરાષ્ટ્ર અંધ હોવાથી રાજ્યના અનધિકારી હતા,છતાં કુરુવંશની વૃદ્ધિ કરનારા પાંડુએ તેમને રાજ્ય આપ્યું હતું.ને પોતાની બે રાણીઓ સાથે વનમાં ચાલ્યા ગયા હતા.વિદુર સર્વ રાજ્ય વ્યવસ્થા ને ભીષ્મ સંરક્ષણની વ્યવસ્થા કરતા હતા,ધૃતરાષ્ટ્ર તો સિંહાસન પર બેસી રહેતા હતા.આ કુળમાં ઉત્પન્ન થયેલો તું,કુરુમાં ભેદ પડાવવાનો આગ્રહ કેમ રાખે છે?તું ભાઈઓ સાથે મળીને વૈભવો ભોગવ.
Apr 29, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-802
અધ્યાય-૧૪૭-શ્રીકૃષ્ણે કૌરવ સભાનો વૃતાંત કહ્યો
II वैशंपायन उवाच II आगम्य हास्तिन्पुरादुनप्ल्पव्यमरिन्दमः I पांडवानां यथावृतं केशवः सर्वमुक्तवान II १ II
વૈશંપાયને કહ્યું-શ્રીકૃષ્ણે,હસ્તિનાપુરથી ઉપલવ્યમાં આવીને ત્યાં થયેલો સર્વ વૃતાંત કહ્યો.ને પછી વિશ્રાંતિ
લઈને સૂર્યાસ્ત સમયે,ફરીથી યુધિષ્ઠિર આદિ પાંડવો સાથે બેસીને ગુપ્ત વિચાર કરવા લાગ્યા.
યુધિષ્ઠિરે કહ્યું-હે પુંડરીકાક્ષ,તમે હસ્તિનાપુરમાં જઈને સભામાં દુર્યોધનને શું કહ્યું,તે અમને કહો.
વાસુદેવે કહ્યું-મેં દુર્યોધનને સત્ય,ન્યાયયુક્ત અને હિતકારક વચનો કહ્યાં પણ તે દુર્બુદ્ધિવાળાએ ગ્રહણ કર્યાં નહિ.(6)
યુધિષ્ઠિરે કહ્યું-'હે કૃષ્ણ,તમારું કહેવું ન માનીને દુર્યોધન આડે માર્ગે જવા લાગ્યો ત્યારે,ભીષ્મપિતામહે,દ્રોણે,ધૃતરાષ્ટ્રે,ગાંધારીએ,
વિદુરે અને સભામાં બેઠેલા સર્વ રાજાઓએ તેને શું કહ્યું? તે યથાર્થ રીતે કહો.તમે જ અમારા નાથ,ગતિ અને ગુરુ છો'
વાસુદેવે કહ્યું-મારા વચનોની અવજ્ઞા કરીને તે દુર્યોધન હસ્યો,ત્યારે ભીષ્મ અતિક્રોધયુક્ત થઈને કહેવા લાગ્યા કે-
'હે દુર્યોધન,કુળના હિત માટે હું જે કહું છું,તે ધ્યાન દઈને સાંભળ,ને કુળનું હિત કર.મારા પિતા શાંતનુનો હું એકનો એક પુત્ર હતો,તો પણ તેટલાથી તે પુત્રવાળાઓમાં શ્રેષ્ઠ મનાતા હતા.પણ બુદ્ધિમાનો એક પુત્રવાળાઓને,પુત્રરહિત જ કહે છે એટલે તેમને વિચાર આવ્યો હતો કે-'મારા કુળનો વિનાશ ન થાય ને કુળનો યશ વિસ્તાર કેવી રીતે પામે?' પિતાની ઈચ્છા જાણીને,કુળને માટે રાજયહીન અને બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા કરીને માતા સત્યવતીને,મારા પિતાની સાથે લગ્ન કરવા લઇ આવ્યો હતો.
અને સંતુષ્ટ થઈને પ્રતિજ્ઞાનું પાલન કરતો હું અહીં રહું છું તે તું સારી રીતે જાણે છે.
સત્યવતીથી વિચિત્રવીર્ય નામનો મારો નાનો ભાઈ થયો,જેને રાજ્યાસન પર બેસાડીને હું તેનો સેવક થઈને નીચા દરજ્જામાં રહેવા લાગ્યો.સ્ત્રીઓમાં અતિઆસક્ત એવો તે વિચિત્રવિર્ય ક્ષય રોગથી મરણ પામ્યો.ત્યારે સર્વેએ મને રાજા થવાનું કહ્યું,તો મેં તેમને મારી રાજયત્યાગ અને બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા જણાવી,ને સર્વેને શાંત પાડ્યા.પછી,મેં ભાઈઓની સ્ત્રીઓમાં પુત્ર ઉત્પન્ન કરવા માટે માતા સત્યવતી સાથે વિચાર કરીને,મહામુનિ વ્યાસને પ્રસન્ન કરીને યાચના કરી,તે વખતે તેમણે ત્રણ પુત્રો ઉત્પન્ન કર્યા.
તારા પિતા જન્મથી અંધ હોવાથી,રાજા થઇ શક્યા નહિ ને પાંડુને રાજ્ય મળ્યું.તે પાંડુપુત્રો રાજ્યના હક્કદાર છે,માટે તું તેમની સાથે લડાઈ કરીશ નહિ અને તેમને અર્ધું રાજ્ય આપી દે.હું જીવું છું ત્યાં સુધી કયો પુરુષ અહીં રાજ્ય કરવા સમર્થ છે?પરંતુ હું સર્વદા તમારું કલ્યાણ ઈચ્છું છું,માટે તું મારા વચનનું અપમાન કર નહિ.મને તારામાં અને તેઓમાં ભેદ નથી.ને આ વાત,તારા પિતા,ગાંધારી અને વિદુરને માન્ય છે.તારે વૃદ્ધોનું સાંભળવું જોઈએ,તું મારા વચન પર શંકા ન રાખ અને તારો પોતાનો,પૃથ્વીનો તથા સર્વનો નાશ ન કર.(43)
અધ્યાય-147-સમાપ્તApr 28, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-801
અધ્યાય-૧૪૬-કર્ણનાં વચન
II वैशंपायन उवाच II ततः सुर्यान्निश्चरिताम् कर्णः शुश्राव भारतीं I दुर्त्यययां प्रणयिनीं पित्रुवद्भास्करेरिता II १ II
વૈશંપાયને કહ્યું-એ પ્રમાણે કુંતીએ કહ્યું,તેવામાં સૂર્યમંડળમાંથી નીકળેલી,ઉલ્લંઘન ન કરાય તેવી,પ્રેમાળ પિતાની જેમ,સૂર્યે ઉચ્ચારેલી વાણીને કર્ણે સાંભળી- 'હે કર્ણ,કુંતીએ સત્ય વાત કહી છે,તું માતાના વચન પ્રમાણે ચાલ.ને તે પ્રમાણે આચરણ કરવાથી તારું કલ્યાણ થશે' જો કે આ પ્રમાણે પિતા સૂર્યે પોતે અને માતાએ કહ્યું,તો પણ તે વખતે,સત્ય ધૈર્યવાળા કર્ણની બુદ્ધિ ડગી નહિ અને કર્ણ બોલ્યો-'હે ક્ષત્રિયાણી,તેં જે ભાષણ કર્યું,તેને હું કર્તવ્યરુપ માનતો નથી,કારણકે હવે તારી આજ્ઞા પ્રમાણે વર્તવું એ મને મારા ધર્મથી દૂર થવાનું દ્વાર છે.તેં મને જાતિથી દૂર કરવારૂપી જે મહાવિનાશકારક પાપ કર્યું છે અને મારો જે ત્યાગ કર્યો છે તે મારા માહાત્મ્ય તથા કીર્તિને નાશ કરનારાં છે.(5)
Apr 27, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-800
અધ્યાય-૧૪૫-કુંતીનું ભાષણ
II संजय उवाच II राधेयोहमाधिरथिः कर्णस्तवामभिवादये I प्राप्ता किमर्थ भवति ब्रुहि किं करवाणि ते II १ II
કર્ણ બોલ્યો-'હું અધિરથ સૂતનો તથા રાધાનો પુત્ર કર્ણ તમને વંદન કરું છું.
તમે અહીં શા માટે આવ્યાં છો?હું તમારું શું કાર્ય કરું? તે મને કહો'
Apr 26, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-799
અધ્યાય-૧૪૪-કર્ણની પાસે કુંતી
II वैशंपायन उवाच II असिद्वानुनये कृष्णे कुरुभ्यः पांडवान गते I अभिगम्य पृथां क्षत्ता शनैः शोचन्निवा ब्रवीत II १ II
વૈશંપાયને કહ્યું-જેમની સમજાવટ સિદ્ધ થઇ ન હતી,તે શ્રીકૃષ્ણ કૌરવોની પાસેથી પાંડવો પાસે ગયા,તે પછી વિદુર કુંતીની પાસે જઈને શોક કરતા હોય તેમ કહેવા લાગ્યા કે-'મારો અભિપ્રાય તો યુદ્ધ ન કરવા તરફ છે,એ તમે જાણો છો.હું ઘણી બૂમો પાડું છું પણ દુર્યોધન મારુ કહેવું સ્વીકારતો નથી.પાંડવોએ રાજાઓની સાથે ઉપલવ્યમાં આવીને પડાવ નાખ્યો છે.યુધિષ્ઠિર બળવાન છે તો પણ સ્વજ્ઞાતિ પર સ્નેહ હોવાને લીધે દુર્બલની જેમ ધર્મની જ આકાંક્ષા રાખ્યા કરે છે.એટલે તેમને કંઈ કહેવાનું નથી પરંતુ આ ધૃતરાષ્ટ્ર શાંત પડતા નથી અને એ પુત્રના પ્રેમમાં અધર્મના માર્ગને વર્તે છે.દુર્યોધન ને તેના મંત્રીઓને લીધે પરસ્પર ભેદ પડશે ને તેઓના અધર્મનું ફળ,તેમના વિનાશરૂપ જ થશે.કૌરવો શાસ્ત્રથી વિરુદ્ધ વાતને બલાત્કારે ધર્મનું સ્વરૂપ આપે છે તેનાથી સંતાપ થાય છે.કેશવ,સલાહ કર્યા વિના ગયા એટલે પાંડવો આ મહાયુદ્ધના માટે ઉદ્યોગ કરશે.યુદ્ધમાં થનારા મહાવિનાશનો વિચાર કરતા મને રાત્રે નિંદ્રા પણ આવતી નથી (9)




