II वैशंपायन उवाच II वासुदेवस्य तद्वाक्यमनुस्मुरत्य युधिष्ठिरः I पुनः प्रपच्छ वार्ष्णेयं कथं मन्दोब्रविदिदम् II १ II
વૈશંપાયને કહ્યું-શ્રીકૃષ્ણે કૌરવોની સભાનો જે વૃતાંત કહ્યો,તે સંભારીને,યુધિષ્ઠિર ફરીથી શ્રીકૃષ્ણને પૂછવા લાગ્યા કે-
'હે વાસુદેવ,તમે દુર્યોધન અને સર્વનો ને કુંતીનો પણ વિચાર અમને કહ્યો,તે અમે બરોબર સાંભળ્યો છે,પણ તે સર્વ
વચનોને બાજુ રાખી અને વારંવાર વિચાર કરીને અમારે જે કરવા યોગ્ય હોય તે અમને નિઃશંકપણે કહો'