अन्नाद्भवन्ति भूतानि पर्जन्यादन्नसम्भवः । यज्ञाद्भवति पर्जन्यो यज्ञः कर्मसमुद्भवः ॥१४॥
कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवम् । तस्मात्सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम् ॥१५॥
શરીર અન્નમય કોષ છે.બધા જીવો અન્નથી જ પેદા થાય છે અને અન્નથી જ પોષાય છે.અન્ન વરસાદ થવાથી
ઉત્પન્ન થાય છે.વરસાદ યજ્ઞ કરવાથી થાય છે.યજ્ઞ કર્મથી થાય છે અને કર્મ વેદથી થાય છે.પરંતુ વેદ તો પરમાત્મા
વડે ઉત્પન્ન કરાયેલ છે.એથી એમ કહી શકાય કે સર્વવ્યાપક પરમાત્મા જ યજ્ઞમાં પ્રતિષ્ઠિત થયેલા છે.(૧૫)