અધ્યાય-૨૮-યજ્ઞવિભાગ યોગ (ગીતા-૪-જ્ઞાન-કર્મ-સન્યાસયોગ)
श्रीभगवान उवाच-इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् ।विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवेऽब् ॥૧॥
एवं परम्पराप्राप्तमिमं राजर्षयो विदुः ।स कालेनेह महता योगो नष्टः परन्तप ॥२॥
स एवायं मया तेऽद्य योगः प्रोक्तः पुरातनः ।भक्तोऽसि मे सखा चेति रहस्यं ह्येतदुत्तमम् ॥३॥
શ્રીભગવાન કહે છે-મેં આ અવિનાશી યોગ સૌપ્રથમ સૂર્યને કહ્યો હતો.સૂર્યે એના પુત્ર મનુને કહ્યો અને મનુએ એના
પુત્ર ઈક્ષ્વાકુને કહ્યો.હે અર્જુન,આ રીતે પરંપરાથી ચાલ્યો આવતો આ યોગ ઋષિઓએ જાણ્યો.પરંતુ કાળક્રમે
એ યોગ નષ્ટ પામ્યો છે.તું મારો પ્રિય ભક્ત અને મિત્ર છે એથી આજે આ જ્ઞાનને મેં તારી આગળ પ્રકટ કર્યું.(૩)