ज्ञानेन तु तदज्ञानं येषां नाशितमात्मनः ।तेषामादित्यवज्ज्ञानं प्रकाशयति तत्परम् ॥१६॥
तद्बुद्धयस्तदात्मानस्तन्निष्ठास्तत्परायणाः ।गच्छन्त्यपुनरावृत्तिं ज्ञाननिर्धूतकल्मषाः ॥१७॥
વળી જેમનું એ અજ્ઞાન આત્માના જ્ઞાન વડે નાશ પામેલું છે,તેમનું તે જ્ઞાન સૂર્યની જેમ પરબ્રહ્મને
પ્રકાશિત કરેછે.(૧૬)તે પરબ્રહ્મમાં જ જેમની બુદ્ધિ સ્થિત થઇ છે તે બ્રહ્મ જ તેમનો આત્મા છે.
તેમનામાં જ તેમની સંપૂર્ણ નિષ્ઠા છે.તેઓ તેમના જ પરાયણ બની જાય છે.જ્ઞાન વડે જેમનાં
પાપકર્મો નાશ પામે છે તેઓ જન્મમરણના ચક્કરમાં પડતા નથી.(૧૭)




