Aug 4, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-887

 

ज्ञानेन तु तदज्ञानं येषां नाशितमात्मनः ।तेषामादित्यवज्ज्ञानं प्रकाशयति तत्परम् ॥१६॥

तद्‌बुद्धयस्तदात्मानस्तन्निष्ठास्तत्परायणाः ।गच्छन्त्यपुनरावृत्तिं ज्ञाननिर्धूतकल्मषाः ॥१७॥

વળી જેમનું એ અજ્ઞાન આત્માના જ્ઞાન વડે નાશ પામેલું છે,તેમનું તે જ્ઞાન સૂર્યની જેમ પરબ્રહ્મને

પ્રકાશિત કરેછે.(૧૬)તે પરબ્રહ્મમાં જ જેમની બુદ્ધિ સ્થિત થઇ છે તે બ્રહ્મ જ તેમનો આત્મા છે.

તેમનામાં જ તેમની સંપૂર્ણ નિષ્ઠા છે.તેઓ તેમના જ પરાયણ બની જાય છે.જ્ઞાન વડે જેમનાં 

પાપકર્મો નાશ પામે છે તેઓ જન્મમરણના ચક્કરમાં પડતા નથી.(૧૭)

Aug 3, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-886

 

અધ્યાય-૨૯-સન્યાસ યોગ(ગીતા-૫-કર્મ-સન્યાસ-યોગ)


अर्जुन उवाच--संन्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि ।यच्छ्रेय एतयोरेकं तन्मे ब्रूहि सुनिश्चितम् ॥१॥

અર્જુને કહ્યું-હે કૃષ્ણ ! આપ એક તરફ કર્મના ત્યાગના વખાણ કરો છો

અને બીજી તરફ કર્મયોગના વખાણ કરો છો.તો એ બે માંથી જે કલ્યાણકારી હોય તે મને કહો.(૧)

Aug 2, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-885

यज्ञशिष्टामृतभुजो यान्ति ब्रह्म सनातनम् ।नायं लोकोऽस्त्ययज्ञस्य कुतोऽन्यः कुरुसत्तम ॥३१॥

एवं बहुविधा यज्ञा वितता ब्रह्मणो मुखे ।कर्मजान्विद्धि तान्सर्वानेवं ज्ञात्वा विमोक्ष्यसे ॥३२॥

હે અર્જુન,યજ્ઞશિષ્ઠ અન્ન ખાનારને સનાતન બ્રહ્મની પ્રાપ્તિ થાય છે.જે એ પ્રમાણે યજ્ઞનું અનુષ્ઠાન નથી કરતા,

તેમને માટે આ મૃત્યુલોક સુખકારક નથી થતો. તો પછી પરલોક તો સુખદાયી ક્યાંથી થાય ? વેદમાં બ્રહ્મા 

દ્વારા આવા અનેક યજ્ઞોનું વર્ણન કરવામાં આવ્યું છે.'આ સર્વે યજ્ઞો મન,ઈન્દ્રિય અને શરીર દ્વારા 

ફળની ઈચ્છાથી કરવામાં આવે છે' એ પ્રમાણે જાણવાથી તું કર્મબંધનથી મુક્ત થઈશ. (૩૨)

Aug 1, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-884

 

किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः ।तत्ते कर्म प्रवक्ष्यामि यज्ज्ञात्वा मोक्ष्यसेऽशुभात् ॥१६॥

કર્મ કોને કહેવાય અને અકર્મ કોને કહેવાય તે નક્કી કરવામાં મોટા મોટા વિદ્વાનો પણ ગોથું ખાઈ જાય છે.

છતાં,હું તને કર્મ વિશે સમજાવું,જેથી તું કર્મબંધન અને (અત્યારે તને થયેલ) ક્લેશમાંથી મુક્ત થશે.(૧૬)

Jul 31, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-883

 

અધ્યાય-૨૮-યજ્ઞવિભાગ યોગ (ગીતા-૪-જ્ઞાન-કર્મ-સન્યાસયોગ)


श्रीभगवान उवाच-इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् ।विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवेऽब् ॥૧॥

एवं परम्पराप्राप्तमिमं राजर्षयो विदुः ।स कालेनेह महता योगो नष्टः परन्तप ॥२॥

स एवायं मया तेऽद्य योगः प्रोक्तः पुरातनः ।भक्तोऽसि मे सखा चेति रहस्यं ह्येतदुत्तमम् ॥३॥

શ્રીભગવાન કહે છે-મેં આ અવિનાશી યોગ સૌપ્રથમ સૂર્યને કહ્યો હતો.સૂર્યે એના પુત્ર મનુને કહ્યો અને મનુએ એના 

પુત્ર ઈક્ષ્વાકુને કહ્યો.હે અર્જુન,આ રીતે પરંપરાથી ચાલ્યો આવતો આ યોગ ઋષિઓએ જાણ્યો.પરંતુ કાળક્રમે 

એ યોગ નષ્ટ પામ્યો છે.તું મારો પ્રિય ભક્ત અને મિત્ર છે એથી આજે આ જ્ઞાનને મેં તારી આગળ પ્રકટ કર્યું.(૩)

Jul 30, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-882

 

मयि सर्वाणि कर्माणि संन्यस्याध्यात्मचेतसा ।निराशीर्निर्ममो भूत्वा युध्यस्व विगतज्वरः ॥३०॥

ये मे मतमिदं नित्यमनुतिष्ठन्ति मानवाः ।श्रद्धावन्तोऽनसूयन्तो मुच्यन्ते तेऽपि कर्मभिः ॥३१॥

ये त्वेतदभ्यसूयन्तो नानुतिष्ठन्ति मे मतम् ।सर्वज्ञानविमूढांस्तान्विद्धि नष्टानचेतसः ॥३२॥

હે અર્જુન, મારામાં મનને સ્થિર કરી,આશા, તૃષ્ણા તથા શોકરહિત થઈને અનાસક્ત ભાવે (યુદ્ધ) કર્મમાં પ્રવૃત થા.

જે વ્યક્તિ દોષદૃષ્ટિથી મુક્ત થઈ મારામાં પૂર્ણ શ્રદ્ધા રાખી મારા વચનોને અનુસરે છે,એ કર્મબંધનથી મુક્તિ મેળવે છે.

પરંતુ જે મનુષ્ય દ્વેષબુદ્ધિથી મારા કહેલ માર્ગનું અનુસરણ નથી કરતા તેને તું વિમૂઢ,જ્ઞાનહીન તથા મૂર્ખ સમજજે.(૩૨)