Oct 22, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-958

 

અધ્યાય-૭૭-છઠ્ઠો દિવસ-સંકુલ યુદ્ધ-દ્રોણ પરાક્રમ 


॥ संजय उवाच ॥ आत्मदोषात्वया राजन प्राप्तं व्यसनमिदशः I नहि दुर्योधनस्तानि पश्यते भरतर्षंम ॥१॥ 

સંજયે કહ્યું-હે ભરતશ્રેષ્ઠ રાજા,તમે તમારા દોષથી જ આવું સંકટ પ્રાપ્ત કરેલું છે.અધર્મ કરવાથી જે દોષો પ્રાપ્ત થાય છે તે તમે જાણતા હતા,દુર્યોધન જાણતો ન હતો.તમારા દોષથી જ જુગાર રમાયો અને તમારા દોષથી જ પાંડવો સામે યુદ્ધનો પ્રારંભ થયો છે,તમે પોતે દોષ કર્યો છે તો હવે તેનું ફળ પણ તમે જ ભોગવો.કારણકે પોતે કરેલાં કર્મો પોતાને જ આ લોકમાં તથા મરણ પછી પરલોકમાં ભોગવવાં પડે છે.માટે તમને આ યોગ્ય જ ફળ મળેલું છે.ને મોટું સંકટ આવી પડ્યું છે.તો પણ હવે સ્થિર થાઓ અને મારી પાસેથી યુદ્ધ શી રીતે ચાલ્યું તેનું વૃતાંત સાંભળો.

Oct 21, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-957

 

અધ્યાય-૭૬-ધૃતરાષ્ટ્રનો ઉદ્વેગ 


॥ धृतराष्ट्र उवाच ॥ एवं बहुगुण सैन्यमेवं बहुविधं पुरा I व्यूढमेवं बहुविधं पुरा I व्यूढमेवं यथाशासममोघं चैव संजय ॥१॥ 

ધૃતરાષ્ટ્રે કહ્યું-હે સંજય,આપણું સૈન્ય અનેક ગુણોવાળું.અનેક પ્રકારનું તથા શાસ્ત્રોક્ત વ્યૂહોથી નિષ્ફળ ન થાય તેમ ગોઠવેલું છે.વળી હર્ષમાં રહેનારું,આપણને ઇચ્છનારું-નમનારું ને વ્યસનોથી રહિત છે તથા કસાયેલું છે.આપણા સૈન્યમાંના યોદ્ધાઓ અતિવૃદ્ધ નથી કે નાની ઉંમરના પણ નથી,નબળા નથી,ઝડપથી કામ કરી શકે તેવા છે,બળવાળા ને નિરોગી છે.આપણા સર્વ સૈનિકો કવચધારી અને અનેક શસ્ત્રો ધારણ કરનાર છે.તેઓ તલવાર યુદ્ધ,તોમર યુદ્ધમાં,શક્તિ યુદ્ધમાં,મુસળ યુદ્ધમાં,ધનુષ્ય યુદ્ધમાં અને મુષ્ટિ યુદ્ધમાં -આદિ અનેક પ્રકારના યુદ્ધ કરવામાં સમર્થ છે.

Oct 20, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-956

 

અધ્યાય-૭૫-છઠ્ઠો દિવસ-મકર વ્યૂહ ને ક્રૌંન્ચ વ્યૂહ 


॥ संजय उवाच ॥ ते विश्रग्नततो राजन सहिताः कुरुपांडवा I ततोतायं तु सर्वर्या पुनर्युद्वाय् निर्ययुः ॥१॥ 

સંજયે કહ્યું-હે રાજા,આખી રાત વિશ્રાંતિ લઈને,કૌરવોએ તથા પાંડવોએ તે રાત ગાળી.પછી,સવાર થતાં ફરી યુદ્ધ કરવા માટે નીકળી પડ્યા.તે વખતે,તમારાં તથા પાંડવોનાં સૈન્યોમાં સજ્જ કરતા રથોનો,તૈયાર કરાતા હાથીઓનો,કવચો ધારણ કરતા પાળાઓનો,તથા તૈયાર કરતા ઘોડાઓનો મહાન શબ્દ થઇ રહ્યો.ત્યારે યુધિષ્ઠિરના કહેવાથી,ધૃષ્ટદ્યુમ્ને મકરવ્યૂહ રચ્યો.

તે વ્યૂહના શિરોભાગમાં દ્રુપદરાજા અને અર્જુન,મુખસ્થાનમાં ભીમ ઉભો રહ્યો.અભિમન્યુ,દ્રૌપદીના પુત્રો,ઘટોત્કચ,સાત્યકિ ને યુધિષ્ઠિર ગ્રીવાસ્થાનમાં,વિરાટરાજા ને ધૃષ્ટદ્યુમ્ન પીઠના ભાગમાં,કેકેયદેશના પાંચ ભાઈઓ ડાબા પડખામાં,ધૃષ્ટકેતુ અને ચેકિતાન જમણા પડખામાં તથા કુંતીભોજ અને શતાનીક રાજા પગના સ્થાનમાં,શિખંડી અને ઈરાવાન પુચ્છ ભાગમાં ઉભા રહ્યા.

Oct 19, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-955

 

અધ્યાય-૭૪-પાંચમા દિવસની સમાપ્તિ-સાત્યકિના પુત્રોનો વધ 


॥ संजय उवाच ॥ अथ राजन महाबाहुः सात्यकिर्मुद्वदुर्मदः I विकृष्य चापं समरे भारसाहमनुत्तम ॥१॥ 

સંજયે કહ્યું-હે રાજન,ત્યાર પછી,મદોન્મત્ત થયેલો મહાબાહુ સાત્યકિ,પોતાના ઉત્તમોત્તમ ધનુષ્યને ખેંચીને,પોતાની અદભુત હાથચાલાકી બતાવતો ઘણી જ ત્વરાથી બાણોને ફેંકતો શત્રુઓની સેનાનો સંહાર કરતો હતો.આગળ ધસી આવતા સાત્યકિને જોઈને દુર્યોધને તેની સામે દશ હજાર રથીઓને મોકલ્યા.પરાક્રમી સાત્યકિએ તે સર્વેને દિવ્ય અસ્ત્રોથી મારવા માંડ્યા.ને અત્યંત દારુણ કર્મ કર્યા પછી તે ભૂરિશ્રવા સામે ધસ્યો.ભૂરિશ્રવા પણ તેની સામે ધસ્યો ને સર્પસમાન ઝેરી ને વજ્રસમાન તીક્ષ્ણ એવા બાણો છોડવા માંડ્યા.મૃત્યુના જેવા ઉગ્ર સ્પર્શવાળા તે હજારો બાણોને સાત્યકિના અનુનાયીઓ સહન કરી શક્યા નહિ ને તેઓ સાત્યકિને છોડીને નાસવા લાગ્યા.

Oct 18, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-954

 

અધ્યાય-૭૩-પાંચમો દિવસ (ચાલુ)-દ્વંદ્વ યુદ્ધ 


॥ संजय उवाच ॥ विराटोथत्रिभिर्बाणैर्भिष्ममार्च्छन्महारथम् I विव्याध तुर्गाश्वास्य त्रिभिर्बाणैर्महराथः ॥१॥ 

સંજયે કહ્યું-ત્યાર પછી,મહારથી વિરાટ રાજાએ,મહારથી ભીષ્મ પર ત્રણ બાણોનો પ્રહાર કર્યો અને બીજા ત્રણ બાણો મૂકીને તેમના ઘોડાઓને વીંધી નાખ્યા.ભીષ્મે પણ સામે તેને દશ બાણોથી વીંધ્યો.અશ્વત્થામાએ છ બાણોથી અર્જુનની છાતી પર પ્રહાર કર્યો તે જોઈ,અર્જુને તેનું બાણ છેદી નાખીને સામે તીક્ષ્ણ બાણોથી પ્રહાર કર્યો.ત્યારે અશ્વત્થામાએ બીજું ધનુષ્ય ગ્રહણ કર્યું અને નેવું બાણ મૂકીને અર્જુનને અને સિત્તેર બાણો મૂકીને કૃષ્ણને પણ વીંધ્યા.ક્રોધાતુર થયેલા અર્જુને ઘોર બાણો મૂકી,અશ્વત્થામાના કવચને તોડીને તેને લોહીલુહાણ કરી નાખ્યો.ને પછી અર્જુને 'આ બ્રાહ્મણ ગુરુપુત્ર મારે માન્ય છે' એવી બુદ્ધિથી તેના પર દયા કરી અને તેની સામે યુદ્ધ કરવું છોડી દીધું ને બીજાઓ સામે યુદ્ધ કરી સંહાર કરવા લાગ્યો.

Oct 17, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-953

 

અધ્યાય-૭૨-પાંચમો દિવસ (ચાલુ)-સંકુલ યુદ્ધ 


॥ संजय उवाच ॥ शिखंडी सहमत्स्येन विराटेन विशांपते I भीष्ममशु महेष्वासममसद सुदुर्जयम् ॥१॥ 

સંજયે કહ્યું-હે રાજા,મત્સ્યરાજા અને વિરાટરાજાને સાથે લઈને શિખંડી,અતિ દુર્જય મોટા ધનુર્ધારી ભીષ્મ પાસે આવી પહોંચ્યો.અને અર્જુન,દ્રોણાચાર્ય,કૃપાચાર્ય,વિકર્ણ અને બીજા શૂરા રાજાઓની સામો યુદ્ધ કરવા આવ્યો.જયદ્રથ અને દુર્યોધન સામે ભીમસેન ચડી આવ્યો.પિતાપુત્ર શકુનિ અને ઉલૂક સામે સહદેવ ધસી આવ્યો.હાથીસેના સામે યુધિષ્ઠિર અને નકુલ ત્રિગર્તો સામે ધસ્યા.ક્રોધાયમાન થયેલા સાત્યકિ,ચેકિતાન અને મહારથી અભિમન્યુ,શાલ્વ અને કેકેયોની સામ આવી યુદ્ધમાં ઉભા રહ્યા.

અતિ દુર્જય એવા ધૃષ્ટકેતુ અને ઘટોત્કચ એ બંને કૌરવોના રથી યોદ્ધાઓની સેના સામે યુદ્ધ કરવા તૈયાર થયા. સેનાપતિ ધૃષ્ટધુમ્ન,ઉગ્ર પરાક્રમવાળા દ્રોણાચાર્યની સામે યુદ્ધ કરવા આવી ઉભો રહ્યો.આવી રીતે મહાધનુર્ધર એવા શૂરા ધનુર્ધરો સામસામા આવી જઈને પરસ્પર પ્રહાર કરવા મંડ્યા.