
પરમ દુર્જય એવો શત્રુઓનો મંડળવ્યૂહ જોઈને યુધિષ્ઠિરે વજ્રવ્યૂહ રચ્યો કે જે મુજબ સર્વ સૈન્ય ગોઠવાઈ રહ્યું.પોતપોતાના સ્થાન પર ઉભેલા સર્વ રથીઓ,ઘોડેસ્વારો સિંહની જેમ ગર્જના કરવા લાગ્યા.ને પછી યુદ્ધ માટે નીકળી પડ્યા.
દ્રોણાચાર્ય વિરાટરાજા સામે,અશ્વત્થામા શિખંડી સામે,દુર્યોધન ધૃષ્ટદ્યુમ્ન સામે,નકુલ-સહદેવ મામા શલ્ય સામે આવી ગયા.
વીંદ-અનુવીન્દ ઈરાવાન સામે અને બાકી રહેલા સર્વ રાજાઓ અર્જુન સામે લડવા લાગ્યા.રણસંગ્રામમાં આગળ વધતા હૃદિકના પુત્રને,ચિત્રસેનને,વિકર્ણને તથા દુર્મુશણને ભીમસેને અટકાવી દીધા.અભિમન્યુ તમારા પુત્રો સામે લડતો હતો.




