Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Nov 19, 2025
ભાગવત રહસ્ય-૩-Bhgavat Rahasya-3
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-986
અધ્યાય-૧૦૩-નવમો દિવસ (ચાલુ) સંકુલ યુદ્ધ
॥ संजय उवाच ॥ मध्यं दिने महाराज संग्रामः समपद्यत I लोकक्षरकरो रौद्रो भीष्मस्य सहसोमकै:॥१॥
સંજયે કહ્યું-હે મહારાજ,બરાબર મધ્યાહ્ન કાળ થયો તે વખતે પિતામહ ભીષ્મ અને સોમક યોદ્ધાઓ વચ્ચે લોકોનો ક્ષય કરનારો રૌદ્ર સંગ્રામ થઇ રહ્યો હતો.ભીષ્મ હજારો બાણોથી પાંડવોની સેનાનો સંહાર કરી રહ્યા હતા.એ જોઈ,ધૃષ્ટદ્યુમ્ન,શિખંડી,
વિરાટરાજા અને દ્રુપદરાજા ભીષ્મ સામા આવી તેમના પર બાણોનો પ્રહાર કરવા લાગ્યા.ત્યારે ભીષ્મે પણ સામે તેમને વીંધ્યા.
શિખંડીએ આવીને જયારે ભીષ્મને વીંધી નાખ્યા-ત્યારે 'આ તો સ્ત્રી છે'એમ મનમાં વિચાર કરીને ભીષ્મે તેના પર પ્રહાર કર્યો નહિ.પછી,ભીષ્મે એક ભલ્લ બાણથી દ્રુપદરાજાના ધનુષ્યને કાપી નાખ્યું ને બીજા બાણો મૂકી તેના સારથિને વીંધી નાખ્યો.
Nov 18, 2025
ભાગવત રહસ્ય-૨-Bhgavat Rahasya-2
૧.સ્વપ્ન માં પ્રભુની ઝાંખી થાય તે સાધારણ દર્શન
૨.મંદિર અને મૂર્તિમાં પ્રભુના દર્શન થાય તે મધ્યમ દર્શન છે.મંદિરમાં પ્રભુના દર્શન મનુષ્ય કરે પણ તેને શાંતિ ક્યાં મળે છે?તેથી સિદ્ધ થાય છે કે ઉત્તમ દર્શન નથી.
૩.પ્રભુનું અપરોક્ષ દર્શન તે ઉત્તમ દર્શન છે.સ્થાવર,જંગમ ,સર્વ મનુષ્યોમાં પરમાત્માના દર્શન થાય, તે ઉત્તમ દર્શન છે.ને પ્રભુનું આ અપરોક્ષ દર્શન કે સાક્ષાત્કાર જયારે થાય ત્યારે જીવન સફળ થાય છે.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-985
અધ્યાય-૧૦૨-ભીમનું પરાક્રમ
॥ धृतराष्ट्र उवाच ॥ कथं द्रोणे महेष्वासः पांडवश्च धनंजयः I समोयेतुरणे यतौ तावुभौ पुरुशर्षभौ ॥१॥
ધૃતરાષ્ટ્રે પૂછ્યું-મહાધનુર્ધર દ્રોણાચાર્ય અને અર્જુન એ બંને પુરુષશ્રેષ્ઠો રણસંગ્રામ કરવા કેવી રીતે સજ્જ થયા? દ્રોણાચાર્યને અર્જુન હંમેશાં પ્રિય હતો,તેમ જ અર્જુનને પોતાના ગુરુ દ્રોણાચાર્ય અત્યંત પ્રિય હતા તો પછી સિંહની જેમ ઉત્કટ થયેલા તે બંને મહારથીઓ હર્ષમાં આવી જઈને યુદ્ધ કરવા સામસામા કેવી રીતે સજ્જ થયા? તે મને કહે.
Nov 17, 2025
ભાગવત રહસ્ય-૧-ભાગવત માહત્મ્ય-Bhgavat Rahasya-1
ભાગવત માહાત્મ્ય
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-984
અધ્યાય-૧૦૧-નવમો દિવસ (ચાલુ) અલંબુશ તથા અભિમન્યુની ઝપાઝપી
॥ धृतराष्ट्र उवाच ॥ आर्जुनिं समरे शूरं विनिघ्नन्तं महारथान I अलम्बुष: कथं युद्धे प्रत्ययुध्यत संजय ॥१॥
ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,એ યુદ્ધમાં અભિમન્યુ સામે તે રાક્ષસ અલંબુશે કેવી રીતે યુદ્ધ કર્યું?વળી,એ યુદ્ધમાં
મારાં સૈન્યોએ શું કર્યું? અર્જુન-આદિ પાંડવોએ કેવું યુદ્ધ કર્યું? તે સર્વ મને કહી સંભળાવ,તું બહુ જ કુશળ છે.



