Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Dec 5, 2025
ભાગવત રહસ્ય-૧૭-Bhgavat Rahasya-17
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1000
અધ્યાય-૧૧૬-દશમો દિવસ (ચાલુ) સંકુલ યુદ્ધ
॥ संजय उवाच ॥ अभिमन्युर्महाराज तवपुत्रमयोधत I महत्या सेनयायुक्तं भीष्महेतोः पराक्रमी ॥१॥
સંજયે કહ્યું-હે મહારાજ,પરાક્રમી અભિમન્યુ,મોટી સેનાને લઈને ઉભેલા તમારા પુત્ર દુર્યોધન સામે ભીષ્મનો પરાજય કરવા યુદ્ધ કરતો હતો.ત્યારે ક્રોધાયમાન થયેલા દુર્યોધને તેના પર પ્રહાર કરીને તેને છાતીમાં વીંધી નાખ્યો.સામે અભિમન્યુએ એક ભયંકર શક્તિ દુર્યોધન સામે ફેંકી,કે જેને દુર્યોધને બાણ મૂકીને ટુકડા કરી નાખી.પોતાની શક્તિને આમ વ્યર્થ થયેલી જોઈને અભિમન્યુએ દુર્યોધનના બંને બાહુઓમાં અને છાતીમાં પ્રહાર કરી તેને માર માર્યો.બંને વચ્ચેનું યુદ્ધ મહાઘોર ને અદભુત હતું.
Dec 4, 2025
ભાગવત રહસ્ય-૧૬-Bhgavat Rahasya-16
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-999
અધ્યાય-૧૧૫-દશમો દિવસ (ચાલુ) મરણનો નિશ્ચય
॥ धृतराष्ट्र उवाच ॥ कथं शान्तनवो भीष्मो दशमेहनि संजय I अयुध्यत महावीर्यः पांडवै: सह स्रुन्जयेः ॥१॥
ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,એ દશમે દિવસે મહાપરાક્રમી શાંતનુકુમાર ભીષ્મ,પાંડવો અને સૃન્જયો સાથે કેવી રીતે લડ્યા?
તેમનું યુદ્ધ કેવી રીતે થયું હતું?ને કૌરવોએ યુદ્ધમાં આગળ વધતા પાંડવોને કેવી રીતે વાર્યા?
Dec 3, 2025
ભાગવત રહસ્ય-૧૫-Bhgavat Rahasya-15
સનકાદિક -નારદજીને પૂછે છે—આપ ચિંતામાં કેમ છો ? તમે તો હરિદાસ છો.
શ્રીકૃષ્ણના દાસ કદી ના હોય ઉદાસ.
'મારી કોઈ નિંદા કરે-મને કોઈ ગાળ આપે—તે મારા કલ્યાણ માટે.- જે થાય છે તે મારા ભલા માટે થાય છે' એમ વૈષ્ણવો માને છે.વૈષ્ણવો સદા પ્રભુ ચરણમાં ,પ્રભુના નામમાં રહે છે.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-998
અધ્યાય-૧૧૪-દશમો દિવસ (ચાલુ)ભીમ અને અર્જુનનું પરાક્રમ
॥ संजय उवाच ॥ अर्जुनस्तु रणे शल्यं यतमानं महारथम् I छादयामस समरे शरैः सन्नतप र्वभि: ॥१॥
સંજયે કહ્યું-એ સંગ્રામમાં પોતાને આગળ વધતો અટકાવવાને પ્રયત્ન કરતા શલ્યને,અર્જુને બાણો મૂકીને છાઈ દીધો.વળી,તેણે સુશર્મા,કૃપાચાર્ય,ભગદત્ત,જયદ્રથ,ચિત્રસેન,વિકર્ણ,કૃતવર્મા,દુર્મુર્ષણ અને અવંતીકુમારોને પણ બાણોથી વીંધી નાખ્યા.ત્યારે ચિત્રસેનના રથમાં બેઠેલા જયદ્રથે,સામે અર્જુન અને ભીમને વીંધ્યા.તે જ રીતે બીજા કૌરવ મહારથીઓએ પણ અર્જુન અને ભીમ સામે પ્રહાર કર્યો.એ ભયંકર યુદ્ધમાં થયેલો માનવ સંહાર અકલ્પનીય હતો.ને એ સંગ્રામમાં અર્જુન અને ભીમનું પરાક્રમ અદભુત હતું.અર્જુન એકલો જ બાણોનો વરસાદ વરસાવી ને તે સર્વ યોદ્ધાઓને અટકાવી રાખીને સંહાર કરતો હતો.





