કથા માં બેસો ત્યારે પણ મંગલાચરણ કરીને બેસો.શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે કે દેવો પણ સત્કર્મમાં વિઘ્ન કરે છે. દેવોને ઈર્ષા થાય છે કે-આ નારાયણનું ધ્યાન કરશે તો અમારા જેવો થશે.
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Jan 8, 2026
ભાગવત રહસ્ય-૩૦-સ્કંધ-૧-Bhgavat Rahasya-30-Skandha-1
કથા માં બેસો ત્યારે પણ મંગલાચરણ કરીને બેસો.શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે કે દેવો પણ સત્કર્મમાં વિઘ્ન કરે છે. દેવોને ઈર્ષા થાય છે કે-આ નારાયણનું ધ્યાન કરશે તો અમારા જેવો થશે.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1014
અધ્યાય-૮-દ્રોણવધનું સંક્ષિપ્ત કથન
II संजय उवाच II तथा द्रोणमभिघ्नन्तं साश्वसूतरथद्विपान I व्यथिताः पांडवा द्रष्ट्वा न चैनं पर्यवारयन II १ II
સંજય બોલ્યો-આ પ્રમાણે દ્રોણાચાર્ય ઘોડાઓ,હાથીઓ,રથો સાથે પોતાના સૈન્યને લઈને આગળ વધતા હતા તે જોઈને પાંડવો ગભરાઈ ગયા અને તેમને અટકાવી શક્યા નહિ.પછી,યુધિષ્ઠિરે ધૃષ્ટદ્યુમ્ન અને અર્જુનને આજ્ઞા કરી કે 'તમે બરાબર સાવધાન થઈને દ્રોણાચાર્યને ચોતરફથી આગળ વધતા અટકાવો.' ને આ રીતે આજ્ઞા થતાં અર્જુને અને ધૃષ્ટદ્યુમ્ને પોતાના અનુયાયીઓ સાથે દ્રોણાચાર્ય સામે ધસારો કર્યો.ત્યારે તેમને સાથ આપવા બીજા મહારથીઓ પણ ત્યાં આવી પહોંચ્યા.અને સર્વ પોતપોતાના પરાક્રમો દેખાડવા માંડ્યા.ત્યારે તે સર્વને જોઈને રણમાં અતિ દુર્જય એવા ગુરુ દ્રોણાચાર્ય કોપાયમાન થઇ ને બાણોની વર્ષા કરીને પાંડવોના સૈન્યને વિખેરી નાખીને ચારે બાજુ ઉન્મત્તની જેમ ઘૂમવા લાગ્યા.
Dec 18, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1013
અધ્યાય-૭-દ્રોણનો સેનાપતિપદે અભિષેક
II द्रोण उवाच II वेदं षड्गं वेदाहमर्थविद्यां च मानवीं I त्रैम्बकंथेष्वस्त्रं शस्त्राणि विविधानि च II १ II
દ્રોણ બોલ્યા-'હું વેદોને,વેદોનાં છ અંગોને,મનુએ કહેલી અર્થવિદ્યાને,શિવે આપેલાં અસ્ત્રને અને એ ઉપરાંત અનેક જાતનાં શસ્ત્રોને જાણું છું.જયની ઈચ્છાવાળા તમે મારામાં જેજે ગુણો કહયા છે તે બધાને દેખાડવાની ઈચ્છાથી હું પાંડવો સામે યુદ્ધ કરીશ પણ દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્નને હું આ રણસંગ્રામમાં કોઈ પણ રીતે મારી શકીશ નહિ કેમ કે તેને મારો વધ કરવા માટે જ ઉત્પન્ન કરવાં આવ્યો છે.હું સોમક યોદ્ધાઓનો નાશ કરતો રહીશ અને પાંડવોના સૈન્યો સામે યુદ્ધ કરીશ પણ પાંડવો હર્ષયુક્ત થઈને મારી સામે યુદ્ધ કરશે નહિ'
Dec 17, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1012
અધ્યાય-૬-દુર્યોધને દ્રોણાચાર્યને આપેલું પ્રોત્સાહન
II संजय उवाच II कर्णस्य वचनं श्रुत्वा राजा दुर्योधनस्तदा I सेनामध्य गतं द्रोणमिदं वचनमब्रवीत II १ II
સંજય બોલ્યો-'ત્યારે કર્ણનાં એ વચન સાંભળીને દુર્યોધન,સેનાની મધ્યમાં ઉભેલા દ્રોણાચાર્યને કહેવા લાગ્યો કે-
'હે બ્રાહ્મણશ્રેષ્ઠ,ઉત્તમ બ્રાહ્મણવર્ણ,શ્રેષ્ઠ કુળમાં જન્મ,શાસ્ત્રાભ્યાસ,વય,બુદ્ધિ,પરાક્રમ,દક્ષતા,અજેયપણું,
અર્થજ્ઞાન,નીતિ,જપ,તપ,અને કૃતજ્ઞતા એ સર્વ ગુણોથી આપ વૃદ્ધ છો.આપ સમાન બીજો કોઈ પણ પુરુષ આ રાજાઓનો યોગ્ય રક્ષક નથી,માટે હે નિષ્પાપ,ઇન્દ્ર જેમ દેવોનું રક્ષણ કરે છે તેમ આપ અમારું રક્ષણ કરો.આપની આગેવાની હેઠળ અમે શત્રુઓને જીતવા ઇચ્છીએ છીએ.





