Feb 2, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1035

 

અધ્યાય-૨૯-ભગદત્તનો વધ 


  II धृतराष्ट्र उवाच II तथा क्रुद्वः किंकरोद भगदत्तस्य पांडवः I प्राग्ज्योतिषो वा पार्थस्य तन्मे शंस यथातथम् II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-અર્જુન જયારે તે પ્રમાણે કોપી ઉઠ્યો ત્યારે તેણે ભગદત્તને શું કર્યું?અને ભગદત્તે શું કર્યું?તે મને કહે.

સંજય બોલ્યો-ભગદત્ત સાથે યુદ્ધ કરવા આવેલા અર્જુન અને શ્રીકૃષ્ણને જોઈને સર્વ લોકો માની બેઠા કે-'આ બંને જણા મૃત્યુની દાઢમાં આવ્યા છે' હે મહારાજ,રથમાં બેઠેલા અર્જુન અને શ્રીકૃષ્ણ પર ભગદત્તે બાણોનો વરસાદ કર્યો ને તેમને વીંધી નાખ્યા.ત્યારે કોપેલા અર્જુને સામે તેના ધનુષ્યને કાપી નાખ્યું.ભગદત્તે ચૌદ તોમરો છોડ્યાં કે જેના અર્જુને ટુકડેટુકડા કરી નાખ્યા ને સામે બાણોનો મોટો ઢગ છોડીને તેના હાથીના કવચને તોડી નાખ્યું.હાથી અત્યંત ઘાયલ થયો.

Feb 1, 2026

ભાગવત રહસ્ય-૫૨-Bhgavat Rahasya-52

શ્રીકૃષ્ણ પ્રેમ સ્વરૂપ છે. શ્રીકૃષ્ણની બધી લીલા પ્રેમથી ભરેલી છે. આરંભથી અંત સુધી પરમાત્મા પ્રેમ કરે છે.શ્રીકૃષ્ણ ચરિત્રનો આરંભ –પુતના ચરિત્રથી થાય છે. ઝેર આપનાર પુતના સાથે શ્રી કૃષ્ણ પ્રેમ કરે છે.જે ગતિ માતા યશોદાને આપી છે-તેવી જ ગતિ પુતનાને પણ આપી છે.શિશુપાળ-ભરી સભામાં ગાળો આપે છે-તેને મુક્તિ આપે છે.
જે ભીષ્મ પિતાએ-પોતાને બાણ માર્યા છે-તેના અંત કાળે તેમની પાસે ગયા છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1034

 

અધ્યાય-૨૮-કાળના મુખમાં ભગદત્ત 


II संजय उवाच II यियासतस्तत: कृष्णः पार्थस्याश्वान्मनोजवान I संप्रेपिद्वेमसंछन्नान् द्रोणानिकाय सत्वरन् II १ II

સંજય બોલ્યો-એ પ્રમાણે અર્જુને જયારે ભગદત્ત તરફ જવાની ઈચ્છા કરી ત્યારે શ્રીકૃષ્ણે,અર્જુનના મન સમાન વેગવાળા તથા સુવર્ણના સાજથી ઢંકાયેલા ઘોડાઓને ઘણી ઝડપથી દ્રોણના સૈન્ય તરફ હાંક્યા.દ્રોણાચાર્યે દુઃખી કરેલા પોતાના ભાઈઓને સહાય કરવા માટે જયારે અર્જુને પ્રયાણ કર્યું ત્યારે સુશર્મા પોતાના ભાઈઓ સાથે યુદ્ધ કરવાની ઈચ્છાથી તેની પાછળ પડ્યો.તે જોઈ અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું કે-'હે અચ્યુત,એક તરફ ભાઈઓ સહીત આ સુશર્મા મને યુદ્ધ કરવા બોલાવે છે અને બીજી તરફ યુધિષ્ઠિરના સૈન્યનો સંહાર થઇ રહ્યો છે,આજે મારુ મન આ સંશપ્તકોને લીધે બે સ્થળે વહેંચાઈ ગયું છે,આ સંબંધમાં તમારો શું મત છે?કયા કાર્યમાં મારુ કલ્યાણ રહેલું છે?તે તમે જાણો છો માટે તમે જ કહો'

Jan 31, 2026

ભાગવત રહસ્ય-૫૧-Bhgavat Rahasya-51

નારદજી કહે છે-ભગવાનને કિર્તન ભક્તિ અતિ પ્રિય છે. આ વીણા- લઇ હું જગતમાં ફરું છું. નાદ સાથે કિર્તન કરું છુ.હું જગતમાં ફરું છું-અને અધિકારી જીવો- અને-કોઈ લાયક ચેલો મળે તો તેને પ્રભુના ધામમાં લઇ જઉં છું.સમુદ્રમાં એક ડૂબકીએ રત્ન મળતા નથી. પણ વારંવાર ડુબકી મારતા રહો ત્યારે કોઈ એક રત્ન મળે છે.મને રસ્તામાં ધ્રુવ મળ્યો-પ્રહલાદ મળ્યા. આવા જીવોને –આવા ભક્તોને હું પ્રભુ પાસે લઇ ગયો. અને લઇ જાઉં છું.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1033

 

અધ્યાય-૨૭-સંશપ્તકોનો સંહાર 


II संजय उवाच II यन्मां पार्थस्य संग्रामे कर्माणि परिप्रुच्छसि I तछ्रुणुश्व महाबाहो पार्थो यदकरोद्रयो II १ II

સંજય બોલ્યો-હે મહાબાહુ,હવે બીજી બાજુ અર્જુને રણમાં જે કરી દેખાડ્યું હતું તે તમે સાંભળો.ભગદત્તના હાથીની ગર્જનાઓ સાંભળી અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું કે-'હે મધુસુદન,ત્યાં ભગદત્ત યુદ્ધ કરવા નીકળ્યો હોય તેમ લાગે છે.હાથી પર બેસી યુદ્ધ કરવામાં એ કુશળ છે ને તેનો હાથી પણ સર્વ હાથીઓમાં શ્રેષ્ઠ છે,તેની સામે કોઈ પણ ટક્કર ઝીલે તેમ નથી.તેનો હાથી હથિયારોના મારાને સહન કરનારો છે ને તેને અગ્નિનો સ્પર્શ પણ અસર કરી શકતો નથી.આથી તે એકલો જ આપણા સૈન્યનો ઘાણ કાઢી નાખશે.આપણા બે સિવાય તેને જીતવાને કોઈ સમર્થ નથી,માટે આપણે ત્યાં જઈએ.તે ભગદત્ત પોતાના હાથીના બળથી ગર્વિષ્ઠ થઈ ગયો છે ને પાકી ગયેલી ઉંમરથી તે રૂઢ અહંકારવાળો થયો છે,આજે તેને હું ઇન્દ્રના અતિથિ તરીકે મોકલી દઈશ.'

Jan 30, 2026

ભાગવત રહસ્ય-૫૦-Bhgavat Rahasya-50

નારદજી કહે છે –સતત હું વિચારતો-મારા શ્રીકૃષ્ણની ઝાંખી થાય તો કેવું સારું ? અને લાલાએ કૃપા કરી ખરી!! એક દિવસ ધ્યાનમાં મને સુંદર નીલો પ્રકાશ દેખાયો. પ્રકાશને નિહાળીને હું જપ કરતો હતો.ત્યાં જ –પ્રકાશમાંથી બાલકૃષ્ણ નુ સ્વરૂપ પ્રગટ થયું.મને બાલકૃષ્ણલાલના સ્વરૂપની ઝાંખી થઇ.