અધ્યાય-૨૯-ભગદત્તનો વધ
II धृतराष्ट्र उवाच II तथा क्रुद्वः किंकरोद भगदत्तस्य पांडवः I प्राग्ज्योतिषो वा पार्थस्य तन्मे शंस यथातथम् II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-અર્જુન જયારે તે પ્રમાણે કોપી ઉઠ્યો ત્યારે તેણે ભગદત્તને શું કર્યું?અને ભગદત્તે શું કર્યું?તે મને કહે.
સંજય બોલ્યો-ભગદત્ત સાથે યુદ્ધ કરવા આવેલા અર્જુન અને શ્રીકૃષ્ણને જોઈને સર્વ લોકો માની બેઠા કે-'આ બંને જણા મૃત્યુની દાઢમાં આવ્યા છે' હે મહારાજ,રથમાં બેઠેલા અર્જુન અને શ્રીકૃષ્ણ પર ભગદત્તે બાણોનો વરસાદ કર્યો ને તેમને વીંધી નાખ્યા.ત્યારે કોપેલા અર્જુને સામે તેના ધનુષ્યને કાપી નાખ્યું.ભગદત્તે ચૌદ તોમરો છોડ્યાં કે જેના અર્જુને ટુકડેટુકડા કરી નાખ્યા ને સામે બાણોનો મોટો ઢગ છોડીને તેના હાથીના કવચને તોડી નાખ્યું.હાથી અત્યંત ઘાયલ થયો.





