અધ્યાય-૧૧૨-સાત્યકિનો કૌરવસેનામાં પ્રવેશ
II संजय उवाच II धर्मराजस्य तद्वाक्यं निशम्य शिनिपुंगवः I स पार्थाद्भयमाशंशन परित्यागान्महिपते: II १ II
સંજય બોલ્યો-ધર્મરાજાનું તે વાક્ય સાંભળ્યા પછી,શિનિશ્રેષ્ઠ સાત્યકિને,યુધિષ્ઠિરનો ત્યાગ કરવાથી અર્જુન તરફના ભયની તથા વિશેષે કરીને લોકો તરફના 'સાત્યકિ ડરી ગયો' એ રીતના અપવાદની વિચારણા થવા લાગી.તેથી તે મનમાં ને મનમાં બોલ્યો કે-'મને લોકો કહેશે કે,તું અર્જુન તરફ ગયો કેમ કે તું કૌરવસેનાથી ભયભીત થઇ ગયો છે' આ રીતે અનેક વિચાર કર્યા પછી સાત્યકિએ યુધિષ્ઠિરને કહ્યું કે-'હે મહારાજ,તમે તમારું રક્ષણ કરાયેલું માનતા હો તો તમારું કલ્યાણ થાઓ.હું અર્જુન તરફ જઈશ ને તમારું વચન પાળીશ.આ ત્રણેય લોકમાં મને અર્જુન કરતાં અધિક બીજો કોઈ પ્રિય નથી.





