રાજા : મને પ્રભુએ બહુ આપ્યું છે.તેથી વાપરવામાં સંકોચ રાખતો નથી, બ્રાહ્મણો ની સેવા કરું છું, યજ્ઞ દ્વારા સમાજસેવામાં સંપત્તિનો ઉપયોગ થાય છે-એટલે યજ્ઞો કરું છું.
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Apr 24, 2026
ભાગવત રહસ્ય-૧૩૨-Bhgavat Rahasya-132
રાજા : મને પ્રભુએ બહુ આપ્યું છે.તેથી વાપરવામાં સંકોચ રાખતો નથી, બ્રાહ્મણો ની સેવા કરું છું, યજ્ઞ દ્વારા સમાજસેવામાં સંપત્તિનો ઉપયોગ થાય છે-એટલે યજ્ઞો કરું છું.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1114
અધ્યાય-૧૧૮-સુદર્શનનો વધ
II संजय उवाच II द्रोणं स जित्वा पुरुषप्रवीरस्तथैव हार्दिक्यमुखौस्तवदीयान I प्रहस्य सुतं वचनं वमापे शिनिप्रवीरः कुरुपुंगवाय्य्र II १ II
સંજય બોલ્યો-હે ક્રુરુશ્રેષ્ઠ રાજા,પુરુષોમાં વીર એવા તે સાત્યકિએ દ્રોણાચાર્યનો તથા કૃતવર્માનો પરાજય કરીને હસતાં હસતાં સારથિને કહ્યું કે-'હે સૂત,અર્જુને ને કેશવે આ શત્રુઓનો નાશ કરી જ નાખ્યો હતો,આપણે જે કરી રહ્યા છીએ તે તો કેવળ નિમિત્ત જ છે અને આપણે અર્જુને મારેલાને જ મારીએ છીએ' તેમ કહીને તે આગળ વધ્યો,તેને અટકાવવા કોઈ યોદ્ધો સમર્થ થયો નહિ.એવામાં ધનુર્ધર રાજા સુદર્શને તેને અટકાવ્યો ને તેમની વચ્ચે દારુણ સંગ્રામ શરુ થયો.
Apr 23, 2026
ભાગવત રહસ્ય-૧૩૧-Bhgavat Rahasya-131
સુરુચિનો પુત્ર અને ધ્રુવજીના ભાઈ રાજકુમાર- ઉત્તમ -એક વખત જંગલમાં શિકાર કરવા ગયા છે-ત્યાં યક્ષો સાથે યુદ્ધ થયું-જેમાં તે માર્યો ગયો.સમાચાર સાંભળી ધ્રુવજી યક્ષો જોડે યુદ્ધ કરવા જાય છે-ભીષણ યુદ્ધ થયું છે-ધ્રુવ યક્ષોનો સંહાર કરવા લાગ્યા.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1113
અધ્યાય-૧૧૭-સાત્યકિનું પરાક્રમ
II संजय उवाच II काल्पमानेषु सैन्येषु शैनेयेन ततस्ततः I भारद्वाजः शरव्रातैर्महद्भि: समवाकिरत II १ II
સંજય બોલ્યો-એ પ્રમાણે સાત્યકિએ કૌરવોનાં સૈન્યોને ચારે બાજુ નસાડવા માંડ્યાં ત્યારે દ્રોણાચાર્ય અનેક બાણો મૂકીને તેને ઢાંકી દેવા લાગ્યા.બંને વચ્ચે ધમાસણ યુદ્ધ શરુ થયું.આચાર્યે સાત્યકિના ભાલ પર બાણોથી પ્રહાર કર્યો કે જે તેના લલાટ પર આવીને ખૂંચી ગયાં.વળી બીજાં અનેક બાણોથી આચાર્યે તેના પર પ્રહાર કર્યો કે જેને સાત્યકિએ અધવચ્ચે જ કાપી નાખ્યાં.સાત્યકિની ચાલાકીથી દ્રોણાચાર્ય હસ્યા અને બીજાં ત્રીસ બાણોથી તેને વીંધી નાખ્યો.સામે સાત્યકિએ અનેક બાણો છોડીને દ્રોણના રથને ઢાંકી દીધો.બંને પુરુષશ્રેષ્ઠો સમાન જ દેખાતા હતા.
Apr 22, 2026
ભાગવત રહસ્ય-૧૩૦-Bhgavat Rahasya-130
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1112
અધ્યાય-૧૧૬-દુર્યોધનનો તથા કૃતવર્માનો પરાજય
II संजय उवाच II ते किरंतः शरवरातान सर्वे यत्ताः प्रहारिणः I त्वरमाणा महाराज युयुधान मयोधयम् II १ II
સંજય બોલ્યો-હે મહારાજ,અનેક બાણોને છોડી રહેલા તે સર્વ યોદ્ધાઓ બરાબર સજ્જ થઈને ઉતાવળા સાત્યકિની સામે યુદ્ધ કરવા લાગ્યા.તે સાત્યકિને દ્રોણાચાર્યે,દુર્મુષણે,દુઃસહે ને વિકર્ણે અનેક બાણોથી વીંધી નાખ્યો.દુર્યોધને પણ તેને સારી રીતે પીડયો હતો.ત્યારે સામે સાત્યકિએ તે સર્વને દશ દશ બાણોથી વીંધીને તે દુર્યોધન સામે ચડી ગયો.બંને વચ્ચે યુદ્ધ શરુ થયું.અન્યોન્ય સામે બાણો છોડી રહેલા તે બંને મહારથીઓએ એક બીજાને રણમાં અદૃશ્ય કરી દીધા.જયારે સાત્યકિએ કે ક્ષુરપ્ર બાણથી દુર્યોધનનું ધનુષ્ય કાપી નાખ્યું ત્યારે દુર્યોધને તરત જ નવું ધનુષ્ય લઇ સો બાણોનું સંધાન કરીને સાત્યકિને વીંધી નાખ્યો.





