Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
May 8, 2026
Home Page
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1125
અધ્યાય-૧૨૯-ભીમનો સૈન્ય પ્રવેશ અને કર્ણનો પરાજય
II धृतराष्ट्र उवाच II तथा तु नर्दमानं तं भीमसेनं महाबलम् I मेघस्तनितनिर्घोषं के वीराः पर्यवारयन II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યો-એ રીતે મેઘગર્જના સમાન ઘોષથી ગાજી રહેલા એ મહાબળવાન ભીમસેનને આપણા પક્ષના કયા વીરોએ આગળ વધતો અટકાવ્યો હતો? ક્રોધાયમાન થયેલા ભીમની સામે રણમાં ઉભો રહે તેવો એક પણ પુરુષ મને ત્રણેય લોકમાં દેખાતો નથી.ત્યાં કયા પુરુષો તણખલા સમાન મારા પુત્રોને બાળી નાખવા ઇચ્છતા એ ભીમસેનરૂપ દાવાનળ સામે રણમાં ઉભા રહ્યા હતા?જેમ,કાળ સર્વ પ્રજાઓને તગેડી મૂકે છે તેમ ભીમસેન મારા પુત્રોને તગેડી રહ્યો હતો તો તે જોઈને કયા વીરપુરુષોએ તેને ઘેરી લીધો હતો? ખરેખર મને જેવો ભય ભીમથી થાય છે તેવો ભય નથી થતો અર્જુનથી,કૃષ્ણથી કે ધૃષ્ટદ્યુમ્નથી.મારા પુત્રોને બાળી નાખવાની ઈચ્છાથી ભડભડ થયેલા એ ભીમરૂપી અગ્નિની આસપાસ ક્યા શૂરાઓ વીંટાઈ વળ્યા હતા?તે તું કહે.
May 4, 2026
ભાગવત રહસ્ય-૧૪૨-Bhgavat Rahasya-142
શુકદેવજી વર્ણન કરે છે-રાજન, પવિત્ર બ્રાહ્મણને ઘેર ભરતજીનો જન્મ થયો છે. ભરતજી નો આ છેલ્લો જન્મ છે.તેમને પૂર્વજન્મનું જ્ઞાન છે-'હરણમાં મન ફસાયું અને પશુજન્મ મળ્યો-તે યાદ છે. હરણના સંગથી હરણ બન્યો, હવે માનવના સંગથી માનવ થઈશ, મારે હવે કોઈનો સંગ કરવો નથી, મારે હવે પરમાત્માના શરણમાં જવું છે.'
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1124
અધ્યાય-૧૨૮-ભીમનો કૌરવસૈન્યમાં પ્રવેશ અને યુધિષ્ઠિરનો હર્ષ
II संजय उवाच II समुत्तीर्ण रथानीकं पांडवं विहसन् रणे I विवारयिपुराचार्यः शस्वर्पैरवाकिरत् II १ II
સંજય બોલ્યો-આમ પાંડુપુત્ર ભીમસેન રથસૈન્યને વટાવીને આગળ વધી રહ્યો હતો ત્યારે તેને અટકાવવાની ઈચ્છાથી,દ્રોણાચાર્ય બીજા રથમાં બેસીને બાણોની વૃષ્ટિ કરીને તેને ઢાંકી દેવા માંડ્યા.પણ પોતાની બળની માયાથી મોહ પમાડતો તે ભીમસેન દ્રોણાચાર્યના બાણોને જાણે પી જતો હોય એમ જણાતું હતું.તે સમયે કેટલાએક ધનુર્ધર રાજાઓ ઘણો વેગ કરીને તેને ચારે બાજુથી ઘેરી વળ્યા.ત્યારે ભીમસેને સિંહ ગર્જના કરીને શત્રુપક્ષનો વિનાશ કરનારી પોતાની ગદા ઉઠાવીને વેગપૂર્વક ફેંકી.તે ગદા જાણે ઇન્દ્રે સર્વ શક્તિને એકત્ર કરીને વજ્ર ફેંક્યું હોય તેવી જણાતી હતી.
May 3, 2026
ભાગવત રહસ્ય-૧૪૧-Bhgavat Rahasya-141
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1123
અધ્યાય-૧૨૭-ભીમસેનનો કૌરવસેનામાં પ્રવેશ
II भीमसेन उवाच II ब्रह्मेशानेन्द्रवरुणानवहद्यः पुरा रथः I तमास्थाय गतौ कृष्णौ न त्योर्निद्यते भयम् II १ II
ભીમસેન બોલ્યો-'પૂર્વે બ્રહ્મા,શંકર,ઇન્દ્ર અને વરુણ યુદ્ધ સમયે જે રથમાં બેસતા હતા તે રથમાં બેસીને અર્જુન તથા શ્રીકૃષ્ણ યુદ્ધ કરવા ગયા છે માટે તે બંનેને કોઈ જાતનો ભય હોય નહિ.છતાં આપની આજ્ઞાને મસ્તક પર ચડાવીને હું જાઉં છું.તમે શોક કરશો નહિ.તે પુરુષવ્યાઘ્રોને મળીને હું આપણે તેમનો કુશળ સંદેશ આપીશ' એમ કહીને ભીમે ધૃષ્ટદ્યુમ્નને યુધિષ્ઠિરનું રક્ષાકર્મ સોંપતા તેને કહું કે-'યુધિષ્ઠિરે મને અર્જુન અને સાત્યકિના પગલે જવાની આજ્ઞા આપી છે.અને તેને પાછી ઠેલવાની હું હામ કરી શકતો નથી.તમે બરાબર સાવધાન થઈને યુધિષ્ઠિરનું રક્ષણ કરજો,આ યુદ્ધમાં તમારું પરમ કર્તવ્ય આ જ છે'





