- શિવ-મહિમ્ન-સ્તોત્ર-ગુજરાતી-શબ્દાર્થ સાથે-Shiv Mahimna-Stotra-Gujarati-with translation
- દ્વાદશ -જ્યોતિર્લિંગ-સ્તોત્ર -DWADASA JYOTIRLINGA STOTRAM – GUJARATI
- શિવ માનસ પૂજા-SHIVA MANASA PUJA – GUJARATI
- શિવ -પંચાક્ષર -સ્તોત્ર -SHIVA PANCHAKSHARI STOTRA– GUJARATI
- રુદ્રાષ્ટકમ-નમામીશ મીશાન-RUDRA ASHTAKAM – GUJARATI
- આત્માષ્ટકમ-Aatmshtakam-Stotra-With Gujarati Traslation
- શિવ-સૂત્રો
- શિવ-ગીતા
- શિવ-લહરી
- શિવ-પૂજન વિધિ-વેદોક્ત
- શિવ-પુરાણ
- શિવ-સ્તોત્રો
- શિવ-સ્તુતિ
- લઘુ-રુદ્રાભિષેક
- રૂદ્રાષ્ઠાધ્યાયી (શુક્લ યજુર્વેદીય) અર્થ સાથે
Jul 27, 2025
Shiv sahitya all list-શિવજી વિશેનું સાહિત્ય-list
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-879
तानि सर्वाणि संयम्य युक्त आसीत मत्परः । वशे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥६१॥
ध्यायतो विषयान्पुंसः सङ्गस्तेषूपजायते । सङ्गात्संजायते कामः कामात्क्रोधोऽभिजायते ॥६२॥
क्रोधाद्भवति संमोहः संमोहात्स्मृतिविभ्रमः । स्मृतिभ्रंशाद्बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति ॥६३॥
હે અર્જુન,એથી સાધકે પોતાની ઈન્દ્રિયોનો સંયમ કરી મારું (પરમાત્માનું) ધ્યાન કરવું જોઈએ.એમ કરવાથી
ઈન્દ્રિયો વશમાં રહેશે અને મારામાં (પ્રભુમાં) મન-બુદ્ધિને સ્થિર કરી શકશે.(૬૧)
Jul 26, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-878
स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि । धर्म्याद्धि युद्धाच्छ्रेयोऽन्यत्क्षत्रियस्य न विद्यते ॥३१॥
यदृच्छया चोपपन्नं स्वर्गद्वारमपावृतम् । सुखिनः क्षत्रियाः पार्थ लभन्ते युद्धमीदृशम् ॥३२॥
अथ चेत्त्वमिमं धर्म्यं संग्रामं न करिष्यसि । ततः स्वधर्मं कीर्तिं च हित्वा पापमवाप्स्यसि ॥३३॥
अकीर्तिं चापि भूतानि कथयिष्यन्ति तेऽव्ययाम् । सम्भावितस्य चाकीर्तिर्मरणादतिरिच्यते ॥३४॥
હે પાર્થ,તું તારા સ્વ-ધર્મ વિશે વિચાર.તું ક્ષત્રિય છે અને ન્યાય માટે લડાનાર આ યુદ્ધમાં ભાગ લેવાથી મોટું તારે
માટે કોઈ કર્તવ્ય નથી.સ્વર્ગના દ્વાર સમું આવું યુદ્ધ લડવાનું સૌભાગ્ય કોઈ ભાગ્યવાન ક્ષત્રિયને જ મળે છે. (૩૨)
જો તું યુદ્ધ નહીં કરે તો તારા સ્વધર્મનું પાલન ન કરવાથી અપકીર્તિ અને પાપનો ભાગીદાર થશે. (૩૩)
લોકો તારી બદનામી કરશે,તારી (અકીર્તિની) વાતો કરતા થાકશે નહીં.
તારા જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિ માટે અપયશ,મૃત્યુ કરતાં પણ બદતર સાબિત થશે.(૩૪)
Jul 25, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-877
यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ । समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते ॥१५॥
नासतो विद्यते भावो नाभावो विद्यते सतः । उभयोरपि दृष्टोऽन्तस्त्वनयोस्तत्त्वदर्शिभिः ॥१६॥
अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततम् । विनाशमव्ययस्यास्य न कश्चित्कर्तुमर्हति ॥१७॥
જે ધીર પુરુષ એનાથી વ્યથિત નથી થતો તથા સુખ અને દુઃખ બંનેમાં સમ રહે છે તે મોક્ષનો અધિકારી થાય છે.
અસત્ કદી અમર નથી રહેતું ,જ્યારે સતનો કદાપિ નાશ નથી થતો તત્વદર્શીઓ એ આવો આનો નિર્ણય લીધેલો છે.
જે સર્વત્ર વ્યાપક છે તે તત્વ તો અવિનાશી છે,અને જે અવિનાશી હોય એનો નાશ કદાપિ થતો નથી. (૧૭)
Jul 24, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-876
અધ્યાય-૨૬-સાંખ્યયોગ
संजय उवाच--तं तथा कृपयाविष्टमश्रुपूर्णाकुलेक्षणम् । विषीदन्तमिदं वाक्यमुवाच मधुसूदनः ॥१॥
સંજય કહે છે-આંખમાં આંસુ અને હૃદયમાં શોક તથા વિષાદ ભરેલ અર્જુનને,મધુસૂદને આમ કહ્યું.(૧)
कुतस्त्वा कश्मलमिदं विषमे समुपस्थितम् । अनार्यजुष्टमस्वर्ग्यमकीर्तिकरमर्जुन ॥२॥
क्लैब्यं मा स्म गमः पार्थ नैतत्त्वय्युपपद्यते । क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परन्तप ॥ ३॥
હે અર્જુન,યુદ્ધ ભૂમિમાં આ સમયે તને આવા વિચારો ક્યાંથી આવી રહ્યા છે?કારણ કે જેને લીધે
ન તો સ્વર્ગ મળે છે કે ન તો કીર્તિ પ્રાપ્ત થાય છે,આવા વિચારો તારા જેવા શ્રેષ્ઠ પુરુષો કરતા નથી.(૨)
હે પાર્થ,તું આવા દુર્બળ અને કાયર વિચારોનો ત્યાગ કર અને યુદ્ધ કરવા માટે તૈયાર થા.(૩)
Jul 23, 2025
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-875
निमित्तानि च पश्यामि विपरीतानि केशव । न च श्रेयोऽनुपश्यामि हत्वा स्वजनमाहवे ॥३१॥
न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च । किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा ॥३२॥
હે કેશવ,મને અમંગલ લક્ષણો દેખાઈ રહ્યા છે.મારા સ્વજન અને હિતેચ્છુઓને મારવામાં મને કોઈ
કલ્યાણનું કામ હોય એમ નથી લાગતું,હે કૃષ્ણ,મને ન તો યુદ્ધમાં વિજય મેળવવાની ઈચ્છા છે,
ન તો રાજ્યગાદી મેળવવાની કે અન્ય સુખોની કામના છે. (૩૧-૩૨)