અધ્યાય-૮૨-સાતમો દિવસ (ચાલુ) દ્વૈરથ યુદ્ધ
॥ संजय उवाच ॥ तथा प्रवृत्ते संग्रामे निवृत्ते च सुशर्मणि I भग्नेषु चापि वीरेषु पाण्डवेन महात्मना ॥१॥
સંજયે કહ્યું-એ પ્રમાણે સંગ્રામ ચાલતો હતો અને સુશર્મા જયારે પાછો હટ્યો ત્યારે ભીષ્મ અર્જુન સામે ત્વરાથી ધસી ગયા.અર્જુનનું પરાક્રમ જોઈને દુર્યોધને સર્વ રાજાઓને અને સુશર્માને,ભીષ્મનું રક્ષણ કરવાનું કહ્યું.એટલે તે સર્વ રાજાઓ ભીષ્મની પાછળ ગયા.સામે ધસી આવતા અર્જુનને જોઈને તમારા સર્વ સૈન્યમાં તુમુલ શબ્દ થયો.તે જ રીતે ભીષ્મને ધસી આવતા જોઈને પાંડવ સૈન્યમાં પણ અનેક પોકારો થયા.અર્જુન અને ભીષ્મ વચ્ચે ભયંકર યુદ્ધ શરુ થયું.





