અધ્યાય-૧૧૬-દશમો દિવસ (ચાલુ) સંકુલ યુદ્ધ
॥ संजय उवाच ॥ अभिमन्युर्महाराज तवपुत्रमयोधत I महत्या सेनयायुक्तं भीष्महेतोः पराक्रमी ॥१॥
સંજયે કહ્યું-હે મહારાજ,પરાક્રમી અભિમન્યુ,મોટી સેનાને લઈને ઉભેલા તમારા પુત્ર દુર્યોધન સામે ભીષ્મનો પરાજય કરવા યુદ્ધ કરતો હતો.ત્યારે ક્રોધાયમાન થયેલા દુર્યોધને તેના પર પ્રહાર કરીને તેને છાતીમાં વીંધી નાખ્યો.સામે અભિમન્યુએ એક ભયંકર શક્તિ દુર્યોધન સામે ફેંકી,કે જેને દુર્યોધને બાણ મૂકીને ટુકડા કરી નાખી.પોતાની શક્તિને આમ વ્યર્થ થયેલી જોઈને અભિમન્યુએ દુર્યોધનના બંને બાહુઓમાં અને છાતીમાં પ્રહાર કરી તેને માર માર્યો.બંને વચ્ચેનું યુદ્ધ મહાઘોર ને અદભુત હતું.





