અધ્યાય-૧૧૯-મ્લેચ્છોનો પરાજય
II संजय उवाच II ततः स सत्यकिर्धिमान महात्मा वृष्णिपुङ्गव:I सुदर्शनं निहत्याजौ यन्तारं पुनरब्रवीत II १ II
સંજય બોલ્યો-હે રાજન,સુદર્શનના વધ પછી વૃષ્ણિવંશના બુદ્ધિમાન,મહામનસ્વી સાત્યકિ સારથિને કહેવા લાગ્યો કે-'હે સૂત,રથ,ઘોડા ને હાથીઓથી ભરેલી દેઓનાચાર્યની સેના મહાસાગર સમાન હતી.જે યોદ્ધો વિજયની અભિલાષા ન રાખે તેવાને માટે તે પ્રાણનાશક સેનાસાગર દુર્ઘર્ષ હતો.જલસંઘની સેનાએ તે સેનાસાગરને ઘેરી રાખ્યો હતો.આવા સેનાસાગરને આપણે પાર કરી ગયા છીએ.હવે તેનાથી ભિન્ન જે સેના છે તેને તો હું નાની નદી સમાન જ સમજુ છું,માટે નિર્ભય થઈને ઘોડાઓ ચલાવ.





