May 4, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1124

 

અધ્યાય-૧૨૮-ભીમનો કૌરવસૈન્યમાં પ્રવેશ અને યુધિષ્ઠિરનો હર્ષ 


II संजय उवाच II समुत्तीर्ण रथानीकं पांडवं विहसन् रणे I विवारयिपुराचार्यः शस्वर्पैरवाकिरत् II १ II

સંજય બોલ્યો-આમ પાંડુપુત્ર ભીમસેન રથસૈન્યને વટાવીને આગળ વધી રહ્યો હતો ત્યારે તેને અટકાવવાની ઈચ્છાથી,દ્રોણાચાર્ય બીજા રથમાં બેસીને બાણોની વૃષ્ટિ કરીને તેને ઢાંકી દેવા માંડ્યા.પણ પોતાની બળની માયાથી મોહ પમાડતો તે ભીમસેન દ્રોણાચાર્યના બાણોને જાણે પી જતો હોય એમ જણાતું હતું.તે સમયે કેટલાએક ધનુર્ધર રાજાઓ ઘણો વેગ કરીને તેને ચારે બાજુથી ઘેરી વળ્યા.ત્યારે ભીમસેને સિંહ ગર્જના કરીને શત્રુપક્ષનો વિનાશ કરનારી પોતાની ગદા ઉઠાવીને વેગપૂર્વક ફેંકી.તે ગદા જાણે ઇન્દ્રે સર્વ શક્તિને એકત્ર કરીને વજ્ર ફેંક્યું હોય તેવી જણાતી હતી.

May 3, 2026

ભાગવત રહસ્ય-૧૪૧-Bhgavat Rahasya-141

એક વખતે સવારના પહોરમાં ભરતજી કેડપૂર પાણીમાં ઉભા રહી સૂર્યને અંજલિ આપી રહ્યા હતા.તે સમયે એક ગર્ભવતી હરણી જલપાન કરવા આવી. તેવામાં એક સિંહે ગર્જના કરી. હરણી સિંહની બીકથી ગભરાણી.સામે કિનારે જવા તેને જોરથી કૂદકો માર્યો. પ્રસવકાળ નજીક હતો,એટલે પેટમાંથી હરણ બાળ બહાર આવ્યો. અને નદીના જળ માં પડ્યો. હરણી સામે કિનારે પડી મૃત્યુ પામી.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1123

 

અધ્યાય-૧૨૭-ભીમસેનનો કૌરવસેનામાં પ્રવેશ 


II भीमसेन उवाच II ब्रह्मेशानेन्द्रवरुणानवहद्यः पुरा रथः I तमास्थाय गतौ कृष्णौ न त्योर्निद्यते भयम् II १ II

ભીમસેન બોલ્યો-'પૂર્વે બ્રહ્મા,શંકર,ઇન્દ્ર અને વરુણ યુદ્ધ સમયે જે રથમાં બેસતા હતા તે રથમાં બેસીને અર્જુન તથા શ્રીકૃષ્ણ યુદ્ધ કરવા ગયા છે માટે તે બંનેને કોઈ જાતનો ભય હોય નહિ.છતાં આપની આજ્ઞાને મસ્તક પર ચડાવીને હું જાઉં છું.તમે શોક કરશો નહિ.તે પુરુષવ્યાઘ્રોને મળીને હું આપણે તેમનો કુશળ સંદેશ આપીશ' એમ કહીને ભીમે ધૃષ્ટદ્યુમ્નને યુધિષ્ઠિરનું રક્ષાકર્મ સોંપતા તેને કહું કે-'યુધિષ્ઠિરે મને અર્જુન અને સાત્યકિના પગલે જવાની આજ્ઞા આપી છે.અને તેને પાછી ઠેલવાની હું હામ કરી શકતો નથી.તમે બરાબર સાવધાન થઈને યુધિષ્ઠિરનું રક્ષણ કરજો,આ યુદ્ધમાં તમારું પરમ કર્તવ્ય આ જ છે'

May 2, 2026

ભાગવત રહસ્ય-૧૪૦-Bhgavat Rahasya-140

ભરતજીએ પહેલાં ઠાકોરજીની પ્રત્યક્ષ સેવા બહુ કરેલી, પણ હવે વનમાં તે માનસી સેવા કરે છે.શરીર કરતાં યે વધુ પાપ મનથી થાય છે.એટલે મનથી માનસી સેવા-માનસી ધ્યાન –એ સહેલું નથી.ભટકતા –પાપ કરતા- મનને -ઈશ્વરની માનસીસેવામાં પ્રવૃત્ત કરી –ઈશ્વરમાં તન્મય કરવાથી -મન ધીરે ધીરે શુદ્ધ થાય છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1122

 

અધ્યાય-૧૨૬-યુધિષ્ઠિરની ચિંતા 


II संजय उवाच II व्युहेष्वालोयमानेषु पांडवानां ततस्ततः I सुदरमन्वयु: पार्थाः पांचालाः सोमकैः सह II १ II

સંજય બોલ્યો-આમ જયારે દ્રોણાચાર્ય પાંડવોના વ્યુહોને ચારે બાજુથી મથવા માંડ્યા ત્યારે પાંડવો,પાંચાલો અને સોમકો રણમાંથી અત્યંત દૂર નીકળી ગયા.તે સમયે ભયંકર ને રોમાંચકારી સંગ્રામ ચાલી રહ્યો હતો.ત્યાં જાણે પ્રલયકાળના જેવો જગતનો ઘોર સંહાર મંડાઈ રહ્યો હોય તેમ જણાતું હતું.ત્યારે યુધિષ્ઠિરને કશો આરો દેખાયો નહિ ને તેમને ચિંતા થવા લાગી.તેમને અર્જુનના ગાંડીવનો ટંકાર સંભળાતો નહોતો ને સાત્યકિના કોઈ સમાચાર નહોતા.

May 1, 2026

ભાગવત રહસ્ય-૧૩૯-Bhgavat Rahasya-139

ભરતજી વિચારે છે-સંસારનું સુખ મેં અનેક વર્ષ ભોગવ્યું. હવે વિવેકથી તેનો ત્યાગ કરીશ.
જુવાનીમાં જ તેમણે સંસારના સુખનો બુધ્ધિપૂર્વક ત્યાગ કર્યો.બુદ્ધિપૂર્વક વિષયોનો ત્યાગ થાય- તો શાંતિ મળે છે. જબરજસ્તીથી વિષયો છોડીને જાય તો દુઃખ આપે છે.વિષયોને આપણે જાતે જ વિચારીને છોડીએ (ત્યાગ કરીએ)તો અદભૂત શાંતિ પ્રાપ્ત થાય છે.પણ ઈશ્વરની માયા વિચિત્ર છે, ભરતજીએ રાજ્ય છોડ્યું, રાણીઓ છોડી અને સર્વસ્વનો ત્યાગ કરી વનમાં આવ્યા,ત્યાં હરણબાળને મનમાં સ્થાન આપ્યું,હરણ ઉપર સ્નેહ (મોહ) થયો.
હરણબાળ પર આસક્તિથી તેમના ભજનમાં ભંગ થયો.અને મૃગયોનિમાં જન્મ લેવો પડ્યો.
ભરતજીના મનમાં હરણ સાથે આસક્તિ થઇ –અને તે વાસના(સંકલ્પ) પુનર્જન્મનું કારણ બની.