May 26, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1142

 

અધ્યાય-૧૪૫-સંકુલ યુદ્ધ 


II धृतराष्ट्र उवाच II तदवस्थे हते तस्मिन् भूरिश्रवसि कौरवे I यथा भुयोमवद्युद्वं तन्ममाचक्ष्य संजय II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય જયારે તે ભૂરિશ્રવા મરણ પામ્યો પછી જે યુદ્ધ થયું હોય તે વિષે તું મને કહે.

સંજય બોલ્યો-હે ભારત,એ રીતે જયારે ભૂરિશ્રવા પરલોક પ્રયાણ કરી ગયો ત્યારે અર્જુને વાસુદેવને કહ્યું કે-હે કૃષ્ણ,જે તરફ જયદ્રથ છે તે તરફ આપણા ઘોડાઓને હંકારો,આ સમયે તે ત્રણ ધર્મોમાં આવી પડેલો સંભળાય છે.(જો તે યુદ્ધમાં મરણ પામે તો સ્વર્ગલોકે જશે,યુદ્ધમાં પલાયન કરતાં માર્યો જશે તો નરકે જશે,ને અર્જુનના ભયથી પોતાના દેશ તરફ ભાગી જશે તો યશરૂપી શરીરનો નાશ થતાં તેનો વાસ્તવિક નાશ થશે-આ રીતે તે ત્રણ ધર્મમાં રહેલો છે)

May 25, 2026

ભાગવત રહસ્ય-૧૫૯-Bhgavat Rahasya-159

પ્રહલાદજીને જન્મથી જ ભક્તિનો એવો રંગ લાગેલો કે-તેમણે ભગવતસેવામાં અને ભગવત સ્મરણમાં જ આનંદ આવે છે.પુસ્તકો વાંચવાનું કે-ભણવાની ઈચ્છા થતી નથી. પણ વિચારે છે કે જો ન ભણે તો બ્રાહ્મણનું અપમાન થાય એટલે ભણવાનું 
નાટક કરે છે.પ્રહલાદે આંખમાં શ્રીકૃષ્ણને રાખ્યા છે. ગુરુ જે ભણાવે તે સાંભળે છે પણ રાજ નીતિનું ચિંતન કરતા નથી.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1141

 

અધ્યાય-૧૪૪-ભૂરિશ્રવાની ઉત્પત્તિ અને સાત્યકિની પ્રશંસા 


II धृतराष्ट्र उवाच II अजितो द्रोणराधेयविकर्णकृतवर्मभि:I तीर्णः सैन्यार्णव वीरः प्रतिश्रुत्य युधिष्ठिरे II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-એ વીર સાત્યકિને દ્રોણ,કર્ણ,વિકર્ણ અને કૃતવર્મા સુદ્ધાં કોઈ રોકી શક્યા ન હતા અને એ સૈન્યરૂપ મહાસાગરને તરી ગયો હતો તો તે સાત્યકિને ભૂરિશ્રવાએ પોતાને તાબે કરીને કેમ કરી બલાત્કારે પૃથ્વી પર પાડી દીધો હતો?

May 24, 2026

ભાગવત રહસ્ય-૧૫૮-Bhgavat Rahasya-158

દિતિ એ ભેદબુદ્ધિ છે. ભેદબુદ્ધિના બે પુત્રો છે-અહંતા (હું) અને મમતા (મારું) 
સર્વ દુઃખનું મૂળ ભેદબુદ્ધિ છે. સર્વ સુખનું મૂળ અભેદભાવ છે.અભેદભાવ શરીરથી નહિ-પણ બુદ્ધિથી થાય તો –સર્વ- માં -સમબુદ્ધિ આવે છે. જ્યાં ભેદ છે ત્યાં ભય છે-અભેદ છે ત્યાં અભય છે.જ્ઞાની પુરુષો જગતને અભેદ ભાવથી જુએ છે. મારામાં જે ચૈતન્ય છે તે સર્વ માં છે.જયારે સામાન્ય માણસ જગતને ભેદભાવથી જુએ છે.આ સારું છે-આ ખરાબ છે.—આ યુવાન છે આ વૃદ્ધ છે.-આ સ્ત્રી છે,આ પુરુષ છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1140

 

અધ્યાય-૧૪૩-ભૂરિશ્રવાનો વધ 


 II संजय उवाच II स बाहुर्न्ययतदभूमौ सखड्गः सशुभांगदः I आदध्जीवलोकस्य दुःखमदभुतमुत्तमः II १ II

સંજય બોલ્યો-ભૂરિશ્રવાનો તે ઉત્તમ હાથ તલવાર અને સુંદર બાજુબંધ સહીત પૃથ્વી પર પડ્યો,તે જોઈને પ્રાણીમાત્ર અત્યંત ખિન્ન થઇ ગયાં.પોતાના શરીરને અર્જુને નકામું કરી નાખ્યું,એટલે ભૂરિશ્રવા સાત્યકિનો ત્યાગ કરીને અર્જુનની નિંદા કરતાં તેને કહેવા લાગ્યો કે-'હે કુંતાપુત્ર,ખેદની વાત છે કે તેં આ ક્રૂર કર્મ કર્યું છે.કારણકે મારી નજર ન હતી ને હું બીજા કાર્યમાં આસક્ત હતો ત્યારે તેં મારા બાહુને કાપી નાખ્યો છે.ધર્મપુત્ર યુધિષ્ઠિરને તું શું કહીશ?શું તું એમ કહીશ કે ભૂરિશ્રવા બીજા કાર્યમાં આસક્ત હતો ત્યારે મેં દગો કરીને તેને મારી નાખ્યો છે? 

May 23, 2026

ભાગવત રહસ્ય-૧૫૭-Bhgavat Rahasya-157

સમતા ઈશ્વરની છે-પણ જે વિષમતા દેખાય છે –તે માયાની છે.ઈશ્વરના અધિષ્ઠાનમાં (આધારમાં) માયા ક્રિયા કરે છે-એટલે માયા જે કાંઇ ક્રિયા કરે- તેનો આરોપ ઈશ્વર પર કરવામાં આવે છે.ઉદાહરણ તરીકે-દીવો કંઈ કરતો નથી પણ દીવો ન હોય તો કંઈ થઇ શકતું નથી.નાનો બાળક જમવા બેઠો હોય અને બાળક વધુ માગે –તો પણ મા તેને વધારે ખાવા આપતી નથી. મા વિચારે છે-કે વધુ ખાશે અને પચશે નહિ તો ઝાડા થઇ જશે, જયારે મા નો સોળ વર્ષ નો છોકરો બહારથી આવે તો વગર માગ્યે મા બે રોટલી વધારે આપશે.વિચારે છે કે બહાર રમવા જશે તો બધું પચી જશે અને છોકરો તગડો થશે.