અધ્યાય-૧૬૨-સાત્યકિનો ધસારો
II संजय उवाच II सोमदत्तं तु संप्रेक्ष्यं विधुन्वानं महाद्वनुः I सात्यकिः प्राहः यंतारं सोमदत्ताय मां वह II १ II
સંજય બોલ્યો-એ સમયે સોમદત્ત પોતાના મહાન ધનુષ્યને રણમાં ધુણાવી રહ્યો હતો તે જોઈને સાત્યકિ પોતાના સારથિને કહેવા લાગ્યો કે-'તું મને સોમદત્ત પાસે લઇ જા આજે મારા મહાબળવાન શત્રુને માર્યા વિના હું પાછો ફરીશ નહિ,એ મારો નિશ્ચય છે'
સાત્યકિના કહેવાથી તેના સારથિએ ઘોડાઓને સોમદત્ત તરફ હાંક્યા.સાત્યકિને પોતાની સામે આવતો જોઈને સોમદત્તે અનેક બાણોથી તેને ઢાંકી દીધો ને તેને તીક્ષ્ણ બાણોથી વીંધી નાખ્યો.લોહીલુહાણ થયેલા સાત્યકિએ પણ સામે અનેક બાણો મૂકીને સોમદત્તને વીંધી નાખી તેને લોહીલુહાણ કરી નાખ્યો.કુરુ અને યદુવંશના તે બંને યોદ્ધાઓ વચ્ચેનું યુદ્ધ અદભુત હતું.



