Sep 10, 2011

સર્ગ સિધ્ધાંત અને કુંડલીની



 Go to Page   1......2......3......4......5 ..   



કુંડલીની  નું વર્ણન જે કર્યું છે તે આ સર્ગ સિધ્ધાંત (લીંક ) પર થી હોય તેવું
લાગે છે .

૧ --સહસ્ત્રાર ચક્ર
    નું કોઈ
     "તત્વ "નથી -જેથી તત્વાતીત પણ કહે છે.  અને તેનું
     બીજ "વિસર્ગ" છે.
      જેમ
      પુરૂષ -પરમાત્મા -એ તત્વાતીત અને વિસર્ગ  છે.

૨ --આજ્ઞાચક્ર
     નું
     તત્વ -"મહત્"-છે.અને
      બીજ "ઓમ" છે.
      એ સર્ગ થયા પછીનું ચક્ર છે

૩ --વિશુદ્ધિ ચક્ર
     નું
    તત્વ-"આકાશ" છે.અને
    બીજ "હં " છે.

આ જ્ઞાન "અનુભવ" ની સીડી પર ચઢતી વખતે કદાચ ઉપયોગી બને.

એવું યે બને કે આ જ્ઞાન અનુભવ વગર ના પણ સમજાય .

માત્ર બુદ્ધિ થી આ વસ્તુ સમજાવવી કે સમજવી મુશ્કેલ છે.

અનુભવ ની સીડી ચઢતાં જો "કૃપા" થાય તો
ઘણી બધી -ગોપનીયતા -જે આની પાછળ  છે તેનો "અનુભવ" થાય છે.

પણ આ જાણ્યા પછી કશું જાણવાનું રહે કે કેમ તે "સવાલ" રહે છે.

આનંદ-આનંદ-પરમાનંદ

 Go to Page   1......2......3......4......5 ..   


વધુ-કુંડલીની સરળ સમજ માટેની લીંક 

વધુ-સર્ગ સિદ્ધાંત  માટેની લીંક

બુદ્ધિ -શક્તિ વિષે -e=mc2 -વિષે થોડા વધુ વિચારો જાણવામાં જો રસ હોય તો....અહીં ક્લિક કરો

બારીકાઈ થી નિરિક્ષણ-૨



 Go to Page---  1  ---  2   ---  3  ---   4   


સહુ થી સરળ રીતે શરીર નું બારીકાઈ થી નિરિક્ષણ થઇ શકે છે.

૧---શરૂઆત કરવાની છે -
    શરીર ને જોવાની -સતર્કતાથી -સભાનતાથી-
    અને
    સાક્ષી ભાવ રાખવાનો છે ........

કોઈ જ જાતનું અનુમાન નહી કરવાનું-
કોઇજ જાત નો નિર્ણય નહી  લેવાનો  ......

શરીર નું હલન ચલન જેવુંકે --
ચાલવાની ક્રિયા ,જમવાની ક્રિયા અને
શ્વાસ લેવાની પ્રક્રિયા --આવી
બધી જ જાતની પ્રક્રિયા ઓ નું માત્ર અવલોકન કરવાનું છે ......

શરૂઆત માં અઘરું લાગે  છે --
થોડા જ સમય માં બીજે ધ્યાન જતું રહે છે -એવું લાગે ...
પણ ધીરજતા  થી પ્રયાસ અને અભ્યાસ થી સફળતા મળે છે .....

અને થોડાક સમય માં જ
એક એવી આશ્ચર્ય ચકિત સ્થિતિ આવી જાય છે કે ...

ઉપરની કોઈ પણ પ્રક્રિયા---- એવું લાગે છે કે જાણે કોઈ ગુરુરતા થી થતી હોય.....
અને
એક શાંત પરિસ્થિતિ નો ભાસ થાય છે ..

એક જાતની એલર્ટનેસ અને કોન્સીયસનેસ આવવા માંડે છે .......

ભગવાન બુદ્ધ બહુ ધીમે ચાલતા ---
તે કહેતા કે ----
ધીમે ચાલવું એ મારા "ધ્યાન" એક ભાગ  છે.
એવી રીતે ચાલવું જોઈએ કે જાણે --
શિયાળા માં કોઈ ઠંડા પાણીના વહેળા માં ચાલી રહ્યા છીએ ..
પાણી ખુબ ઠંડું છે અને વહેળા નો પ્રવાહ તેજ છે -પથરાળો છે--
સહેજ પણ ખોટો કદમ મુકો તો લપસી જવાની સંભવતા  છે --

ખુબ ધીમેથી -સતર્કતા થી -સભાનતાથી-સાક્ષીભાવથી
જેમ એ પાણીની અંદર કદમ મુકીએ છીએ
તેમ ચાલવાનું છે .
અને એથી જ તે "ધ્યાન" નો એક ભાગ બની જાય છે ..........



 Go to Page---  1  ---  2   ---  3  ---   4   



Sep 8, 2011

બારીકાઈથી નિરિક્ષણ-૩



 Go to Page---  1  ---  2   ---  3  ---   4   


બારીકાઈ થી નિરિક્ષણ-૨ માં વર્ણવ્યા મુજબ
જેમ નિરિક્ષણ નો વિષય શરીર છે તેમ
હવે
વધુ નાજુક વિષય "મન" પર જવાનું છે.....

પદ્ધતિ એવી જ છે જે ત્યાં વર્ણવી છે ....

જો શરીર નું બારીકાઈથી નિરિક્ષણ કરવામાં સફળતા મળી હોય તો
મન નું નિરિક્ષણ કરવાનું બહુ અઘરું નથી પડતું........

અહીં મન=વિચારો એમ સમજી ને આગળ વધીએ તો -------

---આ વિચારો એક નાજુક તરંગો છે .જેમ  કે હવાની અંદર
    રેડીઓ ના તરંગો છે -
     કે જે જોઈ શકાતા નથી --અદ્રશ્ય છે --પણ "છે" જરૂર.....

---હવે એવી વસ્તુ (વિચારો ના તરંગો)ને જોવાની છે જે જોઈ શકાય તેમ નથી

---વિચારોને જોવાના છે-
    શર્ત એટલી છે કે ---
      કોઈ નિર્ણય લેવાનો નથી .......
        કે આ સારા વિચારો છે કે આ ખોટા વિચારો છે .......
---કારણ કે જે ક્ષણે આપણે નિર્ણય લીધો કે આ "ખરાબ વિચાર" છે
   તેનો મતલબ તે થયો કે ----
    --આપણે વિચારને જોવાનું બંધ કર્યું છે
    --આપણે વિચારો વિષે વિચારવાનું ચાલુ કર્યું છે ---જે ખોટું છે -
    --આપણે વિચારો જોડે સંલગ્ન થયા છીએ --જે ખોટું છે --

---વિચારો જોડે ઓતપ્રોત થવાનું નથી.
    -સડક ના છેડે ઉભા રહી જેમ ટ્રાફિક જોતા હોઈએ તેમ વિચારો ને જોવાના છે
    -આકાશ માં વાદળા પસાર થતા જોઈએ તેમ માત્ર નિરિક્ષણ કરવાનું છે.

---સહેલી લાગતી આ વિચારોને જોવાની પ્રક્રિયા ઘણા લોકોને
    અઘરી લાગે છે
---કારણ કે મોટા ભાગના લોકો વિચારોને કંટ્રોલ કરવામાં લાગી જતા હોય છે
---ખરેખર જો માત્ર સાક્ષી ભાવ થી --કોઈ પણ રીતે- વિચારો ની સાથે સંલગ્ન
    થયા વગર --જોવામાં આવે તો --
---આશ્ચર્ય જનક રીતે ધીરે ધીરે વિચારો ના તરંગો સમવા માંડે છે ----
   અને જોવામાં આવે છે કે વિચારો ધીરે ધીરે ઓછા થવા માંડે છે --
---જો ૫૦% વિચારો જોવામાં સફળતા મળે તો ૫૦% વિચારો ઓછા થઇ જાય છે

---આમ કરતા કરતા જયારે ૧૦૦% વિચારો ને સાક્ષી ભાવ થી બારીકાઈથી નિરિક્ષણ
   કરીને જોઈ શકાય તો ૧૦૦% વિચારો સમી જાય છે.

---વિચારો-મન બિલકુલ તરંગ વિહીન થઇ જાય છે
    અને આપણે એક સ્વચ્છ દર્પણ જેવા થઇ જઈએ છીએ

 "ધ્યાન"ની પ્રક્રિયા માં  આપણે ૫૦% સફળતા હાંસલ કરી લીધી છે એમ કહી શકાય .
અડધો રસ્તો પસાર કરી લીધો છે તેમ કહી શકાય .
"રહસ્ય"ને 'જાણી' લીધું છે એમ પણ કહી શકાય .

પણ હજુ "રહસ્ય" ને "પામવાનું" બાકી છે ................

.

 Go to Page---  1  ---  2   ---  3  ---   4   

Sep 6, 2011

બારીકાઈથી નિરિક્ષણ-૪



 Go to Page---  1  ---  2   ---  3  ---   4   


બારીકાઈ થી નિરિક્ષણ-૨-૩  માં વર્ણવ્યા મુજબ
જેમ નિરિક્ષણ નો વિષય શરીર અને મન  છે તેમ
હવે
વધુ વધુ નાજુક વિષય "હૃદય " પર જવાનું છે.....

પદ્ધતિ એવી જ છે જે ત્યાં વર્ણવી છે ....

જો શરીર અને મન નું બારીકાઈથી નિરિક્ષણ કરવામાં સફળતા મળી હોય તો
હૃદય નું નિરિક્ષણ કરવાનું બહુ અઘરું નથી પડતું........

બારીકાઈ થી નિરિક્ષણ કરવાનું રહસ્ય પામી લીધું છે તેને હવે અહીં આગળ
ધપાવવાનું છે ....

મન થી હૃદય સુધી જવાનું છે

અહીં હૃદય=લાગણીઓ (Feeling,Mood) એમ સમજી ને આગળ વધીએ તો -------

---આ લાગણીઓ પણ  એક નાજુક તરંગો છે .જેમ  કે હવાની અંદર
    રેડીઓ ના તરંગો છે -
     કે જે જોઈ શકાતા નથી --અદ્રશ્ય છે --પણ "છે" જરૂર.....

---હજુ એ એવી વસ્તુ ને જોવાની છે જે નરી આંખે જોઈ શકાય તેમ નથી

---આ લાગણીઓ ને જોવાની છે -
    ફરીથી શર્ત એટલી છે કે ---
      કોઈ નિર્ણય લેવાનો નથી .......
        કે આ સારી લાગણી છે કે આ ખોટી લાગણી છે .......
---કારણ કે જે ક્ષણે આપણે નિર્ણય લીધો કે આ "ખરાબ લાગણી " છે
   તેનો મતલબ તે થયો કે ----
    --આપણે લાગણીઓ ને જોવાનું બંધ કર્યું છે
    --આપણે લાગણીઓ  વિષે વિચારવાનું ચાલુ કર્યું છે ---જે ખોટું છે -
    --આપણે લાગણીઓ  જોડે સંલગ્ન થયા છીએ --જે ખોટું છે --

---લાગણીઓ  જોડે ઓતપ્રોત થવાનું નથી.
    -સડક ના છેડે ઉભા રહી જેમ ટ્રાફિક જોતા હોઈએ તેમ લાગણીઓ  ને જોવાની  છે
    -આકાશ માં વાદળા પસાર થતા જોઈએ તેમ માત્ર નિરિક્ષણ કરવાનું છે.

---સહેલી લાગતી આ લાગણીઓ  જોવાની પ્રક્રિયા ઘણા લોકોને
    અઘરી લાગે છે
---કારણ કે મોટા ભાગના લોકો લાગણીઓ  કંટ્રોલ કરવામાં લાગી જતા હોય છે
---ખરેખર જો માત્ર સાક્ષી ભાવ થી --કોઈ પણ રીતે- લાગણીઓ  ની સાથે સંલગ્ન
    થયા વગર --જોવામાં આવે તો --અને જયારે ૧૦૦% સફળતા મળે
     ત્યારે આપણે "માસ્ટર" થઇ ગયા કહેવાઈએ .
---આ પરિસ્થિતિ માં આશ્ચર્ય જનક રીતે જોવામાં આવે છે કે
   કોઈ પણ લાગણીઓ હૃદય ને અસર કરી શકતી નથી
---દુઃખ -સુખ-ગુસ્સો  આવે તો પણ તે હૃદય ને દુઃખી -સુખી કે ગુસ્સે કરી શકતી નથી .
---કશું પણ હૃદય ને હચમચાવી શકતું નથી કે કશું પણ તેના પર રાજ કરી શકતું નથી .
---બધું ખુબ દૂર ખીણ માં રહે છે અને આપણે ડુંગર ની ટોચ પર પહોંચી જઈએ છીએ ..

-------------------------------------------------------------------

ઉપર મુજબ "વિપાસના" ના ત્રણ પગથિયા

૧-બારીક નિરિક્ષણ કરો -જુઓ -સાક્ષી બનો ----------શરીર ના
૨-બારીક નિરિક્ષણ કરો -જુઓ -સાક્ષી બનો ------------મન ના
૩-બારીક નિરિક્ષણ કરો -જુઓ -સાક્ષી બનો -----------હૃદય ના

નો પૂર્ણતા થી અભ્યાસ પુરો થાય તો
એ મંદિર ના દ્વારે પહોંચી જવાય છે કે જે સદા ખુલ્લું છે .

હવે કશુંય કરવાનું નથી કે કશુંય કરી શકાતું નથી ............
એના માટે પ્રયત્ન પણ નથી કરવાનો ---
અને જો પ્રયત્ન કર્યો તો જરૂરથી નાપાસ થવાય છે .......

માત્ર રાહ જોવાની છે ......

એ એની મેળે આવે છે ભેટ રૂપે.........

આ હૃદય થી આત્મ સુધી નો એવો કૂદકો છે કે જે ......

આપણને આત્મા ની નજીક લાવી "હોવું" કે હોવાનો
આત્મ સાક્ષાત્કાર કરાવે છે .જાણે આપણે આપણા ઘેર આવી ગયા છીએ ........

આપણે એને
"પરમ મુક્તિ"--"પ્રબુદ્ધતા "-"આત્મ સાક્ષાત્કાર"-"પરમાત્મા ની પ્રાપ્તિ"
એમાંનું કશુંય પણ કહી શકીએ છીએ ..

આનાથી વધુ કશુંય નથી ..

સત્ય ની શોધ નો  અંત થાય છે.

---------------------------------------------------------------------------------------

જેમ જેમ ઊંડાણ માં જઈએ તેમ તેમ
--"પ્રકાશ"થી ભરપુર અતિ સુંદર જગ્યાઓ આવે છે
   જે ખજાના ઓ છે .....
--ઊંડાણ માં એક અવાજ વગર નું સંગીત છે --જીવંત ,નાચતું અને કુદતું .......
--અને એક પરમ -અનંત ની પ્રાપ્તિ થાય છે કે

કે જેને આપણે પરમાત્મા ને ખોળી કાઢ્યા એમ કહી શકીએ ....
કે જે કોઈ "વ્યક્તિ"રૂપે નથી ....
પણ
એક "પ્રકાશ" ---એક "સત્ય" એક "સુંદરતા"
રૂપે હાજર છે --
કે જે માનવ જાત હજારો વરસ થી એક સ્વપ્ન તરીકે જોઈ રહી છે ........

આ સ્વપ્ના નો ખજાનો
ક્યોંય નહી પણ
"આત્મા" માં સંતાયેલો છે .

------------------------------------------------------------------------------------------
બુદ્ધ નો આત્મ સાક્ષાત્કાર કરવાનો એક રસ્તો છે -સાધન છે --

કે જેમાં કોઈ મુશ્કેલ પ્રક્રિયાઓ નથી ..
પણ જાણે એક કવિતામય ,સંગીતમય,સુંદર અનુભૂતિ
કરાવતા કરાવતા એક પરમાનંદ ને ધામે પહોચાડી દે છે.

આ કોઈ પ્રક્રિયા નથી પણ પ્રાર્થના છે ...
કે જે
આપણને આપણી હયાતિ નો અનુભવ કરાવી ,
આપણને "હોવા"નો --અને
આત્મા ની મીઠી  સુગંધ નો અહેસાસ કરાવે છે ...

----------------------------------
આનંદ ---આનંદ ---પરમાનંદ

અનિલ શુક્લ
સપ્ટેમ્બર -૨૦૧૧


 Go to Page---  1  ---  2   ---  3  ---   4   


Sep 3, 2011

આકાશ =પરમાત્મા




પરમાત્મા જો એક હોય તો આ એક ને સમજાવવા જો ઉદાહરણ થી હોય તો ---
આકાશ શિવાય બીજા કોઈ સાથે સરખાવવામાં જોખમ છે -----

પરમાત્માને કોઈ વસ્તુ સાથે કેમ સરખાવી શકાય ?

વસ્તુ હોય તો તેને પરિમાણ લાગી જાય છે ......

માત્ર બિંદુ મુકીએ તો પણ તેનું પરિમાણ લાગે .......

કારણ કે જો બિંદુ મુકીએ તો અને તેને સેન્ટર તરીકે વિચારવું હોય તો .....
તેની આસપાસ પરીઘ નો ઉદભવ કરવો જ પડે ........

અને જે લોકો સમજવા માટે ઉદાહરણ નો આશરો માંગતા હોય તેને માટે
કદાચ બિંદુ ની સહાયતા લેવાણી હશે .....

પણ નવાઈ ની વાત એ છે કે આ મૂળભૂત વાત પાછળથી ભૂલાઈ ગઈ લાગે છે.
અને હવે લોકોને--
બિંદુ એટલે શું ?
એવો પ્રશ્ન પૂછવામાં આવે તો વિચાર માં પડી જાય છે .......

એટલેજ પરમાત્મા ને સમજવા આકાશ નું ઉદાહરણ વધુ યોગ્ય લાગે છે ....

હવે માત્ર એક સ્પષ્ટતા જરૂરી છે કે --
ઘણી વખત આપણે આકાશ એટલે કે જે નરી આંખે ક્ષિતિજ્ આગળ મળે છે તે ----
એમ જ સમજતા હોઈએ છીએ
પણ
આ આકાશ એટલે જે
આપણા શરીર ની આસપાસ છે અને તે જ આકાશ સુર્ય ની આસપાસ પણ છે ....
ટૂંક માં
આ આકાશ માં
સર્વ બ્રહ્માંડ -સુર્ય -ચંદ્ર -પૃથ્વી -તારા સમાયેલા છે..........
આ ચિત્ર માં આકાશ ને કોઈ સીમા (હદ) નથી.


આ બહુ મહત્વનું  છે--
સહેજ આંખ બંધ કરીને
આ આકાશ ની કલ્પના ઉપર મુજબ કરીએ તો
પરમાત્મા સમજવામાં ખુબજ સરળતા થઇ શકે???

પણ આંખ બંધ કરી આવી કલ્પના કરવા આપણે તૈયાર નથી --
અને એટલે વળી પાછું

જે પરમાત્મા ને સમજવા આપણે આકાશ નું ઉદાહરણ આપીએ છીએ -----
તે જ
આકાશ ને સમજવા પાછું ઉદાહરણ ની જરૂર પડી જાય છે ---

એટલે પાછા
આકાશ ના "દેવ" બનાવવામાં આવ્યા ---વિષ્ણુ ને ----

એક પરમાત્મા નો એક આત્મા ઉદભવ્યો ----
એક બિંદુ નું સર્જન થયું ------

દ્વૈત -અદ્વૈત બન્યું ----

અને
આ નવા સર્જન થયેલા ઘોડા પાછળ
આપણે ગાડી જોડી દઈએ છીએ

અને
થોડા સમય પછી ઘોડો ભૂલાઈ જાય છે અને
કાં તો ગાડી પાછળ જતો રહે છે ..........
કે તેનું અસ્તિત્વ ભુંસી નાખવામાં આવે છે ----

અને
પાછું વર્તુળ થાય છે અને ---

ગાડી માં મજા કરતા તર્ક અને અહમ થી ભરપુર માનવો
પરમાત્મા સમજવા ઉદાહરણ ની ખોજ ચલાવે છે ---
પણ
તે ઘોડા ને આગળ લાવવા તૈયાર નથી ....

તત્વવિવેક-(શંકરાચાર્ય )-માં પણ આત્મા ની સમજ આપેલી છે-અહીં ક્લિક કરો.

Aug 14, 2011

શું શરીર એ આત્મા છે ?


શું શરીર એ આત્મા છે ?

સામાન્ય રીતે
આપણી પાસે આવું બધું જ્ઞાન હાજર છે

હું એટલે શરીર એમ માનીએ છીએ
અને સાથે સાથે
હું એટલે આત્મા એવું પણ માનીએ છીએ
એટલે
"શરીર" ને "આત્મા" એક જ એવું પણ માનીએ છીએ .

પણ જયારે મૃત્યુ ની વાત આવે ત્યારે
શરીર મરે છે પણ આત્મા મરતો નથી
એવું પણ માનીએ છીએ ......

પણ સામાન્ય જિંદગીમાં
આપણું
હું એટલે શરીર છું એવું વર્તન હોય છે .

મોટે ભાગે આપણે
આત્મા શું છે?
આત્મા ક્યાં  છે ?
આત્મા કેવો છે ?
એ જાણવા માટે નો પ્રયત્ન કરતા નથી .

અને આ જાણવા માટે જુદા જુદા રસ્તા
આપણા જુદા જુદા પુસ્તકોમાં જ્ઞાન રૂપે હાજર છે .
અને આ જ્ઞાન મેળવીને તે
આત્મા નો અનુભવ કરવો તે ધ્યેય છે.

સહેલાઇ થી સમજવા સહુથી શ્રેષ્ઠ ઉદાહરણ
ઘટાકાશ અને મહાકાશ નું છે.

જ્ઞાનેશ્વરજી વધારાના સરળ ઉદાહરણો આપે છે --

--સ્વપ્ન માંના વિષયો સ્વપ્નમાં જ ખરા-સાચા દેખાય છે
   પણ જાગ્રત અવસ્થા માં તેમાંનું કંઇ રહેતું નથી
--પાણી થી ભરેલું પાત્ર ઉંધુ કરતા સુર્ય નું પ્રતિબીંબ નાશ પામેલું
   જણાય છે પણ તેથી ખરો સૂર્ય નાશ પામતો નથી
--મનુષ્ય ના પડછાયા પર કરાયેલો શસ્ત્ર પ્રહાર
   શરીર ને લાગતો નથી

તત્વવિવેક-(શંકરાચાર્ય )-માં પણ આત્મા ની સમજ આપેલી છે-અહીં ક્લિક કરો.

Aug 12, 2011

લેપ ટોપ કોમ્પ્યુટર

હા, ખોળા પર અત્યંત આદરથી બેસતા લેપટોપ ભગવાન નું આજે ઘરમાં આગમન થયું છે.

બોક્ષ માંથી બહાર કાઢીને બેટરી લગાવી પણ પ્રભુજી હજુ નિંદ્રા માં છે.સ્વીચ દબાવી પણ હજુ
પ્રભુજી નિંદ્રાધીન છે.

કેવા કેવા આશ્ચર્યો આપતું અને ઈન્ટરનેટ જોડે કનેક્ટ થઇ ને જ્ઞાન નો ભંડાર ખોલતું  આ લેપટોપ
કશું કરવા સમર્થ નથી.જાણે એક પ્લાસ્ટિક નું ખોખું જ લાગે છે.

પછી સમજ માં આવ્યું કે જે બેટરી કનેક્ટ કરી તેના કોન્ટેક્ટ પર લગાવેલી પ્લાસ્ટીક ની ટેપ
કાઢવાની રહી ગયેલી છે,ઉતાવળ માં બેટરી લગાવી દીધી પણ આ પ્લાસ્ટિક ની ટેપ ને લીધે
બેટરી અને લેપટોપ નો સંયોગ થતો નથી. અને લેપટોપ પ્રભુ જાગતા નથી.

બસ પ્લાસ્ટિક ની ટેપ હટાવી ફરીથી બેટરી લગાવી અને લેપટોપ જાગી ગયું. અને જાગતા ની સાથે
સમય સેટ કરો તેવું કહ્યું.સમય તો તે બતાવતું હતું પણ દુનિયા માં ક્યાં આગળ ‘તે’ છે.  તે જાણવા
માગતું હતું. સમય નાખતા જ ‘તે’ ને ‘હું’ નું ભાન થયું.અને અનેક આશ્ચર્યો બતાવવા મેદાન માં આવી ગયું.

આ આખા પ્રસંગ વિષે થોડોક વિચાર કરતા થયું કે......
આ અત્યંત આદરથી ખોળામાં બેસાડાતા લેપટોપ ને ‘બ્રહ્મ’ કે ‘પરમાત્મા’ જોડે સરખાવવાની થોડી વાર
ધ્રુષ્ટતા કરી લઉં તો કેમ???

જગત ની ઉત્પત્તિ કરનાર અને અનેક આશ્ચર્યો સર્જનાર બ્રહમ જયારે કાળ-શક્તિ (સમય અને શક્તિ ) ને
પોતાની અંદર જ સમાવીને નિદ્રાધીન સમાધિ સ્થિતિ માં લગભગ આ લેપટોપ ની જેમ જ સુતું હોય છે.
જેને વિસર્ગ અવસ્થા પણ કહે છે.
અને જયારે કોઈ ચોક્કસ સમયે(કાળે) આ બ્રહ્મ નું શક્તિ (પ્રકૃતિ) જોડે સંયોજન થાય છે
(બેટરી અને લેપટોપ ના સંયોજન ની જેમ જ)
ત્યારે જગતની ઉત્પત્તિ થાય છે .
જેને સર્ગ અવસ્થા કહે છે.અને જે સર્ગ સિધ્ધાંત થી પણ ઓળખાય છે.

સર્ગ સિધ્ધાંત વિષે વધુ -અહીં ક્લિક કરો 

Go to INDEX Page-   આત્મા-પરમાત્મા-ધર્મ-વગેરે