Sep 11, 2011

ચક્રો ની વિગત વાર માહિતી


 Go to Page   1......2......3......4......5 ..   

ચક્રમૂલાધારસ્વાધિષ્ઠાનમણિપુરઅનાહતવિશુદ્ધઆજ્ઞાસહસ્ત્રાર
યંત્ર
આકાર
ચતુષ્કોણબીજ ચંદ્રાકારત્રિકોણષટકોણગોળલિંગાકાર-ગોળગોળ
સ્થાનસિવનીઉપસ્થ (લિંગ )નાભીહૃદયકંઠભ્રુમધ્યમૂર્ધા
તત્વપૃથ્વીજલઅગ્નિવાયુઆકાશમહત્તત્વાતીત
તત્વબીજલંયંહંઓમવિસર્ગ
તત્વ રંગપીળોસફેદલાલધુમ્રનીલોસફેદરુપાતીત
પાંખડી૧૦૧૨૧૬સહસ્ત્ર
પાંખડી રંગલાલસિંદુરનીલોકેસરીધુમ્રસફેદ-------
તત્વ ગુણગંધરસરૂપસ્પર્શશબ્દસંકલ્પ- વિકલ્પગુણાતીત
જ્ઞાનેન્દ્રિયનાસિકાજીભઆંખત્વચાકાનઇન્દ્રિયાતીતઇન્દ્રિયાતીત
કર્મેન્દ્રિયગુદાલિંગપગહાથજીભઇન્દ્રિયાતીતઇન્દ્રિયાતીત
દેવબ્રહ્મા
ચાર મુખ
ગણેશ
વિષ્ણુ
ચાર હાથ
શંકર
વૃદ્ધ રુદ્ર
શંકર
ઈશાન રુદ્ર
પંચ્વકત્ર
સદાશિવ
શિવ
નાદ રૂપ
પરબ્રહ્મ
બિંદુ રૂપ
દેવીડાકિનીરાકીનીલાકિનીકાકીનીશાકિનીહાકીનીમહાશક્તિ
વાહનઐરાવતમગરમેષમૃગહાથીનાદબિંદુ
લોકભૂલોકભુવર્લોકસ્વર્લોકમહર્લોકજનલોકતપો લોકસત્યલોક
અક્ષરવ થી સંબ થી લડ થી ફક થી ઠઅ થી અઃહં -ક્ષઅ થી ક્ષ
Corrosponding nerve Plexes(Sacral)
Sacro-
Coccygeal
Plexus
Prostatic
Plexus
Solar
Plexus
Cardiac
Plexus
(Pharyngeal)
Laryngeal
Plexus
Cavemous
Plexus
Pineal
Gland

કુંડલિની વિશેની સચિત્ર વધુ માહિતી માટે અહીં ક્લિક કરો 


બુદ્ધિ -શક્તિ વિષે -e=mc2 -વિષે થોડા વધુ વિચારો જાણવામાં જો રસ હોય તો....અહીં ક્લિક કરો




    કુંડલીની -અને સર્ગ સિધ્ધાંત        માટે અહીં ક્લિક કરો.

--------------------------------------------------------------------------------------------------------------
સ્વામી વિવેકાનંદે "રાજયોગ" બુક માં સમજાવેલ -કુંડલિની ની સમજ
-------------------------------------------------------------------------------------------------------------

યોગીઓના મત પ્રમાણે-મેરુદંડ (કરોડ) માં "ઈડા" અને "પિંગલા" નામના જ્ઞાનતંતુઓ ના બે પ્રવાહો છે.
અને કરોડ ની મધ્યમા "સુષુમણા" નામની એક "પોલી નાડી" છે.
આ પોલી સુષુમણા નાડી ને નીચેને છેડે-ત્રિકોણાકાર "કુંડલિની-પદ્મ" આવેલું છે.

અને...."યોગીઓ ની "રૂપક" ભાષા પ્રમાણે"
તેની અંદર "કુંડલિની" નામની શક્તિ ગૂંચળું વાળી ને પડી છે.

જયારે આ કુંડલિની (શક્તિ) જાગે છે,ત્યારે તે પોલી નાડી (સુષુમણા) માં થઈને બળ-પૂર્વક ઉપર ચડવાનો
પ્રયત્ન કરે છે.અને ક્રમે ક્રમે તે જેમ જેમ ઉપર ચડતી જાય છે-તેમ તેમ જાણેકે મન ના એક પછી એક થર ખુલ્લા થતા જાય છે.અને યોગી ને વિવિધ પ્રકારનાં દર્શનો અને સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.
જયારે આ કુંડલિની શક્તિ મગજમાં પહોંચે છે-ત્યારે યોગી શરીર અને મનથી સંપૂર્ણપણે અળગો થઇ જાય છે.
અને પોતાને મુક્ત થયેલો અનુભવે છે.

આપણે જાણીએ છીએ કે-કરોડ ની રચના-વિશિષ્ટ પ્રકારની છે.
અંગ્રેજી આંકડા -8- ને આડો કરીએ તો એના બે ભાગ (બે-૦) છે અને જે વચ્ચે થી જોડાયેલા છે.
આવા આડા પાડેલ અંગ્રેજી આઠડા ને એક ની ઉપર બીજો એમ ખડકાતા જઈએ તો તે આકૃતિ
કરોડરજ્જુ જેવી થશે.

તેમાં ડાબી બાજુએ ઈડા અને જમણી બાજુએ પિંગલા.અને
મધ્યમા જે-પોલી નાડી પસાર થાય છે તે -સુષુમણા.
મેરુદંડ ની નીચે ને છેડે એ જ્યાં પુરી થાય છે -ત્યાં એક "બારીક તંતુ" નીચેની બાજુએ જાય છે.
અને તે પોલી નાડી એ તંતુ ની અંદરથી પણ જાય છે.(માત્ર-થોડો  વધારે બારીક થઈને)
અને આ પોલી નાડી નીચેને છેડે બંધ હોય છે
.
એ છેડો-- જેને નાડી-જાળ (sacral plexus) કહેવામાં આવે છે-અને જે-
આધુનિક વિજ્ઞાન-શાસ્ત્ર મુજબ -પણ-ત્રિકોણાકાર છે -તેની પાસે તે (છેડો) આવેલો છે.
આ નાડી-જાળ નાં જે જુદાંજુદાં કેન્દ્રો -કરોડરજ્જુ માં રહેલા છે-
તેમને યોગીઓના મત મુજબ નાં જુદાંજુદાં "પદ્મ"  (ચક્ર) ગણી શકાય.

કરોડના નીચેના છેડે-આવેલા મૂળાધાર (ચક્ર) થી શરુ કરીને મગજમાં રહેલા સહસ્ત્રાર (ચક્ર) સુધી,
કેટલાંક કેન્દ્રો ની "કલ્પના" યોગીઓ કરે છે.
તેથી,જો આપણે આ જુદીજુદી નાડીજાળોના કેન્દ્રો ને -આ પદ્મો (ચક્રો) તરીકે ગણીએ-તો-
યોગવિદ્યા નો આ સિદ્ધાંત "શરીર-શાસ્ત્ર" ની ભાષામાં ઘણો સહેલાઈ થી સમજી શકાય.

આધુનિક શરીરશાસ્ત્ર મુજબ આપણે જાણીએ છીએ કે-
કરોડરજ્જુ ના જ્ઞાનતંતુઓના પ્રવાહો માં બે પ્રકારની ક્રિયાઓ ચાલતી હોય છે-
એક તો સંવેદનાત્મક (કે-અંતરાભિમુખ-કે-કેન્દ્રગામી) -કે જે સંવેદનો નો સંદેશો મગજ સુધી લઇ જાય છે,
અને બીજી ક્રિયાત્મક (કે-બહિર્મુખ-કે-કેન્દ્રોત્સરી) કે જે મગજ નો સંદેશો પ્રતિક્રિયા રૂપે શરીર માં પહોંચાડે છે.
(અને આ બધાં સંવેદનો લાંબે ગાળે મગજ સાથે જોડાયેલાં રહે છે !!)

હવે પછી નું-આગળ- (યોગીઓનું) જે સ્પષ્ટીકરણ આવશે-તેને માટે બીજી થોડી હકીકતો પણ
યાદ કરવી જરૂરી બને છે.

ઉપર મગજ ની બાજુએ આ કરોડરજ્જુ ને છેડે એક "ગાંઠ ના આકાર નું -નાનું મગજ" રહેલું છે.
કે જે મોટા મગજ સાથે જોડાયેલું નથી.પણ,
મગજ માંહે ના એક પ્રકારના પ્રવાહીમાં તરતું રહેલું છે (કે જેથી માથા ને ફટકો લાગે તો તે ફટકા નો આઘાત -તે પ્રવાહી માં સમાઈ જાય અને મગજ ને નુકસાન પહોંચે નહિ)
આ એક વાત યાદ રાખવાની છે અને બીજી એ વાત જાણી ને યાદ રાખવા ની છે કે-
બીજાં બધાં કેન્દ્રો (ચક્રો) માંથી -ખાસ કરીને -
મૂળાધાર (કરોડના નીચલા છેડાનું) -સહસ્ત્રાર (મગજમાં આવેલું-સહસ્ત્ર-દલ) અને
મણિપુર (નાભિ-કમળ માં રહેલું) એ ત્રણ કેન્દ્રો (ચક્રો ને) યાદ રાખવાના છે.

હવે આપણે આ વસ્તુ ને -વધુ સારી રીતે સમજવા -એક હકીકત -ભૌતિક વિજ્ઞાન માંથી લઈશું.
આપણે વીજળી (ઈલેક્ટ્રીસીટી) અને તેની સાથે સંકળાયેલાં વિવિધ બળો વિશે સાંભળીએ છીએ,
કે જોઈએ છીએ,પણ વીજળી "પોતે" શું છે? એ કોઈ જાણતું નથી.
પરંતુ તેના વિશે જેટલું જાણવામાં આવ્યું છે તે મુજબ-તે એક પ્રકાર ની "ગતિ" છે.

વિશ્વમાં બીજી પણ વિવિધ પ્રકાર ની ગતિ ઓ રહેલી છે-તો તે ગતિઓ અને વીજળી માં તફાવત
એ છે કે-વીજળી (ઈલેક્ટ્રીસીટી)  ની ગતિ એ પદાર્થ ના પરમાણુઓને એક જ દિશામાં વહેતા કરે છે.
એટલે જો કલ્પના કરવામાં આવે કે-એક ઓરડામાંની હવાના સઘળા પરમાણુઓને -જો એક જ
દિશામાં વહેતા કરવામાં આવે તો-તેણે પરિણામે ઓરડો વીજળી ની એક વિરાટ બેટરી જેવો બની જાય.

શરીર વિજ્ઞાન નો એક છેલ્લો મુદ્દો -પણ અહીં જાણવો જરૂરી છે કે-
મગજ નું -જે કેન્દ્ર શ્વાસોશ્વાસ ની ક્રિયા નું નિયમન કરે છે-તે જ કેન્દ્ર -નાડી-પ્રવાહો ની વ્યવસ્થા પર-
"એક પ્રકારનો કાબૂ" ધરાવવા જેવું કાર્ય પણ કરે છે.

ઉપરની વાતો સમજી ને હવે આપણે-"પ્રાણાયામ" ક્રિયા ની સાધના કેમ કરવામાં આવે છે?  તે જોઈશું.

તાલબદ્ધ શ્વાસોશ્વાસ લેવાથી,શરીરના સઘળા પરમાણુઓમાં -એક જ દિશામાં વહેવાનું વલણ પેદા થાય છે.
અને,એવી જ રીતે,જયારે મન નું "ઈચ્છા-શક્તિ" માં રૂપાંતર થાય છે,ત્યારે,જ્ઞાનતંતુઓના પ્રવાહો પણ
વીજળીને મળતી આવતી એક પ્રકારની -એક દિશામાં વહેતી "ગતિ" માં ફેરવાય છે.
અને આમ શરીર ની સઘળી ગતિઓ સંપૂર્ણ-રીતે તાલબદ્ધ થઇ જાય છે ત્યારે -
શરીર એ જાણે કે (ઉપર બતાવ્યા મુજબ)  ઈચ્છા શક્તિ ની એક જબરદસ્ત બેટરી થઇ જાય છે.
અને યોગી જે ઈચ્છે છે તે આ પ્રચંડ "ઈચ્છા-શક્તિ" (વિલ-પાવર) છે.

પ્રાણાયામ ની ક્રિયા નો "શરીર-શાસ્ત્ર" ની દૃષ્ટિ એ -આ ખુલાસો (સમજ) છે .

શ્વાસોશ્વાસના તાલબદ્ધ પણા થી શરીર માં તાલબદ્ધ પણું આવે છે,અને શ્વસનતંત્ર ના કેન્દ્ર દ્વારા -
બીજાં કેન્દ્રોને -કાબૂમાં રાખવા માં તે મદદગાર થાય છે.
અહીં,પ્રાણાયામ નો હેતુ,-મૂળાધાર માં ગૂંચળું વાળીને પડેલી કુંડલિની નામની શક્તિ ને જગાડવાનો છે.

--આપણે આપણી આસપાસ ના અવકાશ (આકાશ) માં દૃષ્ટિ થી-જે કંઈ જોઈએ,
તે વસ્તુ ને જે અવકાશ (આકાશ) ની અંદર અનુભવવી પડે છે-તેને -સામાન્ય કે મહાકાશ કે ભૂતાકાશ કહે છે.
--યોગી જયારે બીજા મનુષ્ય ના વિચાર વાંચે કે-અતિન્દ્રિય પદાર્થો નો જ્યાં અનુભવ કરે-તેને-
"માનસિક આકાશ"  કે "ચિત્તાકાશ" કહે છે.
--અને જયારે અનુભવ -કોઈ વિષય-રહિત નો હોય અને જયારે આત્મા પોતાના "સ્વ-રૂપ" માં પ્રકાશે છે-
ત્યારે તે અવકાશ (આકાશ) ને "ચિદાકાશ" કે "જ્ઞાનાકાશ" કહે છે.

હવે, જયારે કુંડલિની જાગે છે અને સુષુમણા નાડી માં પ્રવેશ કરે છે,
ત્યારે બધા અનુભવો "ચિત્તાકાશ"  (માનસિક-આકાશ) માં થાય છે.
જયારે કુંડલિની,સુષુમણા નાડીને ઉપરના છેડે મગજમાં પહોંચે છે,
ત્યારે "પદાર્થ-રહિતતા"નો અનુભવ "ચિદાકાશ" (જ્ઞાનાકાશ) માં થાય છે.

ફરીથી,વીજળી ની ઉપમા લઈને જોઈએ તો-
મનુષ્ય વીજળી નો પ્રવાહ તારમાં થઈને જ મોકલી શકે છે,પણ,કુદરત ને પોતાને પોતાના પ્રચંડ પ્રવાહો
મોકલવા માટે કોઈ તારની જરૂર નથી.(સુષુમણા એ પોલી નાડી છે)
આથી સાબિત થાય છે કે-તારની ખરેખર કોઈ જરૂર નથી પણ તેના વગર ચલાવી શકવાની આપણી
અશક્તિ -જ -આપણને તાર વાપરવાની ફરજ પાડે છે.

જો કે-શરીરનાં સઘળાં સંવેદનો મગજ ની અંદર લઇ જવા અને તેની પ્રતિક્રિયાઓ-મગજ ની બહાર લઇ જવા,
જ્ઞાન-તંતુઓના તાર ના સમૂહો -એ ઈડા અને પિંગલા નામની -બે મુખ્ય નાડીઓ છે.(સુષુમણા પોલી નાડી છે)
હવે પ્રશ્ન એ છે કે-તાર વિના (ઈડા અને પિંગલા ના) સંદેશા કે પ્રતિક્રિયાઓ મોકલી શકાય?
યોગીઓ કહે છે કે-પ્રકૃતિ માં જો આમ થતું હોય તો તે જો આપણા શરીરમાં કરી શકાય તો,
જડ-પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થઇ શકાય.તો પછી આમ કરવું કેવી રીતે?

જો સંવેદન ના પ્રવાહ ને કરોડ ની મધ્યમાં આવેલી પોલી નાડી સુષુમ્ણા માં થઈને વહેતો કરી શકાય
તો આ (તાર વગર સંદેશો મોકલવાના) પ્રશ્ન નો ઉકેલ આવી જાય.
અને એમ થાય કે કરી શકાય તો-પછી-સંવેદન-ક્રિયા ના કાર્ય માટે જ્ઞાન-તંતુઓની આવશ્યકતા જ  રહે નહિ.

જ્ઞાનતંતુ -રચના અને તેની જાળ-ગૂંથણી -એ આપણા "મને" (મન) બનાવી છે.અને
તેણે (મને) જ એ જાળ-ગૂંથણી ને તોડવાની છે."મન" જયારે તે જાળ-ગૂંથણીને તોડે,
ત્યારે- સંવેદન-ક્રિયા ના કાર્ય માટે જ્ઞાન-તંતુઓની આવશ્યકતા જ  રહે નહિ.

અને ત્યારે જ સર્વ જ્ઞાન આવે છે,અને ત્યારે જ શરીર નું બંધન જરાયે રહેતું નથી.
આ,કારણસર-સુષુમ્ણા પર કાબુ મેળવવો -એ કેટલું બધું અગત્ય નું છે? તે સમજી શકાય છે.
યોગીઓ કહે છે કે-જો આપણે-કોઈ પણ જ્ઞાન-તંતુ ને તારનું કામ કરવા દીધા વિના-પોલી નળીમાં
(સુષુમ્ણામાં) થઈને -જો માનસિક પ્રવાહ ને વહાવી શકીએ તો -પ્રશ્નો ના ઉકેલ આવી જાય છે.
અને એમ કરી શકાય છે.

આ સુષુમ્ણા નાડી,સામાન્ય રીતે સામાન્ય મનુષ્યમાં નીચલે છેડે બંધ હોય છે.
તેથી તેમ થઇ ને કશી જ ક્રિયા ચાલતી નથી.
પણ યોગી એક જાતની એવી સાધના સૂચવે છે કે-તેને ઉઘાડી શકાય છે.અને જ્ઞાનતંતુઓ ના પ્રવાહો તેની
અંદર વહેતા કરી શકાય છે.

જયારે એક સંવેદન ને મગજ ના જે તે કેન્દ્રમાં પહોંચાડવામાં આવે છે,ત્યારે
--"સ્વયંસંચાલિત કેન્દ્રો"માં ગતિ ઉભી થઇ ને તે પ્રત્યાઘાત કરે છે-અને ક્રિયા રૂપે તે સંદેશ પાછો મોકલે છે.
--"સભાન કેન્દ્રો" માં પ્રથમ તેને અનુભવ થાય છે -પછી ગતિ ઉત્પન્ન થઇ ને તે પ્રત્યાઘાત કરે છે-
  અને ક્રિયા-રૂપે સંદેશો પાછો મોકલે છે.
આમ સર્વ પ્રકારનો"અનુભવ" એ બહારથી થયેલ સંવેદનાત્મક ક્રિયા ના  પ્રત્યાઘાત રૂપે ની ક્રિયા છે.

તો પછી,સ્વપ્ન ના અનુભવો કેવી રીતે થાય છે? તે વખતે તો -બહારથી કશી ક્રિયા હોતી નથી.
એટલે શરીરમાં જ ક્યાંક "સંવેદનાત્મક-ક્રિયાઓ" ગૂંચળું વળીને પડી રહેલી હોવી જોઈએ.
ઉદાહરણ તરીકે આપણે કોઈ શહેર જોઈએ ત્યારે તેની સ્મૃતિ રહે છે અને ઘણા લાંબા કાળ પછી,
તે શહેર ના નામથી એ શહેર ની તે સ્મૃતિ -એ બરાબર પહેલા ના અનુભવ જેવી જ ઘટના છે,
માત્ર તે થોડા ઝાંખા સ્વરૂપ માં છે.
તો આવા ઝાંખા પ્રકારનાં કંપનો જગાડનારી ક્રિયા આવે છે ક્યાંથી?

એટલું તો ચોક્કસ છે કે-શહેર નજર સામે નથી,એટલે તે સંવેદનો "પ્રાથમિક" (જયારે શહેર નજર સામે જોયું હતું ત્યારના જેવા) નહોતા (માત્ર તે સ્મૃતિ હતી) તો એટલું તો ચોક્કસ હોવું જોઈએ કે-
એ સંવેદનો ક્યાંક ગૂંચળું વાળીને પડ્યાં છે,અને તેઓ તેમની પોતાની ક્રિયા વડે ઝાંખી પ્રતિક્રિયા
પેદા કરે છે.અને જેને આપણે "સ્વપ્ન નો અનુભવ" કહીએ છીએ.

જે કેન્દ્રમાં આ બધાં અવશિષ્ટ (વધારાનાં) સંવેદનો,જાણે કે,સંઘરાઈ રહે છે-તે કેન્દ્ર ને મૂળાધાર
(તળિયા નું પાત્ર) કહે છે.અને
ગૂંચળું વળીને પડેલી, "ક્રિયા-શક્તિ" ને કુંડલિની" (કુંડાળું વાળીને પડેલી) કહેવામાં આવે છે.
એ ઘણું જ સંભવિત છે કે-અવશિષ્ટ (વધારાની) "ચાલક-શક્તિ" પણ એ જ કેન્દ્રમાં સંઘરાયેલી હોય !!
કારણકે ઊંડા અભ્યાસ કે બાહ્ય વિષયો ના ધ્યાન બાદ શરીર ના જે ભાગમાં મૂળાધાર કેન્દ્ર આવેલું છે-
તે ભાગ-કદાચ (કવચિત) ગરમ થઇ જાય છે.

આવે જો આ કુંડાળું વળીને પડી રહેલી શક્તિ (કુંડલિની) ને જગાડીને ક્રિયાશીલ કરવામાં આવે-અને તેને સમજ-પૂર્વક ઉપર સુષુમ્ણા નાડી માં વહેતી કરવામાં આવે,તો જેમ જેમ એક પછી એક કેન્દ્ર (ચક્ર) પર
આઘાત કરે -તેમતેમ એક પ્રચંડ પ્રતિક્રિયા શરુ થઇ જાય છે.

ઉપર -આગળ જણાવ્યું તેમ-જયારે શક્તિ નો એક અતિ સૂક્ષ્મ -અંશ જ્ઞાનતંતુઓ માં થઇ વહેવા લાગે
અને કેન્દ્રો માં જે પ્રતિક્રિયાઓ ઉત્પન્ન કરે છે-ત્યારે તે અનુભવ સ્વપ્ન-રૂપ કે કલ્પના-રૂપ થાય છે,

પરંતુ,જયારે લાંબા ગાળા ના (કાળ ના) આંતરિક ધ્યાન ને પરિણામે -
સંઘરાઈ રહેલ શક્તિ નો વિશાળ જથ્થો,સુષુમ્ણા માર્ગ દ્વારા ઉપર ચડે છે-અને કેન્દ્રો (ચક્રો) પર આઘાત કરે છે,
ત્યારે તેનો પ્રત્યાઘાત પણ અતિ પ્રચંડ હોય છે.
(તે સ્વપ્ન કે કલ્પના-રૂપ -થયેલા પ્રત્યાઘાત કરતાં અત્યંત ઉંચા પ્રકારનો હોય છે)

ઇન્દ્રિયો થી થતા અનુભવો કરતાં પણ ઉચ્ચ અને અત્યંત તીવ્ર એવો આ "ઇન્દ્રિયાતીત-અનુભવ"-
જયારે સર્વ સંવેદનો ના મુખ્ય મથક-સમા-મગજમાં પહોંચે છે-
ત્યારે આખું મગજ જાણેકે -એક પ્રત્યાઘાત કરી ઉઠે છે અને -
પરિણામે થાય છે-પ્રકાશનો સંપૂર્ણ ઝળહળાટ.-કે- આત્મા નો સાક્ષાત્કાર.

અહીં એ યાદ રાખવું જરૂરી છે કે-જેમજેમ આ કુંડલિની એક કેન્દ્ર થી બીજે કેન્દ્રે (ચક્રે) ચઢતી જાય છે,
તેમ તેમ મનના એક પછી એક થરો -જાણેકે ઉઘડતા જાય છે.અને-
યોગી આ વિશ્વને સૂક્ષ્મ અને "કારણ" સ્વરૂપ માં અનુભવે છે.અને
કેવળ-ત્યારેજ-આ વિશ્વનાં "કારણો"- "સંવેદન અને પ્રતિક્રિયા રૂપે" -તેમના સાચા-સ્વરૂપમાં જણાય છે.
અને તેથી સર્વ (કારણો નું અને કાર્યોનું) જ્ઞાન થાય છે.

આમ,કુંડલિની ને જાગ્રત કરવી એ જ દિવ્ય-જ્ઞાન પ્રાપ્ત કરવાનો-કે- અતીન્દ્રિય અનુભવ મેળવવાનો-કે-
આત્માના સાક્ષાત્કાર કરવાનો એક માત્ર ઉપાય છે.

જેને -સાધારણ રીતે અલૌકિક શક્તિ-કે-જ્ઞાન કહેવામાં આવે છે-
તેનું પ્રાગટ્ય થયેલું જોવામાં આવે ત્યાં -કુંડલિની નો જરાતરા પ્રવાહ સુષુમ્ણા પ્રવેશેલો હોય જ છે.
આવા કિસ્સાઓમાં -મોટા ભાગના લોકોમાં અજાણ-પણે કોઈક પ્રક્રિયા હાથ આવી ગઈ હોય અને
જેનાથી કુંડલિની નો લગારેક અંશ ક્રિયાશીલ બન્યો હોય છે.(તેમણે આ કારણ ની ખબર હોતી નથી)

સઘળી ઉપાસનાઓ જાણ્યે કે અજાણ્યે-આ લક્ષ્યે જ લઇ જાય છે.
જે મનુષ્ય એમ ધારે કે પોતાની પ્રાર્થનાઓ ફળીભૂત થાય છે,તો તે જાણતો નથી કે-
એ પૂર્તિ -તેના પોતાના સ્વ-રૂપમાં થી જ આવે છે.એટલે કે-
પ્રાર્થના ની મનોવૃત્તિ થી તે પોતાની કુંડલિની માં રહેલી અનંત શક્તિનો લગારેક અંશ જગાવવામાં
સફળ થયો છે.

આ કુંડલિની શક્તિને સંપૂર્ણ રીતે કેવી રીતે જગાવવી? એ માટે નું "રાજયોગ"  એ  વિજ્ઞાન છે.
કુંડલિની એ અનંત સુખ ની જનેતા છે.અને-
સઘળી ઉપાસનાઓનો-સઘળા આચાર-વિચારોનો-સઘળી પ્રાર્થનાઓનો-સઘળા વિધિવિધાનો નો-
અને સઘળા ચમત્કારો નો -આ બુદ્ધિ-પૂર્વક નો ખુલાસો (સમજ) છે.
                                                                        

Sep 10, 2011

સર્ગ સિધ્ધાંત અને કુંડલીની



 Go to Page   1......2......3......4......5 ..   



કુંડલીની  નું વર્ણન જે કર્યું છે તે આ સર્ગ સિધ્ધાંત (લીંક ) પર થી હોય તેવું
લાગે છે .

૧ --સહસ્ત્રાર ચક્ર
    નું કોઈ
     "તત્વ "નથી -જેથી તત્વાતીત પણ કહે છે.  અને તેનું
     બીજ "વિસર્ગ" છે.
      જેમ
      પુરૂષ -પરમાત્મા -એ તત્વાતીત અને વિસર્ગ  છે.

૨ --આજ્ઞાચક્ર
     નું
     તત્વ -"મહત્"-છે.અને
      બીજ "ઓમ" છે.
      એ સર્ગ થયા પછીનું ચક્ર છે

૩ --વિશુદ્ધિ ચક્ર
     નું
    તત્વ-"આકાશ" છે.અને
    બીજ "હં " છે.

આ જ્ઞાન "અનુભવ" ની સીડી પર ચઢતી વખતે કદાચ ઉપયોગી બને.

એવું યે બને કે આ જ્ઞાન અનુભવ વગર ના પણ સમજાય .

માત્ર બુદ્ધિ થી આ વસ્તુ સમજાવવી કે સમજવી મુશ્કેલ છે.

અનુભવ ની સીડી ચઢતાં જો "કૃપા" થાય તો
ઘણી બધી -ગોપનીયતા -જે આની પાછળ  છે તેનો "અનુભવ" થાય છે.

પણ આ જાણ્યા પછી કશું જાણવાનું રહે કે કેમ તે "સવાલ" રહે છે.

આનંદ-આનંદ-પરમાનંદ

 Go to Page   1......2......3......4......5 ..   


વધુ-કુંડલીની સરળ સમજ માટેની લીંક 

વધુ-સર્ગ સિદ્ધાંત  માટેની લીંક

બુદ્ધિ -શક્તિ વિષે -e=mc2 -વિષે થોડા વધુ વિચારો જાણવામાં જો રસ હોય તો....અહીં ક્લિક કરો

બારીકાઈ થી નિરિક્ષણ-૨



 Go to Page---  1  ---  2   ---  3  ---   4   


સહુ થી સરળ રીતે શરીર નું બારીકાઈ થી નિરિક્ષણ થઇ શકે છે.

૧---શરૂઆત કરવાની છે -
    શરીર ને જોવાની -સતર્કતાથી -સભાનતાથી-
    અને
    સાક્ષી ભાવ રાખવાનો છે ........

કોઈ જ જાતનું અનુમાન નહી કરવાનું-
કોઇજ જાત નો નિર્ણય નહી  લેવાનો  ......

શરીર નું હલન ચલન જેવુંકે --
ચાલવાની ક્રિયા ,જમવાની ક્રિયા અને
શ્વાસ લેવાની પ્રક્રિયા --આવી
બધી જ જાતની પ્રક્રિયા ઓ નું માત્ર અવલોકન કરવાનું છે ......

શરૂઆત માં અઘરું લાગે  છે --
થોડા જ સમય માં બીજે ધ્યાન જતું રહે છે -એવું લાગે ...
પણ ધીરજતા  થી પ્રયાસ અને અભ્યાસ થી સફળતા મળે છે .....

અને થોડાક સમય માં જ
એક એવી આશ્ચર્ય ચકિત સ્થિતિ આવી જાય છે કે ...

ઉપરની કોઈ પણ પ્રક્રિયા---- એવું લાગે છે કે જાણે કોઈ ગુરુરતા થી થતી હોય.....
અને
એક શાંત પરિસ્થિતિ નો ભાસ થાય છે ..

એક જાતની એલર્ટનેસ અને કોન્સીયસનેસ આવવા માંડે છે .......

ભગવાન બુદ્ધ બહુ ધીમે ચાલતા ---
તે કહેતા કે ----
ધીમે ચાલવું એ મારા "ધ્યાન" એક ભાગ  છે.
એવી રીતે ચાલવું જોઈએ કે જાણે --
શિયાળા માં કોઈ ઠંડા પાણીના વહેળા માં ચાલી રહ્યા છીએ ..
પાણી ખુબ ઠંડું છે અને વહેળા નો પ્રવાહ તેજ છે -પથરાળો છે--
સહેજ પણ ખોટો કદમ મુકો તો લપસી જવાની સંભવતા  છે --

ખુબ ધીમેથી -સતર્કતા થી -સભાનતાથી-સાક્ષીભાવથી
જેમ એ પાણીની અંદર કદમ મુકીએ છીએ
તેમ ચાલવાનું છે .
અને એથી જ તે "ધ્યાન" નો એક ભાગ બની જાય છે ..........



 Go to Page---  1  ---  2   ---  3  ---   4   



Sep 8, 2011

બારીકાઈથી નિરિક્ષણ-૩



 Go to Page---  1  ---  2   ---  3  ---   4   


બારીકાઈ થી નિરિક્ષણ-૨ માં વર્ણવ્યા મુજબ
જેમ નિરિક્ષણ નો વિષય શરીર છે તેમ
હવે
વધુ નાજુક વિષય "મન" પર જવાનું છે.....

પદ્ધતિ એવી જ છે જે ત્યાં વર્ણવી છે ....

જો શરીર નું બારીકાઈથી નિરિક્ષણ કરવામાં સફળતા મળી હોય તો
મન નું નિરિક્ષણ કરવાનું બહુ અઘરું નથી પડતું........

અહીં મન=વિચારો એમ સમજી ને આગળ વધીએ તો -------

---આ વિચારો એક નાજુક તરંગો છે .જેમ  કે હવાની અંદર
    રેડીઓ ના તરંગો છે -
     કે જે જોઈ શકાતા નથી --અદ્રશ્ય છે --પણ "છે" જરૂર.....

---હવે એવી વસ્તુ (વિચારો ના તરંગો)ને જોવાની છે જે જોઈ શકાય તેમ નથી

---વિચારોને જોવાના છે-
    શર્ત એટલી છે કે ---
      કોઈ નિર્ણય લેવાનો નથી .......
        કે આ સારા વિચારો છે કે આ ખોટા વિચારો છે .......
---કારણ કે જે ક્ષણે આપણે નિર્ણય લીધો કે આ "ખરાબ વિચાર" છે
   તેનો મતલબ તે થયો કે ----
    --આપણે વિચારને જોવાનું બંધ કર્યું છે
    --આપણે વિચારો વિષે વિચારવાનું ચાલુ કર્યું છે ---જે ખોટું છે -
    --આપણે વિચારો જોડે સંલગ્ન થયા છીએ --જે ખોટું છે --

---વિચારો જોડે ઓતપ્રોત થવાનું નથી.
    -સડક ના છેડે ઉભા રહી જેમ ટ્રાફિક જોતા હોઈએ તેમ વિચારો ને જોવાના છે
    -આકાશ માં વાદળા પસાર થતા જોઈએ તેમ માત્ર નિરિક્ષણ કરવાનું છે.

---સહેલી લાગતી આ વિચારોને જોવાની પ્રક્રિયા ઘણા લોકોને
    અઘરી લાગે છે
---કારણ કે મોટા ભાગના લોકો વિચારોને કંટ્રોલ કરવામાં લાગી જતા હોય છે
---ખરેખર જો માત્ર સાક્ષી ભાવ થી --કોઈ પણ રીતે- વિચારો ની સાથે સંલગ્ન
    થયા વગર --જોવામાં આવે તો --
---આશ્ચર્ય જનક રીતે ધીરે ધીરે વિચારો ના તરંગો સમવા માંડે છે ----
   અને જોવામાં આવે છે કે વિચારો ધીરે ધીરે ઓછા થવા માંડે છે --
---જો ૫૦% વિચારો જોવામાં સફળતા મળે તો ૫૦% વિચારો ઓછા થઇ જાય છે

---આમ કરતા કરતા જયારે ૧૦૦% વિચારો ને સાક્ષી ભાવ થી બારીકાઈથી નિરિક્ષણ
   કરીને જોઈ શકાય તો ૧૦૦% વિચારો સમી જાય છે.

---વિચારો-મન બિલકુલ તરંગ વિહીન થઇ જાય છે
    અને આપણે એક સ્વચ્છ દર્પણ જેવા થઇ જઈએ છીએ

 "ધ્યાન"ની પ્રક્રિયા માં  આપણે ૫૦% સફળતા હાંસલ કરી લીધી છે એમ કહી શકાય .
અડધો રસ્તો પસાર કરી લીધો છે તેમ કહી શકાય .
"રહસ્ય"ને 'જાણી' લીધું છે એમ પણ કહી શકાય .

પણ હજુ "રહસ્ય" ને "પામવાનું" બાકી છે ................

.

 Go to Page---  1  ---  2   ---  3  ---   4   

Sep 6, 2011

બારીકાઈથી નિરિક્ષણ-૪



 Go to Page---  1  ---  2   ---  3  ---   4   


બારીકાઈ થી નિરિક્ષણ-૨-૩  માં વર્ણવ્યા મુજબ
જેમ નિરિક્ષણ નો વિષય શરીર અને મન  છે તેમ
હવે
વધુ વધુ નાજુક વિષય "હૃદય " પર જવાનું છે.....

પદ્ધતિ એવી જ છે જે ત્યાં વર્ણવી છે ....

જો શરીર અને મન નું બારીકાઈથી નિરિક્ષણ કરવામાં સફળતા મળી હોય તો
હૃદય નું નિરિક્ષણ કરવાનું બહુ અઘરું નથી પડતું........

બારીકાઈ થી નિરિક્ષણ કરવાનું રહસ્ય પામી લીધું છે તેને હવે અહીં આગળ
ધપાવવાનું છે ....

મન થી હૃદય સુધી જવાનું છે

અહીં હૃદય=લાગણીઓ (Feeling,Mood) એમ સમજી ને આગળ વધીએ તો -------

---આ લાગણીઓ પણ  એક નાજુક તરંગો છે .જેમ  કે હવાની અંદર
    રેડીઓ ના તરંગો છે -
     કે જે જોઈ શકાતા નથી --અદ્રશ્ય છે --પણ "છે" જરૂર.....

---હજુ એ એવી વસ્તુ ને જોવાની છે જે નરી આંખે જોઈ શકાય તેમ નથી

---આ લાગણીઓ ને જોવાની છે -
    ફરીથી શર્ત એટલી છે કે ---
      કોઈ નિર્ણય લેવાનો નથી .......
        કે આ સારી લાગણી છે કે આ ખોટી લાગણી છે .......
---કારણ કે જે ક્ષણે આપણે નિર્ણય લીધો કે આ "ખરાબ લાગણી " છે
   તેનો મતલબ તે થયો કે ----
    --આપણે લાગણીઓ ને જોવાનું બંધ કર્યું છે
    --આપણે લાગણીઓ  વિષે વિચારવાનું ચાલુ કર્યું છે ---જે ખોટું છે -
    --આપણે લાગણીઓ  જોડે સંલગ્ન થયા છીએ --જે ખોટું છે --

---લાગણીઓ  જોડે ઓતપ્રોત થવાનું નથી.
    -સડક ના છેડે ઉભા રહી જેમ ટ્રાફિક જોતા હોઈએ તેમ લાગણીઓ  ને જોવાની  છે
    -આકાશ માં વાદળા પસાર થતા જોઈએ તેમ માત્ર નિરિક્ષણ કરવાનું છે.

---સહેલી લાગતી આ લાગણીઓ  જોવાની પ્રક્રિયા ઘણા લોકોને
    અઘરી લાગે છે
---કારણ કે મોટા ભાગના લોકો લાગણીઓ  કંટ્રોલ કરવામાં લાગી જતા હોય છે
---ખરેખર જો માત્ર સાક્ષી ભાવ થી --કોઈ પણ રીતે- લાગણીઓ  ની સાથે સંલગ્ન
    થયા વગર --જોવામાં આવે તો --અને જયારે ૧૦૦% સફળતા મળે
     ત્યારે આપણે "માસ્ટર" થઇ ગયા કહેવાઈએ .
---આ પરિસ્થિતિ માં આશ્ચર્ય જનક રીતે જોવામાં આવે છે કે
   કોઈ પણ લાગણીઓ હૃદય ને અસર કરી શકતી નથી
---દુઃખ -સુખ-ગુસ્સો  આવે તો પણ તે હૃદય ને દુઃખી -સુખી કે ગુસ્સે કરી શકતી નથી .
---કશું પણ હૃદય ને હચમચાવી શકતું નથી કે કશું પણ તેના પર રાજ કરી શકતું નથી .
---બધું ખુબ દૂર ખીણ માં રહે છે અને આપણે ડુંગર ની ટોચ પર પહોંચી જઈએ છીએ ..

-------------------------------------------------------------------

ઉપર મુજબ "વિપાસના" ના ત્રણ પગથિયા

૧-બારીક નિરિક્ષણ કરો -જુઓ -સાક્ષી બનો ----------શરીર ના
૨-બારીક નિરિક્ષણ કરો -જુઓ -સાક્ષી બનો ------------મન ના
૩-બારીક નિરિક્ષણ કરો -જુઓ -સાક્ષી બનો -----------હૃદય ના

નો પૂર્ણતા થી અભ્યાસ પુરો થાય તો
એ મંદિર ના દ્વારે પહોંચી જવાય છે કે જે સદા ખુલ્લું છે .

હવે કશુંય કરવાનું નથી કે કશુંય કરી શકાતું નથી ............
એના માટે પ્રયત્ન પણ નથી કરવાનો ---
અને જો પ્રયત્ન કર્યો તો જરૂરથી નાપાસ થવાય છે .......

માત્ર રાહ જોવાની છે ......

એ એની મેળે આવે છે ભેટ રૂપે.........

આ હૃદય થી આત્મ સુધી નો એવો કૂદકો છે કે જે ......

આપણને આત્મા ની નજીક લાવી "હોવું" કે હોવાનો
આત્મ સાક્ષાત્કાર કરાવે છે .જાણે આપણે આપણા ઘેર આવી ગયા છીએ ........

આપણે એને
"પરમ મુક્તિ"--"પ્રબુદ્ધતા "-"આત્મ સાક્ષાત્કાર"-"પરમાત્મા ની પ્રાપ્તિ"
એમાંનું કશુંય પણ કહી શકીએ છીએ ..

આનાથી વધુ કશુંય નથી ..

સત્ય ની શોધ નો  અંત થાય છે.

---------------------------------------------------------------------------------------

જેમ જેમ ઊંડાણ માં જઈએ તેમ તેમ
--"પ્રકાશ"થી ભરપુર અતિ સુંદર જગ્યાઓ આવે છે
   જે ખજાના ઓ છે .....
--ઊંડાણ માં એક અવાજ વગર નું સંગીત છે --જીવંત ,નાચતું અને કુદતું .......
--અને એક પરમ -અનંત ની પ્રાપ્તિ થાય છે કે

કે જેને આપણે પરમાત્મા ને ખોળી કાઢ્યા એમ કહી શકીએ ....
કે જે કોઈ "વ્યક્તિ"રૂપે નથી ....
પણ
એક "પ્રકાશ" ---એક "સત્ય" એક "સુંદરતા"
રૂપે હાજર છે --
કે જે માનવ જાત હજારો વરસ થી એક સ્વપ્ન તરીકે જોઈ રહી છે ........

આ સ્વપ્ના નો ખજાનો
ક્યોંય નહી પણ
"આત્મા" માં સંતાયેલો છે .

------------------------------------------------------------------------------------------
બુદ્ધ નો આત્મ સાક્ષાત્કાર કરવાનો એક રસ્તો છે -સાધન છે --

કે જેમાં કોઈ મુશ્કેલ પ્રક્રિયાઓ નથી ..
પણ જાણે એક કવિતામય ,સંગીતમય,સુંદર અનુભૂતિ
કરાવતા કરાવતા એક પરમાનંદ ને ધામે પહોચાડી દે છે.

આ કોઈ પ્રક્રિયા નથી પણ પ્રાર્થના છે ...
કે જે
આપણને આપણી હયાતિ નો અનુભવ કરાવી ,
આપણને "હોવા"નો --અને
આત્મા ની મીઠી  સુગંધ નો અહેસાસ કરાવે છે ...

----------------------------------
આનંદ ---આનંદ ---પરમાનંદ

અનિલ શુક્લ
સપ્ટેમ્બર -૨૦૧૧


 Go to Page---  1  ---  2   ---  3  ---   4   


Sep 3, 2011

આકાશ =પરમાત્મા




પરમાત્મા જો એક હોય તો આ એક ને સમજાવવા જો ઉદાહરણ થી હોય તો ---
આકાશ શિવાય બીજા કોઈ સાથે સરખાવવામાં જોખમ છે -----

પરમાત્માને કોઈ વસ્તુ સાથે કેમ સરખાવી શકાય ?

વસ્તુ હોય તો તેને પરિમાણ લાગી જાય છે ......

માત્ર બિંદુ મુકીએ તો પણ તેનું પરિમાણ લાગે .......

કારણ કે જો બિંદુ મુકીએ તો અને તેને સેન્ટર તરીકે વિચારવું હોય તો .....
તેની આસપાસ પરીઘ નો ઉદભવ કરવો જ પડે ........

અને જે લોકો સમજવા માટે ઉદાહરણ નો આશરો માંગતા હોય તેને માટે
કદાચ બિંદુ ની સહાયતા લેવાણી હશે .....

પણ નવાઈ ની વાત એ છે કે આ મૂળભૂત વાત પાછળથી ભૂલાઈ ગઈ લાગે છે.
અને હવે લોકોને--
બિંદુ એટલે શું ?
એવો પ્રશ્ન પૂછવામાં આવે તો વિચાર માં પડી જાય છે .......

એટલેજ પરમાત્મા ને સમજવા આકાશ નું ઉદાહરણ વધુ યોગ્ય લાગે છે ....

હવે માત્ર એક સ્પષ્ટતા જરૂરી છે કે --
ઘણી વખત આપણે આકાશ એટલે કે જે નરી આંખે ક્ષિતિજ્ આગળ મળે છે તે ----
એમ જ સમજતા હોઈએ છીએ
પણ
આ આકાશ એટલે જે
આપણા શરીર ની આસપાસ છે અને તે જ આકાશ સુર્ય ની આસપાસ પણ છે ....
ટૂંક માં
આ આકાશ માં
સર્વ બ્રહ્માંડ -સુર્ય -ચંદ્ર -પૃથ્વી -તારા સમાયેલા છે..........
આ ચિત્ર માં આકાશ ને કોઈ સીમા (હદ) નથી.


આ બહુ મહત્વનું  છે--
સહેજ આંખ બંધ કરીને
આ આકાશ ની કલ્પના ઉપર મુજબ કરીએ તો
પરમાત્મા સમજવામાં ખુબજ સરળતા થઇ શકે???

પણ આંખ બંધ કરી આવી કલ્પના કરવા આપણે તૈયાર નથી --
અને એટલે વળી પાછું

જે પરમાત્મા ને સમજવા આપણે આકાશ નું ઉદાહરણ આપીએ છીએ -----
તે જ
આકાશ ને સમજવા પાછું ઉદાહરણ ની જરૂર પડી જાય છે ---

એટલે પાછા
આકાશ ના "દેવ" બનાવવામાં આવ્યા ---વિષ્ણુ ને ----

એક પરમાત્મા નો એક આત્મા ઉદભવ્યો ----
એક બિંદુ નું સર્જન થયું ------

દ્વૈત -અદ્વૈત બન્યું ----

અને
આ નવા સર્જન થયેલા ઘોડા પાછળ
આપણે ગાડી જોડી દઈએ છીએ

અને
થોડા સમય પછી ઘોડો ભૂલાઈ જાય છે અને
કાં તો ગાડી પાછળ જતો રહે છે ..........
કે તેનું અસ્તિત્વ ભુંસી નાખવામાં આવે છે ----

અને
પાછું વર્તુળ થાય છે અને ---

ગાડી માં મજા કરતા તર્ક અને અહમ થી ભરપુર માનવો
પરમાત્મા સમજવા ઉદાહરણ ની ખોજ ચલાવે છે ---
પણ
તે ઘોડા ને આગળ લાવવા તૈયાર નથી ....

તત્વવિવેક-(શંકરાચાર્ય )-માં પણ આત્મા ની સમજ આપેલી છે-અહીં ક્લિક કરો.