Oct 14, 2011

કુંડલીની-સરળ સમજ --ભાગ -૨


 Go to Page   1......2......3......4......5 ..   



ભાગ-૧ માં પ્રાણ વિષે વિચાર્યું હવે નાડી વિષે વિચારીએ

નાડી--
-------
નાડી વિષે  સમજવું અને સમજાવવું અઘરું છે.

ઘણા લોકો -
નાડી ને જ્ઞાન તંતુ જોડે સરખાવે છે.
જે સાચું નથી .
કારણ કે જ્ઞાનતંતુ નું ઉદગમસ્થાન -મગજ- છે. પણ

નાડી નું ઉદગમસ્થાન
નાભિ ની નીચે અંડાકાર -કંદ-માં છે.
અને તે સુવર્ણ જેવો છે અને સૂક્ષ્મ શરીર નો ભાગ છે.

આ- કંદ- અત્યારના શરીર વિજ્ઞાન મુજબ જોઈ શકાય તેવો નથી.

અનુભવ થી સમાધિના ઉચ્ચ સ્તરો પરથી જે ઋષિ મુની ઓ એ
સમજાવ્યું છે તે મુજબ-

શરીરમાં પ્રાણ ના પ્રવાહો વહે છે.
અને આ પ્રાણ ના પ્રવાહો જેમાં થઈને (કલ્પિત રીતે ) વહે તેને -નાડી- કહે છે.

જુદા જુદા ગ્રંથો માં નાડી ઓની સંખ્યા જુદી જુદી બતાવી છે.

પણ ગોરક્ષ શતક મુજબ જોઈએ તો -
૭૨૦૦૦ નાડી ઓ માં ૭૨ મુખ્ય છે.
આ ૭૨ માં ૧૦ મુખ્ય છે.જે મહત્વની છે.

અને આ ૧૦ માં જે વધુ પ્રચલિત છે તે ત્રણ  છે.

૧.સુષુમ્ણા---કરોડ રજ્જુ ની મધ્યમાં તેનું સ્થાન છે.
૨.ઈડા ------કરોડ રજ્જુ ની ડાબી બાજુ તેનું સ્થાન છે.
૩.પિંગલા --કરોડ રજ્જુ ની જમણી બાજુ તેનું સ્થાન છે.

આ ત્રણે નું ઉદગમસ્થાન નાભિ નીચેના કંદ થી શરુ થઇ -
મૂલાધાર ચક્ર (નીચેની બાજુ) સુધી જઈ સહસ્ત્રાર ચક્ર સુધી જાય
એવું સમજી શકાય.

આટલું સમજાય તો વધુ આગળ સમજાય ..................
અને તે સમજવા ગોરક્ષ સતક નો આશરો લેવો રહ્યો.

જો કે આ અનુભવ થી જ સમજાય એવી વસ્તુ લાગે છે.
અને તર્ક થી તે સમજી શકાતી નથી જ............

 Go to Page   1......2......3......4......5 ..   


કુંડલીની-સરળ સમજ --ભાગ -૩
 વધુ-સર્ગ સિદ્ધાંત અને કુંડલીની માટેની લીંક 
બુદ્ધિ -શક્તિ વિષે -e=mc2 -વિષે થોડા વધુ વિચારો જાણવામાં જો રસ હોય તો....અહીં ક્લિક કરો

Oct 13, 2011

કુંડલીની-સરળ સમજ --ભાગ -૩


 Go to Page   1......2......3......4......5 ..   



ભાગ-૧ માં પ્રાણ વિષે સમજ્યા
ભાગ -૨ માં નાડી વિષે સમજયા
અને હવે ચક્રો અને કુંડલીની વિષે સમજીએ.

ચક્રો -
----
સાત ચક્રો નું વર્ણન છે.
જેનું સ્થાન મુખ્યત્વે કરોડ રજ્જુ માં (કલ્પિત રીતે -સુક્ષ્મ રીતે) છે.

કરોડ રજ્જુ ના નીચેના છેડે થી શરુ થઇ તે છેક માથાના ઉપરના ભાગ સુધી છે.

૧.મૂલાધાર
૨.સ્વાધિષ્ઠાન
૩.મણિપુર
૪.અનાહત
૫.વિશુદ્ધ
૬.આજ્ઞા
૭.સહસ્ત્રાર

આ ચક્રો વિષે વધુ --પછી ક્યારેક ......
----------------------------------------------------------------------------------

કુંડલીની -
---------
પ્રાણ શક્તિ નો એક ભાગ જેની શક્તિ અદભૂત છે. અને જેને
કુંડલીની શક્તિ કહે છે.
તે મૂલાધાર માં -યોનીસ્થાન માં (ત્રિકોણાકાર )
સુષુપ્ત અવસ્થા માં પડી રહે છે.

સુષુમ્ણા નાડી કંદ થી શરુ થઇ નીચે બાજુ જઈ
આ કુંડલીની ને જગાવી અને ચક્રો માં થી પસાર થઇ
છેક સહસ્ત્રાર સુધી લઇ જાય છે.

અહીં યોની સ્થાન ની વ્યાખ્યા થોડી ઉપયોગી નીવડે છે.

ખાલી કે પોલી જગ્યા ને યોની કહેછે.
યોની સ્થાન -ગુદા-માં શિવની છે જે ત્રિકોણાકાર છે.
તેવું વર્ણન છે.

બહુ જ સરળ રીતે આમ સમજાવી કે સમજી શકાય ....


 Go to Page   1......2......3......4......5 ..   


ચક્રો ની વિગત વાર માહિતી

 વધુ-સર્ગ સિદ્ધાંત અને કુંડલીની માટેની લીંક 
બુદ્ધિ -શક્તિ વિષે -e=mc2 -વિષે થોડા વધુ વિચારો જાણવામાં જો રસ હોય તો....અહીં ક્લિક કરો

Oct 7, 2011

જગત નો નિયંતા


બહુ સમય પહેલા વાંચેલી એક વાત યાદ આવે છે ,,,,,,

એક ચિત્રકાર નાસ્તિક હતો 
એક દિવસ ઘેર આવ્યો અને જોયું કે -
તે જે કેનવાસ સવારે કોરું મુકીને ગયેલો તેના પર 
કોઈકે પર્વતો -નદી -ઝાડ -પક્ષી વગેરે દોરી નાખ્યું છે ......

ગુસ્સે થઇ દીકરા ને બોલાવ્યો અને ખુલાસો માંગ્યો ......
દીકરો કહે કે મેં દોર્યું નથી ---
ચિત્રકાર કહે છે કે --
કોઈકે તો દોર્યું જ હોવું જોઈએ --એમ નેમ આ સફેદ 
કેનવાસ પર આ બધું કેવી રીતે આવે ?

હવે દીકરો કહે છે કે -
જે કેનવાસ પર દોરેલું છે તે બધું -
પર્વતો -નદી -ઝાડ -પક્ષી વગેરે ------
જગત માં કેવી રીતે આવ્યું ?
કોઈકે તો બનાવ્યું હશે ને ?

તમારી વાત સાચી છે .....
જે જગત નો નિયંતા છે  તે  "પરમાત્મા " છે .

ભગવાન ક્યાં છે ?


ઘણા બધા લોકોને એવું કહેતા સાંભળીએ છીએ કે--
અમે તો ભગવાન જોયા નથી ....
અને જે જોયું ના હોય તેને સાચું કેમ કરી માનવું ?
એટલે જ અમે ભગવાન માં માનતા નથી .....
વળી એટલા બધા ભગવાનો છે કે કયા ભગવાન ને માનવું તે જ નક્કી કરી શકાતું નથી ......

હવે અહી જોઈએ તો તેમની વાત સાચી છે અને નથી પણ ....
સાચું એ છે કે મૂળભૂત વાત ભુલાઈગઈ છે ......
તો પછી આ મૂળભૂત વાત છે શું?

આ વાત બધાને ખબર છે ,કશું નવું નથી

ભગવાન એક જ છે
સત્ય એક જ છે
બાકીના જે મંદિરોમાં બેઠા છે તે
દેવો છે .....

જો આ દેવો ને બધા ભગવાન કહે તો
દુનિઆ નો દરેક આત્મા દેવ છે , ભગવાન છે .....

જો આ દેવો - જે જુદી જુદી પ્રકૃતિ ના પ્રમાણે જુદા જુદા છે -
તેને જો કોઈ ભગવાન માનવા તૈયાર ના થાય તો કંઈ ખોટું
નથી ....

કોઈ એક પ્રકૃતિ નો માનવી બીજી કોઈ પ્રકૃતિના દેવ ને
કેવી રીતે માને?

પણ સવાલ ત્યારે ઉભો થાય છે
જયારે તે માનવી ને કોઈ પણ જગ્યા એ શ્રધ્ધા નથી -વિશ્વાસ નથી ....
છેવટે આત્મ શ્રધ્ધા પણ ના હોય તો તે કેવું ?

બહુ જ સરળ ભાષામાં કહીએ તો
જયારે ભગવાન અને દેવ (પરમાત્મા અને આત્મા )
એમ બે હોય ત્યારે તે દ્વૈત(બે) કહેવાય છે ,
અને
બંને જયારે એક થઇ જાય છે ત્યારે
અદ્વૈત(એક) થઇ જાય છે .

અને આ અદ્વૈત એ વેદાંત નું તત્વ ગ્નાન છે .

ફરી થી આ  વાત ને સમજવી હોય તો ----
જયારે માનવી
હું ને મારો ભગવાન (એમ બે )એવું માને તો તે દ્વૈત છે
ભક્તિ છે
અને
જયારે માનવી એમ માને કે હું. જ ભગવાન છું (બંને એક થયા )
ત્યારે અદ્વૈત થાય છે
અને આ ગ્નાન છે .

કહેવાય છે કે
જો આ ભક્તિ અને ગ્નાન માં વૈરાગ્ય ઉમેરાય તો
અને આ ત્રણે નો અનુભવ થાય ........
તો પરમાત્મા ને સમજવા સહેલા થઇ જાય છે .

પછી કોઈ જ શંશય રહેતો નથી ......

તરંગ


પરમાત્મા તરંગ વિહીન  છે
આકાશ ને કોઈ તરંગ હોઈ શકે ?

શાસ્ત્રોમાં મહાકાશ અને ઘડાકાશ નું વર્ણન છે .

ઘડા ની અંદર નું આકાશ એ આત્મા છે -(ઘડાકાશ )
અને ઘડા ની બહાર જે અનંત આકાશ છે તે મહાકાશ ...

ઘડો માટીનો બનેલો હોય તો
તે ઘડાનું આવરણ તે શરીર છે -માયા છે
આજ ઘડો જયારે ફૂટી જાય છે
તે મ્રીત્યું છે .....

ઘડા નું આકાશ - બહાર ના આકાશ માં મળી જાય છે ....

આ સામાન્ય ઉદાહરણ છે

અંધારું-Andharu


આમ જોવા જાઓ તો અંધારાની કોઈ વ્યાખ્યા નથી ........
કે અંધારાને ચાર પાંચ માણસો બોલાવીને ધક્કા મારીને દુર કરાવી સકાય તેમ નથી ........


અંધારા નું અસ્તિત્વ છે જ નહિ ,,
અજવાળું નથી એટલે અંધારું છે?


આપણે બધા હાલ આજની ઘડી એ મુક્ત અવસ્થા માં જ છીએ ......
બંધન પણ આપણા અને મુક્તિ પણ આપણી .........


સ્વામી વિવેકાનંદે સરસ કહ્યું છે ..........


દરેક આત્મા અપ્રગટ રૂપે પરમાત્મા છે ,
બાહ્ય અને આંતર પૃકૃતિ પર વિજય પામી ને
આત્મા પ્રગટ કરવાનું મુખ્ય ધ્યેય છે .....
આના માટે કોઈ પણ રસ્તો પસંદ કરો ....
----------------------------------------------------------
આત્મા નો અનુભવ થઇ જાય તો બેડો પાર છે ........
બધા ને ખબર છે  
અને વાતો પણ કરે છે કે "આત્મા પરમાત્મા છે ""
પણ
એનો અનુભવ કેટલા એ કર્યો હશે ??
----------

હા ..થોડા સમય પર થોડું કૈક આવું લખ્યું હતું ,,,

-------
થયું અંતર નું અજવાળું ,કે બંધ આંખે નિહાળું
અંધ થયો તો ખુલી આંખે
મોહ થયો તો દુનિયા સાથે ,,,

સરનાગત થી કૃપા થઇ ને
એવું થયું અજવાળું ,કે બંધ આંખે નિહાળું ........
અનિલ
જુલાઈ ૨૦૧૧
--------------
સર્વે જના સુખી નો ભવન્તુ ...

અનિલ