દીન-પુરુષો (કુંડલિની-યોગના) પુરુષાર્થથી (યોગીઓની જેમ)
આકાશ-ગમન વગેરે જેવી ઉર્ધ્વ-ગતિને પામી,ઇન્દ્ર-પદને પહોંચે છે.
બીજી નાડીઓમાં નહિ જવા દેતાં,ફક્ત સુષુમણામાં જ રેચક પ્રાણાયામ વડે,પ્રાણનો પ્રવાહ ચાલુ રાખી,કુંડલિની શક્તિને જયારે મસ્તકની અને કપાળની સંધિ-રૂપ છિદ્રની અંદરની (મૂર્દ્ધ) જ્યોતિમાં,મૂહુર્ત-પર્યંત (સંયમ-પૂર્વક) સ્થિર રાખવામાં આવે-તો આકાશમાં ફરતા સિદ્ધ-પુરુષોનાં દર્શન થાય છે.