Sep 23, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-928

જેમ,પોતાના ચિત્તમાં થતું ઘટ-આદિ પદાર્થોનું સ્ફૂરણ,પોતાના સિવાય બીજા કોઇથી જાણી શકાતું નથી,
તેમ,આ "પરમપદની સ્થિતિ" પોતાના (અનુભવ) સિવાય બીજા કોઇથી જાણી શકાતી (અનુભવાતી) નથી.
આ સ્થિતિમાં "હું કે તમે" (બીજું કોઈ છે) એવો કોઈ ભાવ કે નિરહંકારતા પણ રહેતી નથી,માત્ર એક કૈવલ્ય (એક) જ બાકી રહે છે,કે જે નિર્વિકાર,નિર્વાણ-રૂપ અને પરમ-મંગલમય છે.

Sep 22, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-927

વસિષ્ઠ કહે છે કે-બ્રહ્મ-તત્વ,પરમપદ-રૂપ છે અને તેને (તે રૂપને) તત્વજ્ઞાન થયા પહેલાંના શિષ્યોને,
ઉપદેશ કરવાને માટે,(તે પરમપદને) વાણીના વિષય (વ્યવહાર) રૂપે "કલ્પી" લેવામાં આવે છે.
બાકી જો,વિચાર-વડે એ પરમપદનું સ્વરૂપ ઓળખવામાં આવે તો-વિવેકીઓને એમ સમજાય છે કે-
તે તત્વ,એ વાણીનો વિષય નથી.એથી તેમાં મૌન રાખવું જ ઉચિત છે.
આ કારણે મેં તમારા પ્રશ્નનો મૌન-રૂપે જ સુંદર ઉત્તર આપી દીધો છે.

Sep 21, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-926

વસિષ્ઠ કહે છે કે-જાગ્રત અને સુષુપ્તિને જુદાં પાડનાર "અજ્ઞાન અને તેનાં કાર્યો"નો
જ્ઞાન વડે બાધ થઇ જતાં,એ બંને અવસ્થાઓનું એક "આત્મ-તત્વ-રૂપ-પણું" થઇ જતાં,
સર્વના અવધિ-રૂપ જે ચિન્માત્ર પરમતત્વ અવશેષ રહે છે તે તમે પોતે જ છો.
એટલે ધીરેધીરે અભ્યાસ કરતા રહીને તમે અનાદિ-અનંત-અદ્વિતીય એવા પરમપદને પ્રાપ્ત થાઓ.
કે જે પરમપદ સર્વ વસ્તુમાત્રથી વિલક્ષણ અને લોકોત્તર (ત્રણે લોક થી પર) છે.
"તત્વદ્રષ્ટિથી -જગત અને પરમાત્મા-એ બંનેનું દ્વૈત કે અદ્વૈત-પણું સંભવતું નથી" એવો નિશ્ચય બાંધી,તમે આકાશના જેવું વિશાળ અને નિર્વિકાર હૃદય રાખી,પરમ શાંતિને પ્રાપ્ત થાઓ.