કોઈ પણ દુઃખથી ક્ષોભ પામ્યા વિના-કેવળ શાંત રહી,આત્મનિષ્ઠ થઇ રહેવું તે જ મોક્ષ કહેવાય છે,
અને એ જ અક્ષય-પદ-રૂપ (પરમપદ-રૂપ) છે.વિવેકનો ઉદય થતાં મનુષ્ય જ્ઞાની થઇ,તત્વવેત્તા અને
જીવનમુક્ત થાય છે.પણ,અવિદ્યા(અજ્ઞાન-કે માયા) વાળો અજ્ઞાની અનેક યોનિઓમાં ભટકે છે.