તે અતિ-વિશાળ આકૃતિનો આકાર ક્ષણમાત્રમાં એક હાથવાળી તો ક્ષણમાત્રમાં અનેક ભુજાઓ વાળી થઇ જઈ,
આ જગત-રૂપી નૃત્ય-મંડપને ધ્રુજાવતી હતી.તે ક્ષણમાત્રમાં તે એક-મુખી તો ક્ષણમાત્રમાં તે અનેક-મુખી
દેખાતી હતી તો ક્ષણમાત્રમાં તો તેનું એક પણ મુખ દેખાતું નહોતું.ક્ષણમાત્રમાં તે એક ચરણ-વાળી,
ક્ષણમાત્રમાં અનેક ચરણવાળી તો ક્ષણમાત્રમાં તેનું એક પણ ચરણ દેખાતું નહોતું.
આમ તેનો દેહ જોઈ મેં (વસિષ્ઠ) અનુમાન કર્યું કે આ કાળ-રાત્રિ (ભગવતી કે ચેતન શક્તિ કે કાળ) છે.